ETV Bharat / city

ભરતસિંહ સોલંકીની તબિયત હાલ સુધારા પર : કોંગ્રેસ પ્રમુખ

author img

By

Published : Jul 9, 2020, 4:57 PM IST

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી નાજુક છે. ભરતસિંહ સોલંકીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હવે તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે તેવું કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

etv bharat
etv bharat

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી નાજુક છે. ભરતી સોલંકીને કોરોના થતાં અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબિયત વધારે ખરાબ થતાં હાલ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. વેન્ટિલેટર પર રાખીને આજે ત્રીજો દિવસ છે. ત્યારે તેમની તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. બહારથી આપવામાં આવતા ઓક્સિજનની માત્રામાં વધારો કરવાની ડોકટરને ફરજ પડી છે.

ભરતસિંહ સોલંકીની તબિયત હાલ સુધારા પર : કોંગ્રેસ પ્રમુખ

ભરતસિંહ સોલંકીની તબિયત અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકીને પહેલા ઓક્સિજનની 100% જરૂર હતી. જેમાંથી ગઈકાલે ઘટીને તે 80 થી 90 ટકા થઈ છે. જ્યારે મળતી માહિતી મુજબ હાલ તેમને 60% થી 65 ટકા ઓક્સિજન વેન્ટિલેટરથી અપાઈ રહ્યો છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી નાજુક

  • ભરતી સોલંકીને કોરોના થતાં અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા
  • તબિયત વધારે ખરાબ થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા
  • ભરતસિંહ સોલંકીની તબિયતને લઇને વિશેષ ટીમ સતત દેખરેખ રાખી રહી છે
    ભરતસિંહ સોલંકીની તબિયત હાલ સુધારા પર : કોંગ્રેસ પ્રમુખ
    ભરતસિંહ સોલંકીની તબિયત હાલ સુધારા પર : કોંગ્રેસ પ્રમુખ

ભરતસિંહના હાર્ટ, કિડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યા છે, પરંતુ ફેફસાં વધારે પડતા નબળા હોવાથી ઉપરના ઓક્સીજનની જરૂરિયાત વધી છે. એક બાબત સ્પષ્ટ છે કે, હાલ ભરતસિંહ સોલંકીની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરતસિંહ સોલંકીની તબિયતને લઇને એક વિશેષ ટીમ સતત તેમની દેખરેખ રાખી રહી છે. સાથે જ તેમના જણાવ્યા પ્રમાણે ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો આવી શકે છે તેવી આશા પણ નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી નાજુક છે. ભરતી સોલંકીને કોરોના થતાં અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબિયત વધારે ખરાબ થતાં હાલ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. વેન્ટિલેટર પર રાખીને આજે ત્રીજો દિવસ છે. ત્યારે તેમની તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. બહારથી આપવામાં આવતા ઓક્સિજનની માત્રામાં વધારો કરવાની ડોકટરને ફરજ પડી છે.

ભરતસિંહ સોલંકીની તબિયત હાલ સુધારા પર : કોંગ્રેસ પ્રમુખ

ભરતસિંહ સોલંકીની તબિયત અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકીને પહેલા ઓક્સિજનની 100% જરૂર હતી. જેમાંથી ગઈકાલે ઘટીને તે 80 થી 90 ટકા થઈ છે. જ્યારે મળતી માહિતી મુજબ હાલ તેમને 60% થી 65 ટકા ઓક્સિજન વેન્ટિલેટરથી અપાઈ રહ્યો છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી નાજુક

  • ભરતી સોલંકીને કોરોના થતાં અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા
  • તબિયત વધારે ખરાબ થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા
  • ભરતસિંહ સોલંકીની તબિયતને લઇને વિશેષ ટીમ સતત દેખરેખ રાખી રહી છે
    ભરતસિંહ સોલંકીની તબિયત હાલ સુધારા પર : કોંગ્રેસ પ્રમુખ
    ભરતસિંહ સોલંકીની તબિયત હાલ સુધારા પર : કોંગ્રેસ પ્રમુખ

ભરતસિંહના હાર્ટ, કિડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યા છે, પરંતુ ફેફસાં વધારે પડતા નબળા હોવાથી ઉપરના ઓક્સીજનની જરૂરિયાત વધી છે. એક બાબત સ્પષ્ટ છે કે, હાલ ભરતસિંહ સોલંકીની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરતસિંહ સોલંકીની તબિયતને લઇને એક વિશેષ ટીમ સતત તેમની દેખરેખ રાખી રહી છે. સાથે જ તેમના જણાવ્યા પ્રમાણે ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો આવી શકે છે તેવી આશા પણ નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.