ETV Bharat / city

95 ટકાથી વધુ હેલ્થકેર વર્કસ કોવિડ-19ની રસી લેવા માટે ધરાવે છે ઈચ્છા

author img

By

Published : Jun 6, 2021, 10:39 AM IST

એશિયા-પેસિફિક ક્ષેત્રના 6 દેશના હેલ્થકેર ક્ષેત્રના 1700 કર્મચારીઓના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ સમુદાયમાં વેક્સિનની સ્વિકાર્યતા છે. 95 ટકાથી વધુ હેલ્થકેર વર્કર્સ(Health care workers) કોવિડ-19ની રસી લેવાની ઈચ્છા ધરાવે છે, તેવું ભારત સહિત 6 દેશોના અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ અભ્યાસના તારણો મે-2021માં પ્રતિષ્ઠીત ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઇન્ફેકશીયસ ડિસિઝમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

95 ટકાથી વધુ હેલ્થકેર વર્કસ કોવિડ-19ની રસી લેવા માટે ધરાવે છે ઈચ્છા
95 ટકાથી વધુ હેલ્થકેર વર્કસ કોવિડ-19ની રસી લેવા માટે ધરાવે છે ઈચ્છા
  • હેલ્થ વર્કર્સ પર બહૂરાષ્ટ્રીય સર્વેક્ષણ
  • 95 ટકા હેલ્થકેર વર્કર્સ કોવિડ-19ની રસી લેવા માટે ઈચ્છા ધરાવે છે
  • એશિયા પેસિફિક ક્ષેત્રમાં 06 દેશમાં સર્વેક્ષણ

અમદાવાદઃ એશિયા-પેસિફિક ક્ષેત્રના 6 દેશના હેલ્થકેર ક્ષેત્રના 1700 કર્મચારીઓના અભ્યાસનું સંચાલન હેલ્થકેર વર્કર્સ (Health care workers) કોવિડ-19ની રસી લેવાની કેટલી ઈચ્છા ધરાવે છે, તેના મૂલ્યાંકન માટે હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય જનતામાં જ્યારે રસી લેવા અંગે ખચકાટ અનુભવાય છે. ત્યારે આ અભ્યાસના તારણો મહત્વના બની રહે છે.

ડો. અરવિંદ શર્મા
ડો. અરવિંદ શર્મા

આ પણ વાંચોઃ AMTSના 1600 જેટલા સ્ટાફમાંથી મોટાભાગના લોકોએ લીધી રસી

સામાન્ય જનતામાં રસી અંગે ગેરમાન્યતાઓ

એશિયા પેસિફીક ક્ષેત્રના 6 દેશોના 1720 હેલ્થકેર વર્કર્સ(Health care workers) કે જેમાં વિયેતનામ 472, ઈન્ડોનેશિયા 430, ભારત 406, ચીન 303, સિંગાપોર 161 અને ભૂતાનના 47 હેલ્થકેર વર્કર્સ (Health care workers) આ અભ્યાસમાં સામેલ થયા હતા અને રસી લેવાની તેમની ઈચ્છા અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ અભ્યાસનો હેતુ કોવિડ-19 અંગે દ્રષ્ટિકોણ, વેક્સિન અંગેની ચિંતા, માન્યતા અને હેલ્થકેર ઓથોરિટીમાં વિશ્વાસ જેવી બાબતો જાણવાનો સમાવેશ કરાયો હતો.

ડો.કલ્પેશ તલાટી
ડો.કલ્પેશ તલાટી

સિંગાપોર, અમદાવાદ, હૈદરાબાદ અને ઇરોડના ડોક્ટરોએ કર્યો અભ્યાસ

આ અભ્યાસ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર(National University of Singapore)ના પ્રોફેસર વિજય શર્મા, ઝાયડસ હોસ્પિટલ(Zydus Hospital)અમદાવાદના ડો. અરવિંદ શર્મા અને ડો. કલ્પેશ તલાટી, યશોદા હોસ્પિટલ(Yashoda Hospital) હૈદરાબાદના ડો. કોમલ કુમાર આર.એન અને સેંથીલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ(Senthil Multi Specialty Hospital) ઈરોડના ડો. મિનાક્ષી પીવીએ હાથ ધર્યો હતો.

