ETV Bharat / city

ઇશરત જહાં કેસમાં સરકાર આરોપીઓને છાવરી રહી હોવાની કોર્ટમાં દલીલ

author img

By

Published : Apr 9, 2019, 7:52 PM IST

અમદાવાદઃ વર્ષ 2004ના ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસ મામલે આરોપી એન. કે. અમીન અને ડી. જી. વણઝારા દ્વારા કરાયેલી કેસ ડ્રોપ અરજી સામે ઇશરત જહાંની માતા શમીમા કૌશર દ્વારા વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે વકીલ વૃંદા ગ્રોવરે સ્પે. CBI કોર્ટમાં સોમવારે રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવાયું હતું કે, CRPCની કલમ 197 મુજબ કાનૂની કાર્યવાહી ચલાવવા માટેની પરવાનગી ન આપી રાજ્ય સરકાર આરોપીઓને છાવરી રહી છે. આ મામલે વધુ સુનાવણી 16મી એપ્રિલે હાથ ધરવામાં આવશે.

સ્પોટ ફોટો

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આરોપીઓ દ્વારા કેસ ડ્રોપની અરજી સામે ઈશરત જહાંની માતા શમીમા કૌશરની વાંધા અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વકીલ વૃંદા ગ્રોવરે રજૂઆત કરી હતી કે, CRPCની કલમ 197ને આરોપીઓ દ્વારા કરાયેલી કેસ ડ્રોપ અરજી સાથે કોઈ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદ્દે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે.

ઇશરત જહાં કેસ
વૃંદાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર CRPCની કલમ 197 મુજબ બંને આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની પરવાનગી ન આપે તેમ છતાં તેમની વિરુદ્ધ ચાર્જફ્રેમ કરી શકાય છે. આ મામલે બધા જ પુરાવાઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. જો કે, સપ્લીમેન્ટરી ચાર્જશીટ આ દિવસ સુધી કોર્ટમાં રજૂ કરાઇ નથી.બંને પૂર્વ IPS આરોપી ડી. જી. વણઝારા અને એન. કે.અમીને આક્ષેપ કર્યો હતો કે, જ્યારે ઈશરત જહાં અને તેના સાગરીતોનું અપહરણ કરી હત્યા થઇ હતી, ત્યારે તેઓ ફરજ પર ન હતા. બંને પૂર્વ પોલીસ અધિકારી આરોપીઓની ધરપકડ કરી શકતા હતા પરંતુ તેમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. CBI વતી વકીલ આર. સી. કોડેકરે કહ્યું કે, કોર્ટ આ કેસને કાયદા મુજબ ચલાવે. જ્યારે આ મામલે અન્ય વી.ડી. ગજ્જરે રજૂઆત કરી કે, વૃંદા ગ્રોવર લેખિત રજુઆત દાખલ કરશે, ત્યારબાદ તેઓ આ મામલે પોતાની દલીલ કરશે. આ મામલે વધુ સુનાવણી 16મી એપ્રિલે હાથ ધરવામાં આવશે.વર્ષ 2004માં અમદાવાદના નરોડા વિસ્તાર પાસે મુંબઈની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજદ અલી રાણા અને જીશાન જોહરના નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આરોપીઓ દ્વારા કેસ ડ્રોપની અરજી સામે ઈશરત જહાંની માતા શમીમા કૌશરની વાંધા અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વકીલ વૃંદા ગ્રોવરે રજૂઆત કરી હતી કે, CRPCની કલમ 197ને આરોપીઓ દ્વારા કરાયેલી કેસ ડ્રોપ અરજી સાથે કોઈ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદ્દે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે.

