ETV Bharat / city

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના મહામારીમાં સરકારની કામગીરી મુદ્દે કર્યા પ્રહાર

author img

By

Published : Jun 9, 2020, 2:57 PM IST

ગુજરાતમાં કોરોના વાઇરસનો વિસ્ફોટ થયો છે. ત્યારે બે સપ્તાહથી રાજ્યમાં જલ્દી ડિસ્ચાર્જ દ્વારા ભારતમાં સૌથી ઊંચા રિકવરી રેટના દાવાઓ થઈ રહ્યા છે. પરંતુ ગુજરાતમાં કુલ કેસ અને ડિસ્ચાર્જ એમ બંને તરફથી ભારતમાં સૌથી ઊંચો મૃત્યુદર છે, આ એક હકીકત છે. સોમવારે 14 જિલ્લાઓમાંથી 321 દર્દીઓને સાજા થઈને ઘરે જતા ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 13,964ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાત સરકારની કોરોના વાયરસ સામે લડવાની રણનીતિની કડક શબ્દોમાં નિંદા કરી છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના મહામારીમાં સરકારની કામગીરી મુદ્દે કર્યા પ્રહાર
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના મહામારીમાં સરકારની કામગીરી મુદ્દે કર્યા પ્રહાર

અમદાવાદઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરીને કોરોના મહામારીમાં સરકારની કામગીરી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં 1280 કરતા વધુ લોકોના મોત થયા છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. ગુજરાતમાં તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે કોરોનામાં વર્તમાન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાત સરકાર પણ લોકોના જીવ બચાવવામાં તંત્રમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના મહામારીમાં સરકારની કામગીરી મુદ્દે કર્યા પ્રહાર
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, WHOએ જાન્યુઆરીમાં જ ચેતવણી આપી હતી. તેમ છતાં ગુજરાત સરકારે ચેતવણીને ગંભીરતાથી લીધી નહોતી. રાજ્યમાં દિવસેને દિવસે સંક્રમણ વધ્યું તેમ ટેસ્ટિંગ ઘટાડ્યું છે. બીજી એક રીતે કહીએ તો સંક્રમણનો આંકડો ઓછો બતાવવા માટે તંત્ર ટેસ્ટિંગ ઓછા કરીને લોકોના જીવ સાથે ગંદી રમત રમી રહી છે. જો પ્રાથમિક રીતે વિચારીએ તો ભારતમાં ટેસ્ટિંગ વધારે થયું હોય તો અમેરિકા કરતા વધુ કેસ આવે. પરંતુ એવું થયું નથી. કારણ કે, અમેરિકામાં દરરોજના એક લાખ ટેસ્ટિંગ થતા હતા, જેના કારણે ત્યાં કોરોનાના આંકડો લાખોમાં હતો. પરંતુ અમેરિકાની સરખામણીમાં ભારતમાં તેના અડધાએ ટેસ્ટિંગ કર્યા નથી. બીજી બાજુ અમદાવાદમાં સંક્રમિત દર્દીઓને સારવાર લેવા માટે દર દર ભટકવું પડતું હોવાની વાત કરી હતી. કોરોનામાં આખા દેશમાં સૌથી વધુ મૃત્યુદર ગુજરાતમાં છે તેના માટે જવાબદાર તંત્ર અને ગુજરાત સરકારને જ ઠેરવી છે.જો કે કોરોના લઈને હોસ્પિટલોમાં આવેલા 1280 નાગરિકો પાછા ઘરે જઈ શક્યાં નથી. તેમના મૃત્યુ થયાં છે. આ પ્રમાણે ગુજરાતમાં 9.16 ટકા જેટલું ઊંચુ છે. સોમવારની સાંજે 7.26 કલાકે દેશમાં ડિસ્ચાર્જની સામે ડેથનું પ્રમાણ 5,79 ટકા હતુ. સમગ્ર દેશમાં કુલ 1,27, 302 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં કુલ કેસની સામે મૃત્યુદર 6.22 ટકા છે, દેશમાં આ પ્રમાણ 2.78 ટકા આસપાસ રહ્યું છે.અનલોકના બીજા સપ્તાહની શરૂઆતે જ આરોગ્ય અગ્રસચિવ ડો. જંયતિ રવિએ RT-PCR ટેસ્ટમાં રીતસર કાપ મૂક્યો હોય એમ રવિવારે સાંજે પાંચ વાગ્યા પછીના 24 કલાકમાં માત્ર 4,603 જ ટેસ્ટ થયા છે. સોમવારે સાંજે જાહેર થયેલી અખબારી યાદીમાં 4,603 ટેસ્ટમાંથી 19 જિલ્લામાં 477 પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે. 346 અમદાવાદમાં, 48 સુરતમાં, 35 વડોદરામાં એમ આ ત્રણ હોટસ્પોટ એરિયા ધરાવતાં જિલ્લાઓમાં જ 429 કેસ છે ! બાકીના 16 જિલ્લામાં માત્ર 48 નાગરિકોમાં જ કોરોના વાઈરસ મળ્યો છે. આમ 81માં દિવસે ગુજરાતમાં કોવિડ-19ના કેસો 21,574એ પહોંચ્યા છે. સોમવારે અમદાવાદમાં 24 સહિત ગુજરાતમાં 31 ચેપગ્રસ્તોએ દમ તોડતા અત્યાર સુધીમાં આ મહામારીમાં 1280 દર્દીઓના મૃત્યુ પામ્યા છે. જે કુલ ડિસ્ચાર્જ અર્થાત સાજા થઈને ઘરે જતા દર્દીઓની સામે 9.16 ટકા જેટલુ ઊંચુ પ્રમાણ ધરાવે છે.

અમદાવાદઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરીને કોરોના મહામારીમાં સરકારની કામગીરી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં 1280 કરતા વધુ લોકોના મોત થયા છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. ગુજરાતમાં તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે કોરોનામાં વર્તમાન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાત સરકાર પણ લોકોના જીવ બચાવવામાં તંત્રમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના મહામારીમાં સરકારની કામગીરી મુદ્દે કર્યા પ્રહાર
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, WHOએ જાન્યુઆરીમાં જ ચેતવણી આપી હતી. તેમ છતાં ગુજરાત સરકારે ચેતવણીને ગંભીરતાથી લીધી નહોતી. રાજ્યમાં દિવસેને દિવસે સંક્રમણ વધ્યું તેમ ટેસ્ટિંગ ઘટાડ્યું છે. બીજી એક રીતે કહીએ તો સંક્રમણનો આંકડો ઓછો બતાવવા માટે તંત્ર ટેસ્ટિંગ ઓછા કરીને લોકોના જીવ સાથે ગંદી રમત રમી રહી છે. જો પ્રાથમિક રીતે વિચારીએ તો ભારતમાં ટેસ્ટિંગ વધારે થયું હોય તો અમેરિકા કરતા વધુ કેસ આવે. પરંતુ એવું થયું નથી. કારણ કે, અમેરિકામાં દરરોજના એક લાખ ટેસ્ટિંગ થતા હતા, જેના કારણે ત્યાં કોરોનાના આંકડો લાખોમાં હતો. પરંતુ અમેરિકાની સરખામણીમાં ભારતમાં તેના અડધાએ ટેસ્ટિંગ કર્યા નથી. બીજી બાજુ અમદાવાદમાં સંક્રમિત દર્દીઓને સારવાર લેવા માટે દર દર ભટકવું પડતું હોવાની વાત કરી હતી. કોરોનામાં આખા દેશમાં સૌથી વધુ મૃત્યુદર ગુજરાતમાં છે તેના માટે જવાબદાર તંત્ર અને ગુજરાત સરકારને જ ઠેરવી છે.જો કે કોરોના લઈને હોસ્પિટલોમાં આવેલા 1280 નાગરિકો પાછા ઘરે જઈ શક્યાં નથી. તેમના મૃત્યુ થયાં છે. આ પ્રમાણે ગુજરાતમાં 9.16 ટકા જેટલું ઊંચુ છે. સોમવારની સાંજે 7.26 કલાકે દેશમાં ડિસ્ચાર્જની સામે ડેથનું પ્રમાણ 5,79 ટકા હતુ. સમગ્ર દેશમાં કુલ 1,27, 302 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં કુલ કેસની સામે મૃત્યુદર 6.22 ટકા છે, દેશમાં આ પ્રમાણ 2.78 ટકા આસપાસ રહ્યું છે.અનલોકના બીજા સપ્તાહની શરૂઆતે જ આરોગ્ય અગ્રસચિવ ડો. જંયતિ રવિએ RT-PCR ટેસ્ટમાં રીતસર કાપ મૂક્યો હોય એમ રવિવારે સાંજે પાંચ વાગ્યા પછીના 24 કલાકમાં માત્ર 4,603 જ ટેસ્ટ થયા છે. સોમવારે સાંજે જાહેર થયેલી અખબારી યાદીમાં 4,603 ટેસ્ટમાંથી 19 જિલ્લામાં 477 પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે. 346 અમદાવાદમાં, 48 સુરતમાં, 35 વડોદરામાં એમ આ ત્રણ હોટસ્પોટ એરિયા ધરાવતાં જિલ્લાઓમાં જ 429 કેસ છે ! બાકીના 16 જિલ્લામાં માત્ર 48 નાગરિકોમાં જ કોરોના વાઈરસ મળ્યો છે. આમ 81માં દિવસે ગુજરાતમાં કોવિડ-19ના કેસો 21,574એ પહોંચ્યા છે. સોમવારે અમદાવાદમાં 24 સહિત ગુજરાતમાં 31 ચેપગ્રસ્તોએ દમ તોડતા અત્યાર સુધીમાં આ મહામારીમાં 1280 દર્દીઓના મૃત્યુ પામ્યા છે. જે કુલ ડિસ્ચાર્જ અર્થાત સાજા થઈને ઘરે જતા દર્દીઓની સામે 9.16 ટકા જેટલુ ઊંચુ પ્રમાણ ધરાવે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.