અમદાવાદ: 25 ઓગસ્ટ આસપાસ કરાઈ એકેડેમીના SP હરેશ દૂધાતનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓ હોમ આઈસોલેશનમાં જ રહ્યાં હતાં. જે બાદ સારવાર મેળવ્યાં બાદ 14 દિવસ બાદ તેઓ તેમની ફરજ પર પરત ફર્યા હતાં. અંદાજે 15 દિવસથી વધુ સમય તેમને સાજા થયાં બાદ તેમને પ્લાઝમા ડોનેટ કર્યું છે.
SP હરેશ દૂધાતે કર્યું પ્લાઝમા ડોનેટ, કોરોના પોઝિટિવમાંથી સાજા થઈને પરત ફર્યા બાદ આપ્યું ઉમદા દાન પ્લાઝમા ડોનેટ માત્ર જેને કોરોના પોઝિટિવ આવ્યો હોય તે વ્યક્તિ જ કરી શકે છે અને પ્લાઝમા ડોનેટ કરવાથી કોરોના પોઝિટિવ દર્દીને સારવારમાં મદદ મળે છે અને ખૂબ જ ઝડપથી સાજા થઇ શકે છે.SP હરેશ દુધાતે જણાવ્યું હતું કે જે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હોય તેઓ બાદમાં સ્વસ્થ થઈને પરત ફર્યા હોય અને જેમનું સ્વાસ્થ્ય સારું હોય તે લોકોએ અવશ્ય પ્લાઝમા ડોનેટ કરવું જોઈએ. પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ વ્યક્તિ ઝડપથી સાજો થઇી શકે છે.