ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા, 26 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત - કોરોના

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં(corona update in gujarat today) કોરોનાના 18 જ કેસો નોંધાયા છે. જો કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લાઓમાં પણ કોરોનાના કેસ નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સારવાર દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

રાજ્યમાં 24 કલાકમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા
author img

By

Published : Oct 19, 2021, 10:05 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 18 પોઝિટીવ કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં
  • 26 દર્દીઓએ કોરોનાને આપી માત

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના(corona update in gujarat today) કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યાં હતાં ત્યારે બાદ હવે જૂનથી ઓગસ્ટ માસમાં કેસે નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબૂ કરવા રાજ્ય સરકાર સફળ નિવડી હતી પણ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે ત્યારે ઑક્ટોબર માસની 19 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 2 કોર્પોરેશન જેવા કે અમદાવાદ અને સુરત, રાજકોટ, જામનગર કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 3 જેવાકે વલસાડ, નવસારી, જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે

તમામ જિલ્લામાં સિંગલ ડિઝિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 2 કોર્પોરેશન જેવા કે, સુરત અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 5 દર્દીને રજા આપવામાં આવી છે.

1,60,315 નાગરિકોને આપવામાં આવી વેક્સિન
19 ઑક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 1,60,315 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી વધુ વયના 30,299 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 84,752 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 6,71,51,741 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 185
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 185 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 5 વેન્ટિલેટર પર અને 180 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,086 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,055 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

  • છેલ્લા 24 કલાકમાં 18 પોઝિટીવ કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં
  • 26 દર્દીઓએ કોરોનાને આપી માત

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના(corona update in gujarat today) કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યાં હતાં ત્યારે બાદ હવે જૂનથી ઓગસ્ટ માસમાં કેસે નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબૂ કરવા રાજ્ય સરકાર સફળ નિવડી હતી પણ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે ત્યારે ઑક્ટોબર માસની 19 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 2 કોર્પોરેશન જેવા કે અમદાવાદ અને સુરત, રાજકોટ, જામનગર કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 3 જેવાકે વલસાડ, નવસારી, જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે

તમામ જિલ્લામાં સિંગલ ડિઝિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 2 કોર્પોરેશન જેવા કે, સુરત અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 5 દર્દીને રજા આપવામાં આવી છે.

1,60,315 નાગરિકોને આપવામાં આવી વેક્સિન
19 ઑક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 1,60,315 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી વધુ વયના 30,299 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 84,752 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 6,71,51,741 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 185
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 185 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 5 વેન્ટિલેટર પર અને 180 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,086 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,055 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.