ઇશરત જહાં કેસ
વૃંદાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર CRPCની કલમ 197 મુજબ બંને આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની પરવાનગી ન આપે તેમ છતાં તેમની વિરુદ્ધ ચાર્જફ્રેમ કરી શકાય છે. આ મામલે બધા જ પુરાવાઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. જો કે, સપ્લીમેન્ટરી ચાર્જશીટ આ દિવસ સુધી કોર્ટમાં રજૂ કરાઇ નથી.બંને પૂર્વ IPS આરોપી ડી. જી. વણઝારા અને એન. કે.અમીને આક્ષેપ કર્યો હતો કે, જ્યારે ઈશરત જહાં અને તેના સાગરીતોનું અપહરણ કરી હત્યા થઇ હતી, ત્યારે તેઓ ફરજ પર ન હતા. બંને પૂર્વ પોલીસ અધિકારી આરોપીઓની ધરપકડ કરી શકતા હતા પરંતુ તેમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. CBI વતી વકીલ આર. સી. કોડેકરે કહ્યું કે, કોર્ટ આ કેસને કાયદા મુજબ ચલાવે. જ્યારે આ મામલે અન્ય વી.ડી. ગજ્જરે રજૂઆત કરી કે, વૃંદા ગ્રોવર લેખિત રજુઆત દાખલ કરશે, ત્યારબાદ તેઓ આ મામલે પોતાની દલીલ કરશે. આ મામલે વધુ સુનાવણી 16મી એપ્રિલે હાથ ધરવામાં આવશે.વર્ષ 2004માં અમદાવાદના નરોડા વિસ્તાર પાસે મુંબઈની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજદ અલી રાણા અને જીશાન જોહરના નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
Intro:વર્ષ 2004 ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસ મામલે આરોપી એન.કે.અમીન અને ડી.જી.વણઝારા દ્વારા કરાયેલી કેસ ડ્રોપ અરજી સામે ઇશરત જહાંની માતા શમીમા કૌશરની વાંધા અરજી મુદ્દે વકીલ વૃંદા ગ્રોવરે સ્પે. સીબીઆઈ કોર્ટમાં સોમવારે રજુઆત કરી હતી કે સી.આર.પી.સી ની કલમ 197 મુજબ કાનૂની કાર્યવાહી ચલાવવા માટેની પરવાનગી ન આપી રાજ્ય સરકાર આરોપીઓને છાવરી રહી છે. આ મામલે વધુ સુનાવણી 16મી એપ્રિલ ના રોજ હાથ ધરવામાં આવશે


Body:ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આરોપીઓ દ્વારા કેસ ડ્રોપની અરજી સામે ઈશરત જહા ની માતા શમીમા કૌશરની વાંધા અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં વકીલ વૃંદા ગ્રોવર રજુઆત કરી હતી કે સી.આર.પી.સી ની કલમ ૧૯૭ અને આરોપીઓ દ્વારા કરાયેલી કેસ ડ્રોપ અરજી સાથે કોઈ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદ્દે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે.. નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે..


વૃંદાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સી.આર.પી.સીની કલમ 197 મુજબ બંને આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ની પરવાનગી ના આપે તેમ છતાં તેમની વિરુદ્ધ ચાર્જફ્રેમ કરી શકાય છે... આ મામલે બધા જ પુરાવાઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે જોકે સપ્લીમેન્ટરી ચાર્જશીટ આ દિવસ સુધી કોર્ટમાં રજૂ કરાઇ નથી...

બંને પૂર્વ આઈપીએસ આરોપી ડી જી વણઝારા અને એન.કે.અમીન જ્યારે ઈશરત જહા અને તેના સાગરીતો નો અપહરણ કરી હત્યા કરી હતી ત્યારે તેઓ ફરજ પર ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો... બંને પૂર્વ પોલીસ અધિકારી આરોપીઓની ધરપકડ કરી શકતા હતા પરંતુ તેમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું.


Conclusion:સીબીઆઈ વતી વકીલ આર.સી. કોડેકરે કહ્યું કે કોર્ટ આ કેસને કાયદા મુજબ ચલાવે.. જ્યારે આ મામલે અન્ય વી.ડી ગજ્જર રજુઆત કરી કે વૃંદા ગ્રોવર લેખિત રજુઆત દાખલ કરશે ત્યારબાદ તેઓ આ મામલે પોતાની દલીલ કરશે... આ મામલે વધુ સુનાવણી 16મી એપ્રિલ ના રોજ હાથ ધરવામાં આવશે.

વર્ષ 2004માં અમદાવાદના નરોડા વિસ્તાર પાસે મુંબઈની ઈશરત જહા જાવેદ શેખ, અમજદ અલી રાણા અને જીશાન જોહરની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો.


બાઈટ - વૃંદા ગ્રોવર , વકીલ ઇશરતની માતા તરફથી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.