ETV Bharat / city

ચોરી પે સીના જોરી : HCના આદેશને પણ અવગણીને APMC કરી રહી છે બાંધકામ, PILમાં થયા ખુલાસા

author img

By

Published : Jul 30, 2022, 11:11 AM IST

સુરત APMC દ્વારા ફાઈવ સ્ટાર હોટલ અને મોલ બનાવવાના પ્રયાસની (Surat APMC HC Petition) હાઈકોર્ટમાં અરજીને નવી અરજી સાથે જોડી દેવામાં આવી છે. અરજદારના વકીલની રજૂઆત હતી કે, APMCના સંચાલકો આદેશથી વિપરીત જઈને સતત બાંધકામ કરી રહ્યા છે. આ ઉપરાંત હાઈકોર્ટમાં APMCને લઈને મહત્વના (Surat APMC Controversy) ખુલાસાઓ પણ કરવામાં આવ્યા હતા.

ચોરી પે સીના જોરી : HCના આદેશને પણ અવગણીને APMC કરી રહી છે બાંધકામ, PILમાં થયા ખુલાસા
ચોરી પે સીના જોરી : HCના આદેશને પણ અવગણીને APMC કરી રહી છે બાંધકામ, PILમાં થયા ખુલાસા

અમદાવાદ : સુરત APMC દ્વારા ફાઈવ સ્ટાર હોટલ અને મોલ બનાવવાના પ્રયાસની સામે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જે મુદ્દાને લઈને વર્ષ 2014માં પણ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી અને આ નવી અરજીને પણ (Surat APMC HC Petition) એ જ અરજી સાથે જોડી દેવામાં આવી છે. જે હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ પક્ષકારોને નોટિસ પાઠવી છે. APMCના સમગ્ર મામલા પર નજર કરીએ તો, APMCએ ખેડૂતો સાથે એક સંકળાયેલી સંસ્થા છે. જેમાં અરજદારની (Surat APMC Controversy) જમીન સુરત APMCના દાયરામાં આવે છે. જ્યાં APMC દ્વારા તેના દાયરામાં આવતી જમીન પર ફાઇવ સ્ટાર હોટલ અને મોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને આ અરજી અરજદાર દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

APMCને નુકસાન - અરજદારના વકીલની રજૂઆત હતી કે, APMCના વિવિધ મુદ્દા પર ભૂતકાળમાં વર્ષ 2014માં પણ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ એ માહિતી કોર્ટે મહત્વના આદેશ કર્યા હતા. કે તે તમામ સુરત APMCને બંધનકર્તા રહ્યા હતા. પરંતુ, તેમ છતાં પણ થોડા ઘણા સમયથી સુરત APMCના સંચાલકો આદેશથી વિપરીત જઈને સતત બાંધકામ કરી રહ્યા છે. આ બાબતને લઈને અંદાજે અત્યારે રૂપિયા 7 કરોડ પણ ચૂકવવામાં આવી છે. આ સમગ્ર મામલે જાહેર હિતની અરજીમાં લઈને બીજા પણ ખુલાસા કરવામાં આવ્યા હતા. જેમાં એક અરજદારના વકીલની રજૂઆત હતી કે, APMCના સિક્રેટરીએ જે પોલીસ ફરિયાદ નોંધાવી છે તે મુજબ APMCમાં 1.5 કરોડની ચોરી અને અંદાજે રૂપિયા 55 લાખની વસ્તુઓને નુકસાન કરાયેલું છે, આમ APMCને કુલ 2 કરોડનું નુક્શાન થયેલું છે.

આ પણ વાંચોઃ Sokhda Haridham Swami Death: સોખડા હરિધામના સ્વામી ગુણાતીતના મૃત્યુ મામલે પીએમ રિપોર્ટમાં મોટો ખુલાસો

APMCના બજેટ 40 કરોડ ખર્ચ - જ્યારે આ પોલીસ ફરિયાદ બાદ પોલીસ તપાસ માટે APMCમાં ગઈ તો APMCના એક પણ સભ્ય આ બાબતે કંઈ બોલવા માટે પણ તૈયાર હતા નહીં. APMCના ઇલેક્ટ્રિક ઇજનેર કે APMCના એક પણ સભ્ય પોલીસ સમક્ષ (Surat APMC Farmer) નિવેદન નોંધવા માટે પણ આવતા નથી. તેમજ APMCને બાયોગેસ પ્લાન્ટ નાખવાની જ્યારે વાત કરવામાં આવી હતી. તો તેઓ પૈસાનો અભાવ હોવાની વાત કરે છે, પરંતુ APMCના બજેટ મુજબ તેમણે છેલ્લા બે વર્ષમાં રૂપિયા 40 કરોડ વાપર્યા છે. તેમજ આ અંગે તમામ સંબંધિત સત્તાધીશોને રજૂઆત કરાયેલી છે, પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.

