ETV Bharat / city

પવિત્ર યાત્રાધામ બોર્ડ હેઠળ ધાર્મિક સ્થળોના વિકાસમાં સરકાર પર મતભેદનો આક્ષેપ

અમદાવાદ: ધાર્મિક સ્થળ પર શ્રદ્ધાળુઓને સારી માળખાગત સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ બોર્ડની રચના કરવામાં આવી હતી. પરંતુ આ બોર્ડ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મળતા ફંડનો ઉપયોગ ઈસ્લામિક ધાર્મિક સ્થળના વિકાસ કાર્યો માટે કરવામાં આવતો નથી.

author img

By

Published : Nov 11, 2019, 8:31 PM IST

પવિત્ર યાત્રાધામ બોર્ડ હેઠળ ધાર્મિક સ્થળોના વિકાસમાં સરકાર પર મતભેદનો આક્ષેપ

ધાર્મિક સ્થળ પર શ્રદ્ધાળુઓને સારી માળખાગત સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ બોર્ડની રચના કરવામાં આવી હતી. જો કે વર્ષ 1995થી આ યોજના અંતર્ગત કોઈ એક ધર્મના ધાર્મિક સ્થળનો જ સમાવેશ કરવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે મુદ્દે રાજ્ય સરકારના જવાબ બાદ સામાજીક કાર્યકર્તા અને અરજદાર મુજાહિદ નફીસ તરફેએ રિ-જોઈન્ડર સોંગદનામું દાખલ કર્યું હતું. જેમાં બોર્ડમાંથી મળતા ફંડનો ઈસ્લામિક ધાર્મિક સ્થળના વિકાસ કાર્યો માટે ઉપયોગ ન કરાતો હોવાની દલીલ કરવામાં આવી હતી.

પવિત્ર યાત્રાધામ બોર્ડ હેઠળ ધાર્મિક સ્થળોના વિકાસમાં સરકાર પર મતભેદનો આક્ષેપ

અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોંગદનામાં દલીલ કરવામાં આવી છે કે, પવિત્રયાત્રાધામ બોર્ડમાં કોઈપણ ધર્મના લોકોને સામેલ કરાયા નથી. ઈસ્લામિક ધર્મ સ્થળના વિકાસ કાર્યો માટે વિવિધ કલેક્ટર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ હાઈકોર્ટમાં સરકાર તરફથી જે સોંગદનામું રજૂ કરવામાં આવ્યું જેમાં સરખેજ રોજા, ઈમામશાહ બાવાની દરગાહ સહિતના ઈસ્માલિક ધાર્મિક સ્થળોના વિકાસ માટે દલીલ કરવામાં આવી હતી. પરતું આજ દિવસ સુધી કાંઈ થયું નથી. સરકારની આ નીતિ ગેરકાયદેસર અને મતભેદભરી હોવાની દલીલ કરવામાં આવી હતી.

ગત 21મી જૂનના રોજ પવિત્ર યાત્રાધામ બોર્ડ મુદે રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ બોર્ડની સ્થાપના પહેલાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ધાર્મિક સ્થળની માળખાગત સુવિધા અને જાળવણીનું કાર્ય કરવામાં આવતું હતું. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન બોર્ડે સરખેજ રોઝામાં લાઈટ અને સાઉન્ડ નિર્માણ માટે 4.5 કરોડ રૂપિયાનું ટેન્ડર કર્યું છે. જેનું કામકાજ થોડા દિવસોમાં શરૂ થશે. તેવી જ રીતે પીરાણા ખાતે ઈમામ શાહ બાવાની દરગાહ, ઉનાવા ખાતે મીરા દાતારની દરગાહ સહિતના સ્થળમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું રજૂ કરાયું છે. પરતું જે તે કલેક્ટર પાસે હજી સુધી આવી કોઈ દરખાસ્ત આવી નથી.

ગુજરાત ટુરિઝમ બોર્ડે અંબાજી, ડાકોર, સોમનાથ, પાલિતાણા સહિતના સ્થળો માટે ફંડની ફાળવણી કરી છે. સરકારે આ શ્રવણ યોજના હેઠળ વરિષ્ઠ નાગરીકોને પરીવહનના ભાડામાં 50 ટકા જેટલી છુટ આપી છે. સંત નગરીમાં ગૌતમ બુદ્ધની પ્રતિમાની જાળવણી માટે 5.75 કરોડ રૂપિયા ફાળવાયા છે. યહુદી ધર્મ સ્થળ ઉદવડા માટે 10 કરોડ, કચ્છમાં ગુરુદ્વારા માટે 5 કરોડની ફાળવણી કરાઈ હોવાની સરકાર દ્વારા સપષ્ટતા કરવામાં આવી હતી.

