ETV Bharat / city

ખરીફ-2020ના પાક માટે 7 જૂનથી નર્મદાનું પાણી કેનાલ મારફતે અપાશે : નીતિન પટેલ - નાયબ સીએમ નિતીન પટેલ

ખેડૂતોની માગણીને આધારે સરકાર દ્વારા ખરીફ પાસ માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. સરદાર સરોવર નર્મદા બંધ દ્વારા ગુજરાતના લાખો ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી તથા ૪ કરોડ કરતાં વધુ નાગરિકોને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે. સુજલામ-સુફલામ યોજના, સૌની યોજના દ્વારા પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સુધી નર્મદાના પાણીનો લાભ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

ખરીફ-2020ના પાક માટે 7 જૂનથી નર્મદાનું પાણી કેનાલો મારફતે અપાશે : નીતિન પટેલ
ખરીફ-2020ના પાક માટે 7 જૂનથી નર્મદાનું પાણી કેનાલો મારફતે અપાશે : નીતિન પટેલ
author img

By

Published : Jun 4, 2020, 7:56 PM IST

અમદાવાદઃ નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને સિંચાઇની સુવિધા પુરી પાડવા માટે હવે આગામી ખરીફ સીઝન-ચોમાસાની સીઝનના વાવેતર માટે ખેડૂતો તરફથી રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા મંત્રી તરીકે મેં અને મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ચર્ચા કર્યા બાદ નવી સીઝનમાં વાવેતર માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ખરીફ-૨૦૨૦ ના પાક માટે આગામી ૭ મી જુન, રવિવારથી નર્મદાના નીર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સમગ્ર નર્મદા કમાન્ડ વિસ્તારના ૧૪ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરતા ખેડૂતો, સુજલામ-સુફલામ યોજના, સૌની યોજના દ્વારા પાણી મેળવી વાવેતર કરતાં ખેડૂતો, ફતેહવાડી અને ખારીકટ કેનાલ દ્વારા પાણી મેળવતાં ખેડૂતોને વાવેતર માટે પાણી મળી રહેશે અને ગુજરાતના ખેડૂતોની મહેનત અને નર્મદા મૈયાના નીર થકી આગામી ખરીફ સીઝનમાં પણ દર વર્ષની જેમ ખેડૂતો વિપુલ પ્રમાણમાં વિવિધ પાકોનું ઉત્પાદન કરીને ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.

ખરીફ-2020ના પાક માટે 7 જૂનથી નર્મદાનું પાણી કેનાલો મારફતે અપાશે : નીતિન પટેલ
ખરીફ-2020ના પાક માટે 7 જૂનથી નર્મદાનું પાણી કેનાલો મારફતે અપાશે : નીતિન પટેલ
ખરીફ પાકની સીઝનમાં ખેડૂતોને જરૂરિયાત મુજબનું પાણી સિંચાઇ માટે આપવામાં આવનાર છે. છેલ્લાં પાંચ વર્ષની સરખામણીએ જોઇએ તો આ વર્ષે અત્યારે સરદાર સરોવર બંધમાં સૌથી વધુ એટલે કે, ૧૨૩.૬૧ મીટરની ઉંચાઇએ ૧.૫૧ મીલીયન એકરફીટ પાણી ઉપલબ્ધ છે. જેનો લાભ આગામી ચોમાસામાં નવું પાણી આવે તે પહેલાં ગુજરાતના લાખો ખેડૂતો અને પશુપાલકોને વધુમાં વધુ લાભ મળે તે માટે સરદાર સરોવર નર્મદા નિગમ અને રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે.

અમદાવાદઃ નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને સિંચાઇની સુવિધા પુરી પાડવા માટે હવે આગામી ખરીફ સીઝન-ચોમાસાની સીઝનના વાવેતર માટે ખેડૂતો તરફથી રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા મંત્રી તરીકે મેં અને મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ચર્ચા કર્યા બાદ નવી સીઝનમાં વાવેતર માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ખરીફ-૨૦૨૦ ના પાક માટે આગામી ૭ મી જુન, રવિવારથી નર્મદાના નીર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સમગ્ર નર્મદા કમાન્ડ વિસ્તારના ૧૪ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરતા ખેડૂતો, સુજલામ-સુફલામ યોજના, સૌની યોજના દ્વારા પાણી મેળવી વાવેતર કરતાં ખેડૂતો, ફતેહવાડી અને ખારીકટ કેનાલ દ્વારા પાણી મેળવતાં ખેડૂતોને વાવેતર માટે પાણી મળી રહેશે અને ગુજરાતના ખેડૂતોની મહેનત અને નર્મદા મૈયાના નીર થકી આગામી ખરીફ સીઝનમાં પણ દર વર્ષની જેમ ખેડૂતો વિપુલ પ્રમાણમાં વિવિધ પાકોનું ઉત્પાદન કરીને ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.

ખરીફ-2020ના પાક માટે 7 જૂનથી નર્મદાનું પાણી કેનાલો મારફતે અપાશે : નીતિન પટેલ
ખરીફ-2020ના પાક માટે 7 જૂનથી નર્મદાનું પાણી કેનાલો મારફતે અપાશે : નીતિન પટેલ
ખરીફ પાકની સીઝનમાં ખેડૂતોને જરૂરિયાત મુજબનું પાણી સિંચાઇ માટે આપવામાં આવનાર છે. છેલ્લાં પાંચ વર્ષની સરખામણીએ જોઇએ તો આ વર્ષે અત્યારે સરદાર સરોવર બંધમાં સૌથી વધુ એટલે કે, ૧૨૩.૬૧ મીટરની ઉંચાઇએ ૧.૫૧ મીલીયન એકરફીટ પાણી ઉપલબ્ધ છે. જેનો લાભ આગામી ચોમાસામાં નવું પાણી આવે તે પહેલાં ગુજરાતના લાખો ખેડૂતો અને પશુપાલકોને વધુમાં વધુ લાભ મળે તે માટે સરદાર સરોવર નર્મદા નિગમ અને રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.