ડો. વિજય શર્મા, સિંગાપોર
ડો. વિજય શર્મા, સિંગાપોર

મોટાભાગના હેલ્થકેર વર્કર્સને ઓથોરિટીમાં વિશ્વાસ

આ અભ્યાસના તારણો અંગે ડો. અરવિંદ શર્મા જણાવે છે કે “સર્વેક્ષણ હેઠળ આવરી લેવાયેલા 95 ટકાથી વધુ હેલ્થકેર વર્કર્સ(Health care workers) રસી લેવાની ઈચ્છા ધરાવે છે. પ્રતિભાવ આપનારા લોકો મહામારીને ગંભીર ગણીને રસીને સલામત માને છે અને ખર્ચ અંગે ચિંતા ધરાવતા નથી. રસીને દોષ દેવાનું વલણ ધરાવતા નથી અને હેલ્થ ઓથોરિટીમાં વિશ્વાસ ધરાવે છે.”

ભારતમાં મોટાભાગના હેલ્થવર્કર્સે રસી લીધી

ભારત સહિતના ઘણાં દેશોએ હેલ્થકેર વર્કર્સ(Health care workers), ફ્રન્ટલાઈન વર્કસ અને વરિષ્ઠ નાગરિકો તથા તે પછી સમગ્ર પુખ્તવયની વ્યક્તિ માટે રસીકરણ ખૂલ્લું મૂક્યું છે. ભારતમાં 21 કરોડથી વધુ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે, જેમાં હેલ્થકેર વર્કસના મોટા સમુદાયનો સમાવેશ થાય છે.

તમામ લોકોએ રસીને સલામત અને અસરકારક માની

ઝાયડસ હોસ્પિટલના ફિઝિશ્યન ડો. કલ્પેશ તલાટી જણાવે છે કે, “આ અભ્યાસના તારણોથી ખાત્રી થઈ છે કે, 95 ટકાથી વધુ હેલ્થકેર વર્કર્સ કોઈપણ ભૌગોલિક સ્થળે કામ કરતા હોય તો પણ રસી લેવાની ઈચ્છા ધરાવે છે. અભ્યાસમાં સામેલ થનાર માત્ર 3.8 ટકા લોકોએ રસી લેવાની ઈચ્છા ધરાવી ન હતી. મહત્વની બાબત એ છે કે, અભ્યાસમાં સામેલ થનારા લગભગ તમામ લોકોએ રસીને સલામત અને અસરકારક માની છે.”

કુટુંબને લઈને હેલ્થવર્કર્સ વધુ ચિંતાગ્રસ્ત

આ અભ્યાસથી એવો પણ નિર્દેશ મળે છે કે, જે લોકો રસી લેવાની ઈચ્છા ધરાવે છે તે લોકો બાળકો અને આશ્રિતો છે. જે લોકો રસી લેવાની ઈચ્છા ધરાવતા નથી (48.3 ટકા વિરૂધ્ધ 35.4 ટકા) એ લોકો નિયમિતપણે શારીરિક પ્રવૃત્તિમાં જોડાયેલા છે.

રસી લેવામાં ઓછુ જોખમ છે

અભ્યાસમાં સામેલ થયેલા લોકોમાં અગાઉ હાર્ટ ફેઈલ્યોર અને અસ્થમા જેવી ફિઝીકલ કો-મોર્બિલીટી સ્થિતિ પ્રવર્તતી હતી. તે લોકો રસી લેવાની ઈચ્છા ધરાવતા ન હતા. એવું માનવામાં આવે છે કે, રસી લેવામાં ઓછુ જોખમ છે અને સમાજ વચ્ચે રહેવાની ઈચ્છાના કારણે પણ હેલ્થકેર વર્કર્સ(Health care workers) રસી લેવાની ઈચ્છા ધરાવે છે.

