ETV Bharat / city

Gujarat Universityએ બનાવેલી આયુર્વેદિક દવાને ICMRએ આપી મંજૂરી

author img

By

Published : Aug 24, 2021, 3:42 PM IST

કોરોનાની ત્રીજી લહેરની શક્યતા છે. તેવામાં દેશભરમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccination) પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ કોરોના માટેની દવા માટે પણ અનેક સંસ્થાઓ કરી કરે છે. તેવામાં ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા સંશોધન કરીને બનાવવામાં આવેલી દવાને ICMRએ મંજૂરી આપી છે. આ દવાને ટૂંક સમયમાં બજારમાં લોકોને મળી રહે તે રીતે નજીવી કિંમતે મૂકવામાં આવશે.

Gujarat Universityએ બનાવેલી આયુર્વેદિક દવાને ICMRએ આપી મંજૂરી
Gujarat Universityએ બનાવેલી આયુર્વેદિક દવાને ICMRએ આપી મંજૂરી
  • કોરોના માટે ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) બનાવેલી દવાને ICMRએ આપી મંજૂરી
  • આયુર્વેદિક ઈમ્યુરાઇઝ દવા (Ayurvedic Emurize Medicine) ટૂંક સમયમાં બજારમાં લોકોને નજીવી કિંમતે મળશે
  • કોરોનાની પ્રથમ લહેર (Corona First Wave) દરમિયાન 2,500 લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો હતો

અમદાવાદઃ કોરોનાની પ્રથમ લહેર દરમિયાન સમરસ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન દર્દીઓ, પોલીસ, ડોકટર, પેરા મેડિકલ સ્ટાફના 2,500 જેટલા લોકો પર સંમતિ સાથે દવાનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. સમય જતાં દવામાં સુધારાવધારા કરવામાં આવ્યા હતા અને આયુર્વેદિક દવા ઈમ્યુરાઈઝ તૈયાર કરવામાં આવી છે, જેનું યોગ્ય પરિક્ષણ કર્યા બાદ ICMR તરફથી પણ લીલી ઝંડી આપવામાં આવી છે. ICMR દ્વારા મંજૂરી મળતાં હવે દવા બજારમાં મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- કોરોના મહામારી વચ્ચે આશાનું નવું કિરણ, ઝાયડસ કેડિલાની દવા 'વિરાફિન'ને મળી મંજૂરી

કોરોનાની પ્રથમ લહેર (Corona First Wave) વખતે દવા માટે તૈયારી કરવામાં આવી હતી

આ મામલે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર દરમિયાન જ લાઈફ સાયન્સ વિભાગ (Department of Life Sciences) દ્વારા દવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું હતું. પ્રથમ લહેરની સાથે દવા માટે તૈયારી કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે. લાઈફ સાયન્સ વિભાગના (Department of Life Sciences) પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ સાથે મળીને આયુર્વેદિક દવા ઈમ્યુરાઇઝ (Ayurvedic Emurize Medicine) તૈયાર કરી છે. આને ICMRની મંજૂરી મળી છે.

કોરોનાની પ્રથમ લહેર દરમિયાન 2,500 લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો હતો

કોરોના સમયે દવાનો પ્રયોગ કરાયો હતો

કોરોના સમયે પોલીસ, ડોકટર, મેડિકલ સ્ટાફ અને ધન્વંતરિ હોસ્પિટલના સ્ટાફ સહિત અનેક લોકો પર દવાનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો હતો. ક્લિનિકલ ટ્રાયલ અને ડેટા પર પરિક્ષણ કરવામાં આવ્યું હતું. કુદરતી સંશોધન કરીને દવા બનાવવામાં આવી છે. હ્યુમન એથિકલ અને બાયોલોજિકલ એથિકલ કમિટીમાં દવાનું સ્ક્રિનિંગ કરીને આગળની પ્રકિયા કરવામાં આવી છે.

