ETV Bharat / city

PM Modi Pavagadh Visit: "સદીઓ અને યુગ બદલાય છે પણ આસ્થાનો શિખર શાશ્વત રહે છે"

author img

By

Published : Jun 18, 2022, 9:18 AM IST

Updated : Jun 18, 2022, 11:28 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લઈને હવે પાવાગઢ (PM Modi Pavagadh Visit) પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદી મહાકાળી માતાના મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ (Flag hoisting by PM Modi at Pavagadh temple) કર્યું હતું.

સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પણ આસ્થાનો શિખર શાશ્વત રહે છેઃ PM મોદી
સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પણ આસ્થાનો શિખર શાશ્વત રહે છેઃ PM મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ પહોંચ્યા છે. અહીં વડાપ્રધાને પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના મંદિરમાં દર્શન કર્યા હતા. સાથે જ વડાપ્રધાને કાલિકા માતાના પુનઃનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તો હવે વડાપ્રધાન મહાકાળી માતાના મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ (Flag hoisting by PM Modi at Pavagadh temple) કર્યું હતું, જે શિખર કળશ તેમજ ધ્વજદંડને સોનાથી મઢવામાં આવ્યાં છે. સાથે જ વડાપ્રધાને મહાકાળી માતાજીની આરતી પણ ઉતારી હતી. મહત્વનું છે કે, પાવાગઢનું આ મંદિર સૌથી જૂના મંદિરમાંનું એક છે. વડાપ્રધાને મંદિરના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન એપ્રિલમાં કર્યું હતું. આ મંદિર મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓને આકર્ષિત કરે છે. આ પહેલા વડાપ્રધાને મંદિરના પુનઃનિર્મિત ભાગનો વર્ષ 2017માં શિલાન્યાસ કર્યો હતો.

પાવાગઢમાં વડાપ્રધાને કર્યું ધ્વજારોહણ
પાવાગઢમાં વડાપ્રધાને કર્યું ધ્વજારોહણ

પાવાગઢ ઐતિહાસિક વિવિધતા સાથે સર્વધર્મ સમભાવનું કેન્દ્રઃ PM- આજે જે ધ્વજારોહણ થયું છે. તે ગુજરાત અને દેશના સાંસ્કૃતિક ગૌરવની ધ્વજા છે. પંચમહાલ અને ગુજરાતના લોકોએ સદીઓથી આ મંદિરની ભવ્યતા માટે પ્રયાસ કર્યો છે. ગુજરાતના તીર્થોમાં શાંતિ અને સમાધાન છે. પાવાગઢમાં આધ્યાત્મ પણ છે, ઈતિહાસ પણ છે, પ્રકૃતિ પણ છે, કલા સંસ્કૃતિ પણ છે. અહીં એક તરફ મહાકાળી માતાનું શક્તિપીઠ છે. તો બીજી તરફ જૈન મંદિરની ધરોહર પણ છે. આ સાથે જ પાવાગઢ ભારતની ઐતિહાસિક વિવિધતા સાથે સર્વધર્મ સમભાવનું કેન્દ્ર રહ્યું છે. પંચમહાલમાં પ્રવાસનની સંભાવનાઓની સાથે સાથે અહીંના યુવાનો માટે મોટી સંખ્યામાં નવી તક ઊભી થશે. આદિવાસી ભાઈબહેનો માટે રોજગારની નવી તક આવશે.

  • #WATCH गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने पंचमहल ज़िले के पावागढ़ पहाड़ी पर कालिका माता मंदिर में पूजा की। pic.twitter.com/E029qJeTvN

    — ANI_HindiNews (@AHindinews) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વર્ષો પછી PM આવ્યા પાવાગઢ - વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ગુજરાતના તીર્થ નવી વિકાસયાત્રામાં આગળ વધી રહ્યા છે. વર્ષો પછી પાવાગઢ આવવાની તક મળી. આ ક્ષણ આપણને પ્રેરણા અને ઊર્જા આપે છે. શક્તિ ક્યારેય લુપ્ત થતી નથી.