આ પણ વાંચોઃ સિદ્ધાર્થનગર 20 લોકોને જુદી જુદી કંપનીઓની કોવિડ રસી આપવામાં આવી

રસીકરણની વ્યૂહરચના ઘડવી જરૂરી

ડો.વિજય કે. શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, “આ અભ્યાસના તારણોથી અન્ય દેશોમાં રસીકરણની વ્યૂહરચના ઘડી શકાશે.” આ અભ્યાસમાં જે હેલ્થકેર વર્કર્સે(Health care workers) ભાગ લીધો હતો. તેમાં ફિઝીશ્યન્સ, નર્સ સંબંધિત હેલ્થકેર પ્રોવાઈડર્સ, મેડિકલના વિદ્યાર્થીઓ, ટેક્નિશ્યનો, મહત્વના સ્ટાફ અને વહિવટી સ્ટાફનો સમાવેશ થાય છે.

  • હેલ્થ વર્કર્સ પર બહૂરાષ્ટ્રીય સર્વેક્ષણ
  • 95 ટકા હેલ્થકેર વર્કર્સ કોવિડ-19ની રસી લેવા માટે ઈચ્છા ધરાવે છે
  • એશિયા પેસિફિક ક્ષેત્રમાં 06 દેશમાં સર્વેક્ષણ

અમદાવાદઃ એશિયા-પેસિફિક ક્ષેત્રના 6 દેશના હેલ્થકેર ક્ષેત્રના 1700 કર્મચારીઓના અભ્યાસનું સંચાલન હેલ્થકેર વર્કર્સ (Health care workers) કોવિડ-19ની રસી લેવાની કેટલી ઈચ્છા ધરાવે છે, તેના મૂલ્યાંકન માટે હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય જનતામાં જ્યારે રસી લેવા અંગે ખચકાટ અનુભવાય છે. ત્યારે આ અભ્યાસના તારણો મહત્વના બની રહે છે.

ડો. અરવિંદ શર્મા
ડો. અરવિંદ શર્મા

આ પણ વાંચોઃ AMTSના 1600 જેટલા સ્ટાફમાંથી મોટાભાગના લોકોએ લીધી રસી

સામાન્ય જનતામાં રસી અંગે ગેરમાન્યતાઓ

એશિયા પેસિફીક ક્ષેત્રના 6 દેશોના 1720 હેલ્થકેર વર્કર્સ(Health care workers) કે જેમાં વિયેતનામ 472, ઈન્ડોનેશિયા 430, ભારત 406, ચીન 303, સિંગાપોર 161 અને ભૂતાનના 47 હેલ્થકેર વર્કર્સ (Health care workers) આ અભ્યાસમાં સામેલ થયા હતા અને રસી લેવાની તેમની ઈચ્છા અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ અભ્યાસનો હેતુ કોવિડ-19 અંગે દ્રષ્ટિકોણ, વેક્સિન અંગેની ચિંતા, માન્યતા અને હેલ્થકેર ઓથોરિટીમાં વિશ્વાસ જેવી બાબતો જાણવાનો સમાવેશ કરાયો હતો.

ડો.કલ્પેશ તલાટી
ડો.કલ્પેશ તલાટી

સિંગાપોર, અમદાવાદ, હૈદરાબાદ અને ઇરોડના ડોક્ટરોએ કર્યો અભ્યાસ

આ અભ્યાસ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર(National University of Singapore)ના પ્રોફેસર વિજય શર્મા, ઝાયડસ હોસ્પિટલ(Zydus Hospital)અમદાવાદના ડો. અરવિંદ શર્મા અને ડો. કલ્પેશ તલાટી, યશોદા હોસ્પિટલ(Yashoda Hospital) હૈદરાબાદના ડો. કોમલ કુમાર આર.એન અને સેંથીલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ(Senthil Multi Specialty Hospital) ઈરોડના ડો. મિનાક્ષી પીવીએ હાથ ધર્યો હતો.

ડો. વિજય શર્મા, સિંગાપોર
ડો. વિજય શર્મા, સિંગાપોર

મોટાભાગના હેલ્થકેર વર્કર્સને ઓથોરિટીમાં વિશ્વાસ

આ અભ્યાસના તારણો અંગે ડો. અરવિંદ શર્મા જણાવે છે કે “સર્વેક્ષણ હેઠળ આવરી લેવાયેલા 95 ટકાથી વધુ હેલ્થકેર વર્કર્સ(Health care workers) રસી લેવાની ઈચ્છા ધરાવે છે. પ્રતિભાવ આપનારા લોકો મહામારીને ગંભીર ગણીને રસીને સલામત માને છે અને ખર્ચ અંગે ચિંતા ધરાવતા નથી. રસીને દોષ દેવાનું વલણ ધરાવતા નથી અને હેલ્થ ઓથોરિટીમાં વિશ્વાસ ધરાવે છે.”