આ પણ વાંચો- DCGIએ Covaccine અને Covishieldના મિશ્રિત ડોઝ પર અભ્યાસને આપી મંજૂરી

આ દવા બજારમાં સરળતાથી મળી રહેશે

આ દવા સામાન્ય દવાની જેમ જ હશે, જેને કોરોનાથી સંક્રમિત વ્યક્તિ દિવસમાં 3 વાર લેવાની રહેશે. દવાના કારણે વ્યક્તિની ઈમ્યુનિટી વધશે. આયુર્વેદિક દવા હોવાને કારણે કોઈ આડઅસર પણ નથી. દવા પરની બાકીની પ્રકિયા ટૂંક જ સમયમાં પૂર્ણ કરવાના આવશે અને દવા બજારમાં સરળતાથી મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવશે. દવા ખૂબ નજીવી કિંમતે મળી રહેશે.

  • કોરોના માટે ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) બનાવેલી દવાને ICMRએ આપી મંજૂરી
  • આયુર્વેદિક ઈમ્યુરાઇઝ દવા (Ayurvedic Emurize Medicine) ટૂંક સમયમાં બજારમાં લોકોને નજીવી કિંમતે મળશે
  • કોરોનાની પ્રથમ લહેર (Corona First Wave) દરમિયાન 2,500 લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો હતો

અમદાવાદઃ કોરોનાની પ્રથમ લહેર દરમિયાન સમરસ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન દર્દીઓ, પોલીસ, ડોકટર, પેરા મેડિકલ સ્ટાફના 2,500 જેટલા લોકો પર સંમતિ સાથે દવાનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. સમય જતાં દવામાં સુધારાવધારા કરવામાં આવ્યા હતા અને આયુર્વેદિક દવા ઈમ્યુરાઈઝ તૈયાર કરવામાં આવી છે, જેનું યોગ્ય પરિક્ષણ કર્યા બાદ ICMR તરફથી પણ લીલી ઝંડી આપવામાં આવી છે. ICMR દ્વારા મંજૂરી મળતાં હવે દવા બજારમાં મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- કોરોના મહામારી વચ્ચે આશાનું નવું કિરણ, ઝાયડસ કેડિલાની દવા 'વિરાફિન'ને મળી મંજૂરી

કોરોનાની પ્રથમ લહેર (Corona First Wave) વખતે દવા માટે તૈયારી કરવામાં આવી હતી

આ મામલે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર દરમિયાન જ લાઈફ સાયન્સ વિભાગ (Department of Life Sciences) દ્વારા દવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું હતું. પ્રથમ લહેરની સાથે દવા માટે તૈયારી કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે. લાઈફ સાયન્સ વિભાગના (Department of Life Sciences) પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ સાથે મળીને આયુર્વેદિક દવા ઈમ્યુરાઇઝ (Ayurvedic Emurize Medicine) તૈયાર કરી છે. આને ICMRની મંજૂરી મળી છે.

કોરોનાની પ્રથમ લહેર દરમિયાન 2,500 લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો હતો

કોરોના સમયે દવાનો પ્રયોગ કરાયો હતો

કોરોના સમયે પોલીસ, ડોકટર, મેડિકલ સ્ટાફ અને ધન્વંતરિ હોસ્પિટલના સ્ટાફ સહિત અનેક લોકો પર દવાનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો હતો. ક્લિનિકલ ટ્રાયલ અને ડેટા પર પરિક્ષણ કરવામાં આવ્યું હતું. કુદરતી સંશોધન કરીને દવા બનાવવામાં આવી છે. હ્યુમન એથિકલ અને બાયોલોજિકલ એથિકલ કમિટીમાં દવાનું સ્ક્રિનિંગ કરીને આગળની પ્રકિયા કરવામાં આવી છે.

આ પણ વાંચો- DCGIએ Covaccine અને Covishieldના મિશ્રિત ડોઝ પર અભ્યાસને આપી મંજૂરી

આ દવા બજારમાં સરળતાથી મળી રહેશે

આ દવા સામાન્ય દવાની જેમ જ હશે, જેને કોરોનાથી સંક્રમિત વ્યક્તિ દિવસમાં 3 વાર લેવાની રહેશે. દવાના કારણે વ્યક્તિની ઈમ્યુનિટી વધશે. આયુર્વેદિક દવા હોવાને કારણે કોઈ આડઅસર પણ નથી. દવા પરની બાકીની પ્રકિયા ટૂંક જ સમયમાં પૂર્ણ કરવાના આવશે અને દવા બજારમાં સરળતાથી મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવશે. દવા ખૂબ નજીવી કિંમતે મળી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.