અમદાવાદઃ આ મહોત્સવ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તા. 17 સપ્ટેમ્બરના રોજ સ્વામિનારાયણ ભગવાન અને મુક્તજીવન સ્વામીબાપાનું ષોડ્શોપચારથી મહાપૂજન કરીને પંચામૃતથી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પુષ્પ, શર્કરા, ગોળ, ડ્રાઈફુટ અને વિવિધ ફુટથી તુલાવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.
સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા મુકતજીવન સ્વામીની 113 મી જન્મ જયંતિ ઉજવાઈ - મુક્તજીવન સ્વામી જન્મજયંતિ
સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત મુક્તજીવન સ્વામીની 113 મી જન્મ જયંતિ 17 સપ્ટેબરે તેમના પ્રથમ પટ્ટશિષ્ય મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કુમકુમ મંદિર - મણિનગર અને નાદરી ખાતે ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવનો સૌ કોઈ ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર - કુમકુમ યુટુયબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્રારા મુકતજીવન સ્વામીની 113 મી જન્મ જયંતિ ઉજવાઈ
અમદાવાદઃ આ મહોત્સવ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તા. 17 સપ્ટેમ્બરના રોજ સ્વામિનારાયણ ભગવાન અને મુક્તજીવન સ્વામીબાપાનું ષોડ્શોપચારથી મહાપૂજન કરીને પંચામૃતથી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પુષ્પ, શર્કરા, ગોળ, ડ્રાઈફુટ અને વિવિધ ફુટથી તુલાવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.