અગાઉ હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું હતું કે સરકારની યોજના કોઈ એક ધર્મ માટે નથી. દરેક યોજના હેઠળ બધા ધર્મના લોકોને લાભ મળવો જોઈએ. રાજ્ય સરકારની પવિત્રયાત્રા ધામ બોર્ડ યોજના હેઠળ નોંધાયેલા તમામ ધાર્મિક સ્થળને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે અને તેનો ખર્ચ પણ સરકાર દ્વારા ભોગવાય છે...હાઈકોર્ટે ગત 10મી ઓક્ટબોરના રોજ આ મુદે સરકારને નોટીસ કાઢી ડિસેમ્બર મહિના સુધી જવાબ રજુ કરવાનો આદેશ કર્યો હતો..

હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે પવિત્ર યાત્રા ધામ બોર્ડમા સમાવિષ્ટ 358 જેટલા ધાર્મિક સ્થળ માત્ર એક ધર્મના જ છે. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસા ની ફાળવણી અયોગ્ય છે. સરકાર કોઈ એક ધર્મ માટે પૈસાની ફાળવણી ન કરી શકે અને ધર્મના આધારે આ પ્રકારની ફાળવણી ગેરબંધારણીય છે.અરજદારે અરજીમાં કહ્યું કે સરકારે જો યાત્રાધામના વિકાસ જ કરવો હોય તો તમામ ધર્મના યાત્રાધામનો પણ વિકાસ કરવાની સરકારની જવાબદારી છે.

ઉલ્લેખનીય છે કે, ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓને સાનુકૂળતા અને સુવિધા મળી રહે માટે રાજ્ય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ બોર્ડની રચના કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકાર ધાર્મિક સ્થળ પાસે માળખાગત સુવિધા બનાવવા માટે મદદ પુરી પાડે છે.

ધાર્મિક સ્થળ પર શ્રદ્ધાળુઓને સારી માળખાગત સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ બોર્ડની રચના કરવામાં આવી હતી. જો કે વર્ષ 1995થી આ યોજના અંતર્ગત કોઈ એક ધર્મના ધાર્મિક સ્થળનો જ સમાવેશ કરવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે મુદ્દે રાજ્ય સરકારના જવાબ બાદ સામાજીક કાર્યકર્તા અને અરજદાર મુજાહિદ નફીસ તરફેએ રિ-જોઈન્ડર સોંગદનામું દાખલ કર્યું હતું. જેમાં બોર્ડમાંથી મળતા ફંડનો ઈસ્લામિક ધાર્મિક સ્થળના વિકાસ કાર્યો માટે ઉપયોગ ન કરાતો હોવાની દલીલ કરવામાં આવી હતી.

પવિત્ર યાત્રાધામ બોર્ડ હેઠળ ધાર્મિક સ્થળોના વિકાસમાં સરકાર પર મતભેદનો આક્ષેપ

અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોંગદનામાં દલીલ કરવામાં આવી છે કે, પવિત્રયાત્રાધામ બોર્ડમાં કોઈપણ ધર્મના લોકોને સામેલ કરાયા નથી. ઈસ્લામિક ધર્મ સ્થળના વિકાસ કાર્યો માટે વિવિધ કલેક્ટર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ હાઈકોર્ટમાં સરકાર તરફથી જે સોંગદનામું રજૂ કરવામાં આવ્યું જેમાં સરખેજ રોજા, ઈમામશાહ બાવાની દરગાહ સહિતના ઈસ્માલિક ધાર્મિક સ્થળોના વિકાસ માટે દલીલ કરવામાં આવી હતી. પરતું આજ દિવસ સુધી કાંઈ થયું નથી. સરકારની આ નીતિ ગેરકાયદેસર અને મતભેદભરી હોવાની દલીલ કરવામાં આવી હતી.

