અમદાવાદઃ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડને લગભગ એક મહિના જેટલો સમય થઈ ગયો છે, ત્યારે આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે તેવી માગ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ, શબાના હાશ્મી અને અન્ય 500થી વધુ મહાનુભાવો દ્વારા કરવામાં આવી છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-27-teesta-setalvad-agnikand-cbi-tapas-photostory-7204960_17092020213606_1709f_1600358766_383.png)
તિસ્તા સેતલવાડ, શબાના હાશ્મી સહિતના મહાનુભાવોએ રજૂઆત કરી છે કે, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં પોલીસ દ્વારા ખૂબ જ હળવી કલમ લગાડી આરોપીને છુટોદોરો આપવાનો કારસો કરાયો છે. પોલીસ દ્વારા IPCની કલમ 304 મુજબ ગુનો દાખલ કરવાની જરૂર હતી. આ સમગ્ર દુર્ઘનમાં 8 દર્દીઓના મોત નીપજ્યાં છે. આ સાથે જ તેમણે હોસ્પિટલમાં પૂરતા સાધનો અને CCTV કેમરા પણ બંધ અવસ્થામાં હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-27-teesta-setalvad-agnikand-cbi-tapas-photostory-7204960_17092020213606_1709f_1600358766_983.png)
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં શ્રેય હોસ્પિટલના સંચાલક અને રાજકીય વગ ધરાવતા ભરત મહંતને હળવી કલમનો ફાયદો મેળવી જામીન આપી દેવામાં આવી છે, જ્યારે અન્ય 2 કર્મચારીઓના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ કેસમાં ભીનું સંકેલાઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.