આ પણ વાંચોઃ Sokhda Haridham Temple: સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીનું રહસ્યમય સંજોગોમાં નિધન

હાઇકોર્ટમાં સુનાવણી - આ બાબતને લઈને APMCના સંચાલકોની રજૂઆત હતી કે, અહીં જે મોલ બનશે અને તેમાં જે દુકાનો હશે ત્યાં ખેડૂતો જ તેમનો માલ વેચશે અને તેમના રહેવા માટે અહીં જ ફાઈવ સ્ટાર હોટલ પણ બનાવવાઈ છે. જેને લઈને તેમને જ સુખ સુવિધા (Mall in Surat APMC) ભરી સગવડ મળી રહેશે. આ સમગ્ર મામલે હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ પક્ષકારોને નોટિસ પાઠવી છે અને આગામી સમયમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અમદાવાદ : સુરત APMC દ્વારા ફાઈવ સ્ટાર હોટલ અને મોલ બનાવવાના પ્રયાસની સામે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જે મુદ્દાને લઈને વર્ષ 2014માં પણ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી અને આ નવી અરજીને પણ (Surat APMC HC Petition) એ જ અરજી સાથે જોડી દેવામાં આવી છે. જે હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ પક્ષકારોને નોટિસ પાઠવી છે. APMCના સમગ્ર મામલા પર નજર કરીએ તો, APMCએ ખેડૂતો સાથે એક સંકળાયેલી સંસ્થા છે. જેમાં અરજદારની (Surat APMC Controversy) જમીન સુરત APMCના દાયરામાં આવે છે. જ્યાં APMC દ્વારા તેના દાયરામાં આવતી જમીન પર ફાઇવ સ્ટાર હોટલ અને મોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને આ અરજી અરજદાર દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

APMCને નુકસાન - અરજદારના વકીલની રજૂઆત હતી કે, APMCના વિવિધ મુદ્દા પર ભૂતકાળમાં વર્ષ 2014માં પણ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ એ માહિતી કોર્ટે મહત્વના આદેશ કર્યા હતા. કે તે તમામ સુરત APMCને બંધનકર્તા રહ્યા હતા. પરંતુ, તેમ છતાં પણ થોડા ઘણા સમયથી સુરત APMCના સંચાલકો આદેશથી વિપરીત જઈને સતત બાંધકામ કરી રહ્યા છે. આ બાબતને લઈને અંદાજે અત્યારે રૂપિયા 7 કરોડ પણ ચૂકવવામાં આવી છે. આ સમગ્ર મામલે જાહેર હિતની અરજીમાં લઈને બીજા પણ ખુલાસા કરવામાં આવ્યા હતા. જેમાં એક અરજદારના વકીલની રજૂઆત હતી કે, APMCના સિક્રેટરીએ જે પોલીસ ફરિયાદ નોંધાવી છે તે મુજબ APMCમાં 1.5 કરોડની ચોરી અને અંદાજે રૂપિયા 55 લાખની વસ્તુઓને નુકસાન કરાયેલું છે, આમ APMCને કુલ 2 કરોડનું નુક્શાન થયેલું છે.

આ પણ વાંચોઃ Sokhda Haridham Swami Death: સોખડા હરિધામના સ્વામી ગુણાતીતના મૃત્યુ મામલે પીએમ રિપોર્ટમાં મોટો ખુલાસો

APMCના બજેટ 40 કરોડ ખર્ચ - જ્યારે આ પોલીસ ફરિયાદ બાદ પોલીસ તપાસ માટે APMCમાં ગઈ તો APMCના એક પણ સભ્ય આ બાબતે કંઈ બોલવા માટે પણ તૈયાર હતા નહીં. APMCના ઇલેક્ટ્રિક ઇજનેર કે APMCના એક પણ સભ્ય પોલીસ સમક્ષ (Surat APMC Farmer) નિવેદન નોંધવા માટે પણ આવતા નથી. તેમજ APMCને બાયોગેસ પ્લાન્ટ નાખવાની જ્યારે વાત કરવામાં આવી હતી. તો તેઓ પૈસાનો અભાવ હોવાની વાત કરે છે, પરંતુ APMCના બજેટ મુજબ તેમણે છેલ્લા બે વર્ષમાં રૂપિયા 40 કરોડ વાપર્યા છે. તેમજ આ અંગે તમામ સંબંધિત સત્તાધીશોને રજૂઆત કરાયેલી છે, પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.

આ પણ વાંચોઃ Sokhda Haridham Temple: સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીનું રહસ્યમય સંજોગોમાં નિધન

હાઇકોર્ટમાં સુનાવણી - આ બાબતને લઈને APMCના સંચાલકોની રજૂઆત હતી કે, અહીં જે મોલ બનશે અને તેમાં જે દુકાનો હશે ત્યાં ખેડૂતો જ તેમનો માલ વેચશે અને તેમના રહેવા માટે અહીં જ ફાઈવ સ્ટાર હોટલ પણ બનાવવાઈ છે. જેને લઈને તેમને જ સુખ સુવિધા (Mall in Surat APMC) ભરી સગવડ મળી રહેશે. આ સમગ્ર મામલે હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ પક્ષકારોને નોટિસ પાઠવી છે અને આગામી સમયમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.