ગત 21મી જૂનના રોજ પવિત્ર યાત્રાધામ બોર્ડ મુદે રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ બોર્ડની સ્થાપના પહેલાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ધાર્મિક સ્થળની માળખાગત સુવિધા અને જાળવણીનું કાર્ય કરવામાં આવતું હતું. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન બોર્ડે સરખેજ રોઝામાં લાઈટ અને સાઉન્ડ નિર્માણ માટે 4.5 કરોડ રૂપિયાનું ટેન્ડર કર્યું છે. જેનું કામકાજ થોડા દિવસોમાં શરૂ થશે. તેવી જ રીતે પીરાણા ખાતે ઈમામ શાહ બાવાની દરગાહ, ઉનાવા ખાતે મીરા દાતારની દરગાહ સહિતના સ્થળમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું રજૂ કરાયું છે. પરતું જે તે કલેક્ટર પાસે હજી સુધી આવી કોઈ દરખાસ્ત આવી નથી.

ગુજરાત ટુરિઝમ બોર્ડે અંબાજી, ડાકોર, સોમનાથ, પાલિતાણા સહિતના સ્થળો માટે ફંડની ફાળવણી કરી છે. સરકારે આ શ્રવણ યોજના હેઠળ વરિષ્ઠ નાગરીકોને પરીવહનના ભાડામાં 50 ટકા જેટલી છુટ આપી છે. સંત નગરીમાં ગૌતમ બુદ્ધની પ્રતિમાની જાળવણી માટે 5.75 કરોડ રૂપિયા ફાળવાયા છે. યહુદી ધર્મ સ્થળ ઉદવડા માટે 10 કરોડ, કચ્છમાં ગુરુદ્વારા માટે 5 કરોડની ફાળવણી કરાઈ હોવાની સરકાર દ્વારા સપષ્ટતા કરવામાં આવી હતી.

અગાઉ હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું હતું કે સરકારની યોજના કોઈ એક ધર્મ માટે નથી. દરેક યોજના હેઠળ બધા ધર્મના લોકોને લાભ મળવો જોઈએ. રાજ્ય સરકારની પવિત્રયાત્રા ધામ બોર્ડ યોજના હેઠળ નોંધાયેલા તમામ ધાર્મિક સ્થળને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે અને તેનો ખર્ચ પણ સરકાર દ્વારા ભોગવાય છે...હાઈકોર્ટે ગત 10મી ઓક્ટબોરના રોજ આ મુદે સરકારને નોટીસ કાઢી ડિસેમ્બર મહિના સુધી જવાબ રજુ કરવાનો આદેશ કર્યો હતો..

હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે પવિત્ર યાત્રા ધામ બોર્ડમા સમાવિષ્ટ 358 જેટલા ધાર્મિક સ્થળ માત્ર એક ધર્મના જ છે. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસા ની ફાળવણી અયોગ્ય છે. સરકાર કોઈ એક ધર્મ માટે પૈસાની ફાળવણી ન કરી શકે અને ધર્મના આધારે આ પ્રકારની ફાળવણી ગેરબંધારણીય છે.અરજદારે અરજીમાં કહ્યું કે સરકારે જો યાત્રાધામના વિકાસ જ કરવો હોય તો તમામ ધર્મના યાત્રાધામનો પણ વિકાસ કરવાની સરકારની જવાબદારી છે.

ઉલ્લેખનીય છે કે, ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓને સાનુકૂળતા અને સુવિધા મળી રહે માટે રાજ્ય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ બોર્ડની રચના કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકાર ધાર્મિક સ્થળ પાસે માળખાગત સુવિધા બનાવવા માટે મદદ પુરી પાડે છે.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી સેન્ડ થાય છે, 10 મિનિટમાં મળશે)

ધાર્મિક સ્થળ પર શ્રદ્ધાળુઓને સારી માળખાગત સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પવિત્રયાત્રાધામ બોર્ડની રચના કરવામાં આવી હતી જોકે વર્ષ 1995થી આ યોજના અંતર્ગત કોઈ એક ધર્મના ધાર્મિક સ્થળનો જ સમાવેશ કરવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદે રાજ્ય સરકારના જવાબ બાદ સામાજીક કાર્યકરતા - અરજદાર મુજાહિદ નફીસ તરફે રિ-જોઈન્ડર સોંગદનામું દાખલ કરાયું હતું જેમાં બોર્ડમાંથી મળતા ફંડનો ઈસ્લામિક ધાર્મિક સ્થળના વિકાસ કાર્યો માટે ઉપયોગ ન કરાતો હોવાની દલીલ કરી હતી..
Body:અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોંગદનામાં દલીલ કરવામાં આવી છે કે પવિત્રયાત્રાધામ બોર્ડમાં કોઈપણ ધર્મના લોકોને સામેલ કરાયા નથી. ઈસ્લામિક ધર્મ સ્થળના વિકાસ કાર્યો માટે વિવિધ કલેક્ટર દ્વારા કોઈ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યું હતું. અગાઉ હાઈકોર્ટમાં સરકાર તરફે જે સોંગદનામું રજુ કરવામાં આવ્યું અને જેમાં સરખેજ રોજા, ઈમામશાહ બાવાની દરગાહ સહિતના જે ઈસ્માલિક ધાર્મિક સ્થળોના વિકાસ માટે દલીલ કરવામાં આવી પરતું આજ દિવસ સુધી કોઈ થયું નથી. સરકારની આ નીતિ ગેરકાયદેસર અને મતભેદભરી હોવાની દલીલ કરી હતી.