પાવાગઢમાં વડાપ્રધાને કર્યું ધ્વજારોહણ
પાવાગઢમાં વડાપ્રધાને કર્યું ધ્વજારોહણ

આસ્થાનો શિખર શાશ્વત રહે છે: PM - આ શિખર ધ્વજ એ વાતનું પ્રતીક છે કે, સદીઓ બદલાય છે, યુગ બદલે છે, પરંતુ લોકોની આસ્થાનો શિખર શાશ્વત રહે છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવા જઈ રહેલું છે. કાશીમાં વિશ્વનાથ ધામ બની રહ્યું છે. સાથે જ કેદારબાબાનું ધામ બની રહ્યું છે. આજે ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુનઃસ્થાપિત થઈ રહ્યા છે. આજે નવું ભારત પોતાની આધૂનિક આકાંક્ષાઓ સાથે પોતાની પ્રાચીન ધરોહરો અને ઓળખને પણ તે જ ઉંમગ ઉત્સાહ સાથે જીવી રહ્યું છે. દરેક ભારતીય તેની પર ગર્વ કરી રહ્યો છે.

પાવાગઢમાં વડાપ્રધાને કર્યું ધ્વજારોહણ
પાવાગઢમાં વડાપ્રધાને કર્યું ધ્વજારોહણ

આઝાદીમાં પણ ગુજરાતનું યોગદાન મહત્વનુંઃ PM - વડાપ્રધાને સંબોધનમાં ઉમેર્યું હતું કે, ગુજરાતે દેશની આઝાદીમાં જેટલું યોગદાન આપ્યું છે. તેટલું જ યોગદાન દેશના વિકાસમાં પણ આપ્યું છે. ગરવી ગુજરાત ભારતના ગર્વ અને શાનનો પર્યાય છે. ગુજરાતે ભારતના વેપારનું પણ નેતૃત્વ કર્યું અને ભારતની આધ્યાત્મિકતાનું પણ રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો છે. સદીઓના સંઘર્ષ પછી જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણે ગુલામી અને અત્યાચારના ઘાથી ભરાયેલા હતા. તે સમયે આપણામાં આપણો દેશ ફરી ઊભો કરવાનો પડકાર હતો. ભારતની સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત પણ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતથી થઈ હતી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણ રાષ્ટ્રના પુનઃનિર્માણના સંકલ્પમાં આપણી સામે આવ્યો હતો.

પાવાગઢ મહાકાળી માતા
પાવાગઢ મહાકાળી માતા

પાવાગઢની યાત્રા બની સરળ - આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે, પહેલા પાવાગઢની યાત્રા મુશ્કેલ હતી. લોકો કહેતા કે, જીવનમાં એક વાર તો માતાના દર્શન કરવા જોઈએ. આજે અહીંની વધતી જતી સુવિધાઓના કારણે દર્શનને સુલભ બનાવવું મુશ્કેલ બન્યું છે. હવે બાળકો, યુવાનો, વૃદ્ધો, દિવ્યાંગો સરળતાથી માતાના ચરણોમાં આવીને પ્રસાદનો લાભ લઈ શકશે.

પાવાગઢ મંદિર
પાવાગઢ મંદિર

PM મોદીનું સંબોધન - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ ખાતે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સદીઓ સુધી અને આઝાદીના 75 વર્ષ પછી પણ અહીં ધ્વજારોહાણ નહતું કરવામાં આવ્યું. પરંતુ આજે આ ઐતિહાસિક કામ થઈ રહ્યું છે. આજે સદીઓ પછી મહાકાળી માતાનું આ મંદિર પોતાના વિશાળ સ્વરૂપમાં આપણી સામે છે. આજે સદીઓ પછી પાવાગઢ મંદિરમાં ફરી એક વાર શિખર પર ધ્વજારોહણ થયું છે.

આજે પાવાગઢનો ઈતિહાસ બદલાશે - પાવાગઢના ઈતિહાસ મુજબ, 500 વર્ષ પહેલાં પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો. મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડીત કરી દીધું હતું. સાથે જ મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર 500 વર્ષથી ધ્વજા (Flag hoisting by PM Modi at Pavagadh temple) ફરકાવવામાં નહતી આવી. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢમાં ધ્વજારોહણ (Flag hoisting by PM Modi at Pavagadh temple) કરશે. આ સાથે જ 500 વર્ષ જૂનો ઈતિહાસ બદલાશે.

  • गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने पंचमहल ज़िले के पावागढ़ पहाड़ी पर पुनर्विकसित कालिका माता मंदिर का दौरा किया और मंदिर का उद्घाटन किया। इस दौरान उनके साथ राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल भी मौज़ूद थे। pic.twitter.com/NVlUNq6Dl6

    — ANI_HindiNews (@AHindinews) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શિખરની જગ્યાએ દરગાહ હતી તે સમજાવટથી અલગ કરી - 15મી સદીમાં પાવાગઢ ઉપર ચઢાઈ થયા બાદ મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. આ શિખરને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ પાવાગઢ પહાડની ટોચ વિશાળ કરી મોટા પરિસરનો પાયો બનાવવામાં આવ્યો. ત્યારબાદ પરિસરના પહેલા તથા બીજા માળે આનુષંગિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. માતાજીના ગર્ભગૃહમાં મૂળ સ્થાપન યથાવત્ રાખીને સંપૂર્ણ મંદિર નવું બનાવી મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવ્યો છે. માતાજીના જૂના મંદિરમાં જ્યાં શિખરની જગ્યાએ દરગાહ હતી. તે સમજાવટથી અલગ કરી નવું શિખર બનાવવામાં આવ્યું છે, જેના પર ધ્વજદંડક પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.

  • Gujarat | Prime Minister Narendra Modi inaugurates the redeveloped Kalika Mata temple atop the Pavagadh hill in Panchmahal district. CM Bhupendra Patel also present with the Prime Minister. pic.twitter.com/o1YEeD1p5a

    — ANI (@ANI) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મંદિરની કાયાકલ્પ કરવામાં આવી - પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતાં આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી, જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. તો હવે મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવતા 2,000 લોકો સાથે દર્શન કરી શકશે. આ ઉપરાંત માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2,200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. તો અપર સ્ટેશનથી દૂધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવાયા છે.

  • आज सदियों बाद पावागढ़ मंदिर में एक बार फिर से मंदिर के शिखर पर ध्वज फहरा रहा है। यह शिखर ध्वज केवल हमारी आस्था और आध्यात्म का ही प्रतीक नहीं है। यह शिखर ध्वज इस बात का भी प्रतीक है कि सदियां बदलती हैं, युग बदलते हैं, लेकिन आस्था का शिखर शाश्वत रहता है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/YExHZUc8K4

    — ANI_HindiNews (@AHindinews) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટૂંક સમયમાં બનશે યજ્ઞશાળા બનશે - હવે આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ દૂધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે 2 વિશાળ લિફ્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ પહોંચ્યા છે. અહીં વડાપ્રધાને પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના મંદિરમાં દર્શન કર્યા હતા. સાથે જ વડાપ્રધાને કાલિકા માતાના પુનઃનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તો હવે વડાપ્રધાન મહાકાળી માતાના મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ (Flag hoisting by PM Modi at Pavagadh temple) કર્યું હતું, જે શિખર કળશ તેમજ ધ્વજદંડને સોનાથી મઢવામાં આવ્યાં છે. સાથે જ વડાપ્રધાને મહાકાળી માતાજીની આરતી પણ ઉતારી હતી. મહત્વનું છે કે, પાવાગઢનું આ મંદિર સૌથી જૂના મંદિરમાંનું એક છે. વડાપ્રધાને મંદિરના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન એપ્રિલમાં કર્યું હતું. આ મંદિર મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓને આકર્ષિત કરે છે. આ પહેલા વડાપ્રધાને મંદિરના પુનઃનિર્મિત ભાગનો વર્ષ 2017માં શિલાન્યાસ કર્યો હતો.

