ETV Bharat / city

શ્રેય હોસ્પિટલ આગકાંડ મુદ્દે આખરે ટ્રસ્ટી વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોધાયો

author img

By

Published : Aug 11, 2020, 10:30 AM IST

અમદાવાદ શહેરમાં થોડા દિવસો પહેલા એક હોસ્પટિલના કોવિડ સેન્ટમાં આગ લાગી હતી. જેમાં ICUમાં દાખલ 8 દર્દીઓના મોત થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈ અંતે ટ્રસ્ટી વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોધાયો છે.

ahmedabad
શ્રેય હોસ્પિટલ આગ કાંડ

અમદાવાદ: શ્રેય હોસ્પિટલ આગકાંડ બાદ 4 દિવસ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ગત રોજ તપાસ કમિટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જે બાદ FSLના રિપોર્ટમાં ખામીઓ આવી તેના આધારે હોસ્પિલના ટ્રસ્ટી વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોધ્યો છે.

શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા ICUમાં દાખલ 8 દર્દીઓના મોત થયા હતા. આ મામલે કોની બેદરકારીના કારણે મોત થયું છે. તે પોલીસ નક્કી કરી શકતી નથી. ત્યારે FSL રિપોર્ટ અને પીએમ રિપોર્ટની પોલીસ દ્વારા રાહ જોવાઈ રહી હતી, ત્યારે FSL રિપોર્ટ આવ્યો હતો. જેમાં આગ લાગી ત્યાં ઉત્તરે અને દક્ષિણ દીવાલે આવેલી બારીઓ સ્ક્રુ વડે ફીટ કરવાથી ધુમાડો બહાર નીકળી શકતો નહોતો. જેથી ધુમાડો અંદર જ રહેતા ધુમાડાને કારણે આગ લાગી હતી અને ફાયર NOCના હોવાને કારણે પણ ફાયર ઓડિટ થઈ શક્યું નહોતું.

ફાયર એલાર્મ પણ નહોતું જો એલાર્મ હોય તો તરત બધાને ખબર પડતી અને આગ લાગતાં જ તમામ લોકોના જીવ બચાવી શકાયા હોત. એટલે સમગ્ર મામલે હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. જેથી મુખ્ય ટ્રસ્ટી પાસે વહીવટ હોવાથી ભરત મહત વિરુદ્ધ પોલીસે બેદરકારીનો ગુનો નોંધ્યો છે.

નવરંપુરા પોલીસ સ્ટેશનમાં બેદરકારી મામલે 336, 337, 338, 304(A) મુજબ ગુનો નોધવામાં આવ્યો છે, ત્યારે હવે પોલીસ આરોપીની ધરપકડ કરશે અને જરૂર જણાશે તો અન્ય આરોપીની પણ ધરપકડ કરવા આવશે.ગુનાની તપાસ A ડિવિઝન ACP દ્વારા કરવામાં આવશે.

અમદાવાદ: શ્રેય હોસ્પિટલ આગકાંડ બાદ 4 દિવસ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ગત રોજ તપાસ કમિટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જે બાદ FSLના રિપોર્ટમાં ખામીઓ આવી તેના આધારે હોસ્પિલના ટ્રસ્ટી વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોધ્યો છે.

શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા ICUમાં દાખલ 8 દર્દીઓના મોત થયા હતા. આ મામલે કોની બેદરકારીના કારણે મોત થયું છે. તે પોલીસ નક્કી કરી શકતી નથી. ત્યારે FSL રિપોર્ટ અને પીએમ રિપોર્ટની પોલીસ દ્વારા રાહ જોવાઈ રહી હતી, ત્યારે FSL રિપોર્ટ આવ્યો હતો. જેમાં આગ લાગી ત્યાં ઉત્તરે અને દક્ષિણ દીવાલે આવેલી બારીઓ સ્ક્રુ વડે ફીટ કરવાથી ધુમાડો બહાર નીકળી શકતો નહોતો. જેથી ધુમાડો અંદર જ રહેતા ધુમાડાને કારણે આગ લાગી હતી અને ફાયર NOCના હોવાને કારણે પણ ફાયર ઓડિટ થઈ શક્યું નહોતું.

ફાયર એલાર્મ પણ નહોતું જો એલાર્મ હોય તો તરત બધાને ખબર પડતી અને આગ લાગતાં જ તમામ લોકોના જીવ બચાવી શકાયા હોત. એટલે સમગ્ર મામલે હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. જેથી મુખ્ય ટ્રસ્ટી પાસે વહીવટ હોવાથી ભરત મહત વિરુદ્ધ પોલીસે બેદરકારીનો ગુનો નોંધ્યો છે.

નવરંપુરા પોલીસ સ્ટેશનમાં બેદરકારી મામલે 336, 337, 338, 304(A) મુજબ ગુનો નોધવામાં આવ્યો છે, ત્યારે હવે પોલીસ આરોપીની ધરપકડ કરશે અને જરૂર જણાશે તો અન્ય આરોપીની પણ ધરપકડ કરવા આવશે.ગુનાની તપાસ A ડિવિઝન ACP દ્વારા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.