ભારતમાં મોટાભાગના હેલ્થવર્કર્સે રસી લીધી

ભારત સહિતના ઘણાં દેશોએ હેલ્થકેર વર્કર્સ(Health care workers), ફ્રન્ટલાઈન વર્કસ અને વરિષ્ઠ નાગરિકો તથા તે પછી સમગ્ર પુખ્તવયની વ્યક્તિ માટે રસીકરણ ખૂલ્લું મૂક્યું છે. ભારતમાં 21 કરોડથી વધુ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે, જેમાં હેલ્થકેર વર્કસના મોટા સમુદાયનો સમાવેશ થાય છે.

તમામ લોકોએ રસીને સલામત અને અસરકારક માની

ઝાયડસ હોસ્પિટલના ફિઝિશ્યન ડો. કલ્પેશ તલાટી જણાવે છે કે, “આ અભ્યાસના તારણોથી ખાત્રી થઈ છે કે, 95 ટકાથી વધુ હેલ્થકેર વર્કર્સ કોઈપણ ભૌગોલિક સ્થળે કામ કરતા હોય તો પણ રસી લેવાની ઈચ્છા ધરાવે છે. અભ્યાસમાં સામેલ થનાર માત્ર 3.8 ટકા લોકોએ રસી લેવાની ઈચ્છા ધરાવી ન હતી. મહત્વની બાબત એ છે કે, અભ્યાસમાં સામેલ થનારા લગભગ તમામ લોકોએ રસીને સલામત અને અસરકારક માની છે.”

કુટુંબને લઈને હેલ્થવર્કર્સ વધુ ચિંતાગ્રસ્ત

આ અભ્યાસથી એવો પણ નિર્દેશ મળે છે કે, જે લોકો રસી લેવાની ઈચ્છા ધરાવે છે તે લોકો બાળકો અને આશ્રિતો છે. જે લોકો રસી લેવાની ઈચ્છા ધરાવતા નથી (48.3 ટકા વિરૂધ્ધ 35.4 ટકા) એ લોકો નિયમિતપણે શારીરિક પ્રવૃત્તિમાં જોડાયેલા છે.

રસી લેવામાં ઓછુ જોખમ છે

અભ્યાસમાં સામેલ થયેલા લોકોમાં અગાઉ હાર્ટ ફેઈલ્યોર અને અસ્થમા જેવી ફિઝીકલ કો-મોર્બિલીટી સ્થિતિ પ્રવર્તતી હતી. તે લોકો રસી લેવાની ઈચ્છા ધરાવતા ન હતા. એવું માનવામાં આવે છે કે, રસી લેવામાં ઓછુ જોખમ છે અને સમાજ વચ્ચે રહેવાની ઈચ્છાના કારણે પણ હેલ્થકેર વર્કર્સ(Health care workers) રસી લેવાની ઈચ્છા ધરાવે છે.

આ પણ વાંચોઃ સિદ્ધાર્થનગર 20 લોકોને જુદી જુદી કંપનીઓની કોવિડ રસી આપવામાં આવી

રસીકરણની વ્યૂહરચના ઘડવી જરૂરી

ડો.વિજય કે. શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, “આ અભ્યાસના તારણોથી અન્ય દેશોમાં રસીકરણની વ્યૂહરચના ઘડી શકાશે.” આ અભ્યાસમાં જે હેલ્થકેર વર્કર્સે(Health care workers) ભાગ લીધો હતો. તેમાં ફિઝીશ્યન્સ, નર્સ સંબંધિત હેલ્થકેર પ્રોવાઈડર્સ, મેડિકલના વિદ્યાર્થીઓ, ટેક્નિશ્યનો, મહત્વના સ્ટાફ અને વહિવટી સ્ટાફનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.