અમદાવાદઃ આ કેસમાં ચાર દિવસ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 24 કલાકમાં મુખ્ય આરોપી અને સંચાલક ભરત મહંતને રિમાન્ડ માટે જજના ઘરે રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરતા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેને કોર્ટે માન્ય રાખતા આરોપીને 15 હજારના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યાં હતાં.
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ : કોર્ટે 2 આરોપીઓના જામીન મંજૂર કર્યા - જામીન
અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં અગ્નિકાંડથી 8 દર્દીઓના મોત નીપજ્યાં હતાં. ત્યારે હોસ્પિટલમાં કામ કરતાં બે આરોપીઓ મહેશ ઓડદેરા અને અન્ય એક આરોપીના કોર્ટે જામીન મંજૂર કર્યાં છે. નોંધનીય છે કે, આ કેસમાં અગાઉ મુખ્ય સંચાલક ભરત મહંતના પણ જામીન મંજૂર કરવામાં આવ્યાં હતાં.
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ : કોર્ટે બે આરોપીઓના જામીન મંજૂર કર્યા
અમદાવાદઃ આ કેસમાં ચાર દિવસ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 24 કલાકમાં મુખ્ય આરોપી અને સંચાલક ભરત મહંતને રિમાન્ડ માટે જજના ઘરે રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરતા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેને કોર્ટે માન્ય રાખતા આરોપીને 15 હજારના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યાં હતાં.