પાવાગઢમાં વડાપ્રધાને કર્યું ધ્વજારોહણ
પાવાગઢમાં વડાપ્રધાને કર્યું ધ્વજારોહણ

પાવાગઢ ઐતિહાસિક વિવિધતા સાથે સર્વધર્મ સમભાવનું કેન્દ્રઃ PM- આજે જે ધ્વજારોહણ થયું છે. તે ગુજરાત અને દેશના સાંસ્કૃતિક ગૌરવની ધ્વજા છે. પંચમહાલ અને ગુજરાતના લોકોએ સદીઓથી આ મંદિરની ભવ્યતા માટે પ્રયાસ કર્યો છે. ગુજરાતના તીર્થોમાં શાંતિ અને સમાધાન છે. પાવાગઢમાં આધ્યાત્મ પણ છે, ઈતિહાસ પણ છે, પ્રકૃતિ પણ છે, કલા સંસ્કૃતિ પણ છે. અહીં એક તરફ મહાકાળી માતાનું શક્તિપીઠ છે. તો બીજી તરફ જૈન મંદિરની ધરોહર પણ છે. આ સાથે જ પાવાગઢ ભારતની ઐતિહાસિક વિવિધતા સાથે સર્વધર્મ સમભાવનું કેન્દ્ર રહ્યું છે. પંચમહાલમાં પ્રવાસનની સંભાવનાઓની સાથે સાથે અહીંના યુવાનો માટે મોટી સંખ્યામાં નવી તક ઊભી થશે. આદિવાસી ભાઈબહેનો માટે રોજગારની નવી તક આવશે.

  • #WATCH गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने पंचमहल ज़िले के पावागढ़ पहाड़ी पर कालिका माता मंदिर में पूजा की। pic.twitter.com/E029qJeTvN

    — ANI_HindiNews (@AHindinews) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વર્ષો પછી PM આવ્યા પાવાગઢ - વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ગુજરાતના તીર્થ નવી વિકાસયાત્રામાં આગળ વધી રહ્યા છે. વર્ષો પછી પાવાગઢ આવવાની તક મળી. આ ક્ષણ આપણને પ્રેરણા અને ઊર્જા આપે છે. શક્તિ ક્યારેય લુપ્ત થતી નથી.

પાવાગઢમાં વડાપ્રધાને કર્યું ધ્વજારોહણ
પાવાગઢમાં વડાપ્રધાને કર્યું ધ્વજારોહણ

આસ્થાનો શિખર શાશ્વત રહે છે: PM - આ શિખર ધ્વજ એ વાતનું પ્રતીક છે કે, સદીઓ બદલાય છે, યુગ બદલે છે, પરંતુ લોકોની આસ્થાનો શિખર શાશ્વત રહે છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવા જઈ રહેલું છે. કાશીમાં વિશ્વનાથ ધામ બની રહ્યું છે. સાથે જ કેદારબાબાનું ધામ બની રહ્યું છે. આજે ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુનઃસ્થાપિત થઈ રહ્યા છે. આજે નવું ભારત પોતાની આધૂનિક આકાંક્ષાઓ સાથે પોતાની પ્રાચીન ધરોહરો અને ઓળખને પણ તે જ ઉંમગ ઉત્સાહ સાથે જીવી રહ્યું છે. દરેક ભારતીય તેની પર ગર્વ કરી રહ્યો છે.

પાવાગઢમાં વડાપ્રધાને કર્યું ધ્વજારોહણ
પાવાગઢમાં વડાપ્રધાને કર્યું ધ્વજારોહણ

આઝાદીમાં પણ ગુજરાતનું યોગદાન મહત્વનુંઃ PM - વડાપ્રધાને સંબોધનમાં ઉમેર્યું હતું કે, ગુજરાતે દેશની આઝાદીમાં જેટલું યોગદાન આપ્યું છે. તેટલું જ યોગદાન દેશના વિકાસમાં પણ આપ્યું છે. ગરવી ગુજરાત ભારતના ગર્વ અને શાનનો પર્યાય છે. ગુજરાતે ભારતના વેપારનું પણ નેતૃત્વ કર્યું અને ભારતની આધ્યાત્મિકતાનું પણ રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો છે. સદીઓના સંઘર્ષ પછી જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણે ગુલામી અને અત્યાચારના ઘાથી ભરાયેલા હતા. તે સમયે આપણામાં આપણો દેશ ફરી ઊભો કરવાનો પડકાર હતો. ભારતની સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત પણ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતથી થઈ હતી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણ રાષ્ટ્રના પુનઃનિર્માણના સંકલ્પમાં આપણી સામે આવ્યો હતો.

પાવાગઢ મહાકાળી માતા
પાવાગઢ મહાકાળી માતા

પાવાગઢની યાત્રા બની સરળ - આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે, પહેલા પાવાગઢની યાત્રા મુશ્કેલ હતી. લોકો કહેતા કે, જીવનમાં એક વાર તો માતાના દર્શન કરવા જોઈએ. આજે અહીંની વધતી જતી સુવિધાઓના કારણે દર્શનને સુલભ બનાવવું મુશ્કેલ બન્યું છે. હવે બાળકો, યુવાનો, વૃદ્ધો, દિવ્યાંગો સરળતાથી માતાના ચરણોમાં આવીને પ્રસાદનો લાભ લઈ શકશે.

