અમદાવાદઃ અંધ પ્રકાશગૃહની બાળકીઓએ બનાવેલી રાખડીઓનું વેચાણ દર વર્ષે જૂન મહિનાથી શરૂ થઈ જતું હોય છે અને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો તેમ જ વિદેશમાં પણ આ રાખડીઓ મોકલવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે લોકડાઉન આવી જતાં માર્ચ મહિનાથી છોકરીઓ પોતાના ઘરે ચાલી ગઈ છે અને જાન્યુઆરી તેમ જ ફેબ્રુઆરીમાં બનાવેલ રાખડીઓનું વેચાણ હાલ ચાલુ છે. દર વર્ષે 12થી 15 જેટલી બાળકીઓ આ રાખડીઓ બનાવતી હોય છે અને લોકોમાં પણ આ રાખડીઓ પ્રખ્યાત છે. રાખડીઓ બનાવતી આ બાળકીઓને દર મહિને રૂપિયા પણ આપવામાં આવતાં હતાં.
કોરોનાએ સામાજિક સંસ્થાઓને પણ ભીંસમાં લીધીઃ લાખોની સંખ્યામાં વેચાતી રાખડીઓની માગણી નહિવત બની અંધ પ્રકાશગૃહના કોઓર્ડિનેટર સ્મિતા શાહના જણાવ્યા પ્રમાણે દર વર્ષે અમારે લાખો રાખડીઓ વેચાઈ જતી હોય છે પરંતુ આ વર્ષે કોરોનાના લીધે જેટલી બનાવી છે તેટલી પણ રાખડી વેચાય છે કે કેમ તે અંગે સવાલ છે. આ બાળકીઓ નવા નવા પ્રકારની રાખડીઓ તૈયાર કરતી હોય છે અને જો કોઈ ગ્રાહકની કોઈ સ્પેશિયલ ડિમાન્ડ હોય તો તે પણ બાળકીઓ પૂરી કરતી હતી. પરંતુ આ વખતે તો બાળકીઓ પણ ઘરે ચાલી ગઈ છે અને હાલ જે સ્ટોક છે અમેં તેનું જ વેચાણ કરીએ છીએ.
કોરોનાએ સામાજિક સંસ્થાઓને પણ ભીંસમાં લીધીઃ લાખોની સંખ્યામાં વેચાતી રાખડીઓની માગણી નહિવત બની