ETV Bharat / city

મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં કર્મચારી અને મુલાકાતીઓ માટે સેનેટાઇઝ ટનલ મૂકાઈ - અમદાવાદ કોરોના

અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં ગુજરાત હાઈકોર્ટના રેડ ઝોન અથવા કન્ટેનમેન્ટ વિસ્તારમા રહેતાં કર્મચારીઓને ફરજ પર ન આવવાનો આદેશ બાદ બુધવારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે મુખ્ય પરિસર પર સેનેટાઇઝ ટનલની વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્ટ આવતાં તમામ કર્મચારીઓને સેનેટાઇઝ કરવામાં આવે છે, જોકે તમામ સુનાવણી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે થાય છે.

મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં કર્મચારી અને મુલાકાતીઓ માટે સેનેટાઇઝ ટનલ મૂકાઈ
મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં કર્મચારી અને મુલાકાતીઓ માટે સેનેટાઇઝ ટનલ મૂકાઈ
author img

By

Published : May 20, 2020, 5:09 PM IST

અમદાવાદીઃ અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ રાજેશ પારેખ અને વકીલ નિસાર વૈધના સહયોગથી સેનેટાઇઝ ટનલ અન્ય કર્મચારીઓ માટે મૂકવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ કે કર્મચારી કોર્ટ પરિસરમાં હાજર થાય તો ચોપડામાં નામ, નમ્બર, એડ્રેસ સહિતની વિગતો લખ્યા બાદ તેનું ટેમ્પપ્રેચર ગનથી સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને ત્યાર બાદ સેનેટાઇઝ ટનલ થકી ગયાં બાદ તેને સેનેટાઈઝર પણ આપવામાં આવે છે. નોંધનીય છે કે અમદાવાદમાં કોરોના આગમનના લગભગ બે મહિનાના સમયગાળા બાદ સેનેટાઇઝ ચેમ્બર મૂકવામાં આવી છે.

મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં કર્મચારી અને મુલાકાતીઓ માટે સેનેટાઇઝ ટનલ મૂકાઈ

ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં સૌથી પહેલાં આ પ્રકારની સેનેટાઇઝ ચેમ્બર મુકવામાં આવી હતી. હાઈકોર્ટે રેડ ઝોન અને કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં રહેતાં તેના તમામ કર્મચારીઓને નોકરી પર હંગામી ધોરણે ન આવવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટ અને ગુજરાતની તમામ કોર્ટમાં લગભગ બે મહિનાથી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે અરજન્ટ કેસની જ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ કે અન્ય આરોપીઓને વિડીયો કોન્ફરન્સિંગથી જજ સમક્ષ રજૂ કરવામાં આવે છે.

અમદાવાદીઃ અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ રાજેશ પારેખ અને વકીલ નિસાર વૈધના સહયોગથી સેનેટાઇઝ ટનલ અન્ય કર્મચારીઓ માટે મૂકવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ કે કર્મચારી કોર્ટ પરિસરમાં હાજર થાય તો ચોપડામાં નામ, નમ્બર, એડ્રેસ સહિતની વિગતો લખ્યા બાદ તેનું ટેમ્પપ્રેચર ગનથી સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને ત્યાર બાદ સેનેટાઇઝ ટનલ થકી ગયાં બાદ તેને સેનેટાઈઝર પણ આપવામાં આવે છે. નોંધનીય છે કે અમદાવાદમાં કોરોના આગમનના લગભગ બે મહિનાના સમયગાળા બાદ સેનેટાઇઝ ચેમ્બર મૂકવામાં આવી છે.

મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં કર્મચારી અને મુલાકાતીઓ માટે સેનેટાઇઝ ટનલ મૂકાઈ

ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં સૌથી પહેલાં આ પ્રકારની સેનેટાઇઝ ચેમ્બર મુકવામાં આવી હતી. હાઈકોર્ટે રેડ ઝોન અને કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં રહેતાં તેના તમામ કર્મચારીઓને નોકરી પર હંગામી ધોરણે ન આવવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટ અને ગુજરાતની તમામ કોર્ટમાં લગભગ બે મહિનાથી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે અરજન્ટ કેસની જ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ કે અન્ય આરોપીઓને વિડીયો કોન્ફરન્સિંગથી જજ સમક્ષ રજૂ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.