ETV Bharat / city

અમદાવાદ સિવાય તમામ જિલ્લામાં કાલથી ST બસ સેવા શરૂ થશે - અમદાવાદ બસ સેવા

ગુજરાતમાં આવતી કાલથી એટલે કે 20 મે થી ફરી એકવાર ST બસની સેવા શરૂ કરવામાં આવશે. અંદાજે 2 મહિના જેટલા સમય બાદ ફરી એક વાર ST બસ સેવા શરૂ થશે.

Bus, Etv Bharat
Bus
author img

By

Published : May 19, 2020, 9:46 PM IST

અમદાવાદઃ ગુજરાત માટે એક ખુશીના સમાચાર છે. ગુજરાતમાં 20 મે 2020થી ફરી એકવાર ST બસની સેવા શરૂ કરવામાં આવશે. અંદાજે 2 મહિના જેટલા સમય બાદ ફરી એકવાર ST બસ સેવા કરવામાં આવશે. આ બસ સેેવા અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે.

અમદાવાદ સિવાય સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર ઝોન અને મધ્ય ઝોનમાં ST બસની સેવા શરૂ કરવામાં આવશે. હાલ તો આ બસ એક ઝોનમાંથી બીજા ઝોનમાં જઈ શકશે નહીં. તેમજ મોટી બસમાં 30 પ્રવાસી અને મીની બસમાં 18 પ્રવાસી જ બેસી શકશે. બસમાં મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત પહેરવું પડશે.

Etv Bharat
અમદાવાદ સિવાય તમામ જિલ્લાઓમાં આવતી કાલથા ST બસ સેવા શરૂ થશે

ST નિગમ દ્વારા સવારના 8થી સાંજના 6 વાગ્યા સુધી સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 1145 શિડ્યુલ નક્કી કરીને 7033 બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ લેવાની રહેશે.

બસ સ્ટેન્ડ પરથી કોઈને પણ ટિકિટ આપવા આવશે નહીં. બસ સ્ટેન્ડ પર થર્મલ સ્ક્રીનગ કરાશે. હાલ ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેની સચિવાલયની બસ સેવાઓ હાલના તબક્કે સ્થગિત રખાયેલી છે.

અમદાવાદઃ ગુજરાત માટે એક ખુશીના સમાચાર છે. ગુજરાતમાં 20 મે 2020થી ફરી એકવાર ST બસની સેવા શરૂ કરવામાં આવશે. અંદાજે 2 મહિના જેટલા સમય બાદ ફરી એકવાર ST બસ સેવા કરવામાં આવશે. આ બસ સેેવા અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે.

અમદાવાદ સિવાય સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર ઝોન અને મધ્ય ઝોનમાં ST બસની સેવા શરૂ કરવામાં આવશે. હાલ તો આ બસ એક ઝોનમાંથી બીજા ઝોનમાં જઈ શકશે નહીં. તેમજ મોટી બસમાં 30 પ્રવાસી અને મીની બસમાં 18 પ્રવાસી જ બેસી શકશે. બસમાં મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત પહેરવું પડશે.

Etv Bharat
અમદાવાદ સિવાય તમામ જિલ્લાઓમાં આવતી કાલથા ST બસ સેવા શરૂ થશે

ST નિગમ દ્વારા સવારના 8થી સાંજના 6 વાગ્યા સુધી સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 1145 શિડ્યુલ નક્કી કરીને 7033 બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ લેવાની રહેશે.

બસ સ્ટેન્ડ પરથી કોઈને પણ ટિકિટ આપવા આવશે નહીં. બસ સ્ટેન્ડ પર થર્મલ સ્ક્રીનગ કરાશે. હાલ ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેની સચિવાલયની બસ સેવાઓ હાલના તબક્કે સ્થગિત રખાયેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.