પાવાગઢ મંદિર
પાવાગઢ મંદિર

PM મોદીનું સંબોધન - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ ખાતે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સદીઓ સુધી અને આઝાદીના 75 વર્ષ પછી પણ અહીં ધ્વજારોહાણ નહતું કરવામાં આવ્યું. પરંતુ આજે આ ઐતિહાસિક કામ થઈ રહ્યું છે. આજે સદીઓ પછી મહાકાળી માતાનું આ મંદિર પોતાના વિશાળ સ્વરૂપમાં આપણી સામે છે. આજે સદીઓ પછી પાવાગઢ મંદિરમાં ફરી એક વાર શિખર પર ધ્વજારોહણ થયું છે.

આજે પાવાગઢનો ઈતિહાસ બદલાશે - પાવાગઢના ઈતિહાસ મુજબ, 500 વર્ષ પહેલાં પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો. મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડીત કરી દીધું હતું. સાથે જ મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર 500 વર્ષથી ધ્વજા (Flag hoisting by PM Modi at Pavagadh temple) ફરકાવવામાં નહતી આવી. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢમાં ધ્વજારોહણ (Flag hoisting by PM Modi at Pavagadh temple) કરશે. આ સાથે જ 500 વર્ષ જૂનો ઈતિહાસ બદલાશે.

  • गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने पंचमहल ज़िले के पावागढ़ पहाड़ी पर पुनर्विकसित कालिका माता मंदिर का दौरा किया और मंदिर का उद्घाटन किया। इस दौरान उनके साथ राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल भी मौज़ूद थे। pic.twitter.com/NVlUNq6Dl6

    — ANI_HindiNews (@AHindinews) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શિખરની જગ્યાએ દરગાહ હતી તે સમજાવટથી અલગ કરી - 15મી સદીમાં પાવાગઢ ઉપર ચઢાઈ થયા બાદ મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. આ શિખરને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ પાવાગઢ પહાડની ટોચ વિશાળ કરી મોટા પરિસરનો પાયો બનાવવામાં આવ્યો. ત્યારબાદ પરિસરના પહેલા તથા બીજા માળે આનુષંગિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. માતાજીના ગર્ભગૃહમાં મૂળ સ્થાપન યથાવત્ રાખીને સંપૂર્ણ મંદિર નવું બનાવી મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવ્યો છે. માતાજીના જૂના મંદિરમાં જ્યાં શિખરની જગ્યાએ દરગાહ હતી. તે સમજાવટથી અલગ કરી નવું શિખર બનાવવામાં આવ્યું છે, જેના પર ધ્વજદંડક પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.

  • Gujarat | Prime Minister Narendra Modi inaugurates the redeveloped Kalika Mata temple atop the Pavagadh hill in Panchmahal district. CM Bhupendra Patel also present with the Prime Minister. pic.twitter.com/o1YEeD1p5a

    — ANI (@ANI) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મંદિરની કાયાકલ્પ કરવામાં આવી - પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતાં આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી, જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. તો હવે મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવતા 2,000 લોકો સાથે દર્શન કરી શકશે. આ ઉપરાંત માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2,200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. તો અપર સ્ટેશનથી દૂધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવાયા છે.

  • आज सदियों बाद पावागढ़ मंदिर में एक बार फिर से मंदिर के शिखर पर ध्वज फहरा रहा है। यह शिखर ध्वज केवल हमारी आस्था और आध्यात्म का ही प्रतीक नहीं है। यह शिखर ध्वज इस बात का भी प्रतीक है कि सदियां बदलती हैं, युग बदलते हैं, लेकिन आस्था का शिखर शाश्वत रहता है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/YExHZUc8K4

    — ANI_HindiNews (@AHindinews) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટૂંક સમયમાં બનશે યજ્ઞશાળા બનશે - હવે આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ દૂધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે 2 વિશાળ લિફ્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.

Last Updated : Jun 18, 2022, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.