અમદાવાદઃ અમદાવાદ શહેરમાં દરેક પ્રકારના થઈને કુલ આશરે 70 કરતાં વધુ બ્રિજ આવેલા છે. જેમાં ટ્રાફિકને નિવારવા માટેના ફ્લાયઓવર બ્રિજ વધુ છે. આ બ્રિજ અત્યારે ધોમધખતા તાપમાં ગરીબો માટેના આશ્રયસ્થાન બન્યા છે.
અત્યારે અમદાવાદ શહેર કોરોના વાઈરસથી પીડાઈ રહ્યું છે. તો બીજી તરફ ઉનાળાના કારણે દિવસ દરમિયાન શહેરનું તાપમાન 42થી 44 ડિગ્રી જેટલું ઊંચું રહેતું હોય છે, ત્યારે જે લોકો પાસે ઘર નથી તેવા ઘરવિહોણા લોકો માટે ફ્લાય ઓવર બ્રિજ એક આશ્રયસ્થાન બન્યું છે. શહેરના દરેક ફ્લાયઓવર બ્રિજ નીચે લગભગ 50 જેટલા ગરીબો આશ્રય લેતા જોવા મળે છે.