ગત 21મી જુનના રોજ પવિત્ર યાત્રાધામ બોર્ડ મુદે રાજ્ય સરકાર તરફે રજુ કરાયેલા જવાબામાં જણાવવામાં આવ્યું હતું કે પવિત્રયાત્રા ધામ બોર્ડની સ્થાપના પહેલાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ધાર્મિક સ્થળની માળખાગત સુવિધા અને જાળવણીનું કાર્ય કરવામાં આવતું હતું. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન બોર્ડે સરખેજ રોઝામાં લાઈટ અને સાઉન્ડ નિર્માણ માટે 4.5 કરોડ રૂપિયાનું ટેન્ડર કર્યું છે જેનું કામકાજ થોડા દિવસોમાં શરૂ થશે. આજ રીતે પીરાણા ખાતે ઈમામ શાહ બાવાની દરગાહ, ઉનાવા ખાતે મીરા દાતારની દરગાહ સહિતના સ્થળે પણ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો જવાબમાં રજુ કરાયું છે પરતું જ્યારે જે તે કલેક્ટર પાસે હજી સુધી આવી કોઈ દરખાસ્ત આવી નથી...

ગુજરાત ટુરિઝમ બોર્ડે અબાજી, ડાકોર, સોમનાથ, પાલિતાણા સહિતના સ્થળો માટે ફન્ડની ફાળવણી કરી છે...સરકારે આ યોજના હેટળ શ્રવણ યોજના હેઠળ વરિષ્ઠ નાગરીકોને પરીવહનના ભાડામાં 50 ટકા જેટલી છુટ આપે છે... સંત નગરીમાં ગૌતમ બુદ્ધની પ્રતિમાની જાળવણી માટે 5.75 કરોડ રૂપિયા ફાળવાયા છે...યહુદી ધર્મ સ્થળ ઉદવડા માટે 10 કરોડ, કચ્છમાં ગુરુદ્વારા માટે 5 કરોડની ફાળવણી કરાઈ હોવાની સરકાર દ્વારા સપષ્ટા કરવામાં આવી હતી..


અગાઉ હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું હતું કે સરકારની યોજના કોઈ એક ધર્મ માટે નથી. દરેક યોજના હેઠળ બધા ધર્મના લોકોને લાભ મળવો જોઈએ. રાજ્ય સરકારની પવિત્રયાત્રા ધામ બોર્ડ યોજના હેઠળ નોંધાયેલા તમામ ધાર્મિક સ્થળને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે અને તેનો ખર્ચ પણ સરકાર દ્વારા ભોગવાય છે...હાઈકોર્ટે ગત 10મી ઓક્ટબોરના રોજ આ મુદે સરકારને નોટીસ કાઢી ડિસેમ્બર મહિના સુધી જવાબ રજુ કરવાનો આદેશ કર્યો હતો..

હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે પવિત્ર યાત્રા ધામ બોર્ડમા સમાવિષ્ટ 358 જેટલા ધાર્મિક સ્થળ માત્ર એક ધર્મના જ છે. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસા ની ફાળવણી અયોગ્ય છે. સરકાર કોઈ એક ધર્મ માટે પૈસાની ફાળવણી ન કરી શકે અને ધર્મના આધારે આ પ્રકારની ફાળવણી ગેરબંધારણીય છે.અરજદારે અરજીમાં કહ્યું કે સરકારે જો યાત્રાધામના વિકાસ જ કરવો હોય તો તમામ ધર્મના યાત્રાધામનો પણ વિકાસ કરવાની સરકારની જવાબદારી છે.
Conclusion:ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓને સાનુકૂળતા અને સુવિધા મળી રહે માટે રાજ્ય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ બોર્ડની રચના કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકાર ધાર્મિક સ્થળ પાસે માળખાગત સુવિધા બનાવવા માટે મદદ પુરી પાડે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.