ETV Bharat / city

અયોધ્યા રામમંદિરના નિર્માણને લઈને અમદાવાદમાં દીવડાઓનો ઝગમગાટ

author img

By

Published : Aug 6, 2020, 12:00 AM IST

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે. હજારો રામભક્તો અને કારસેવકોના બલિદાન બાદ આખરે અયોધ્યામાં રામમંદિરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન થયું છે. ત્યારે અમદાવાદીઓએ પણ ઘરઆંગણે દીવા પ્રગટાવી રામ મંદિર ભૂમિપૂજન નિમિત્તે ઉજવણી કરી હતી.

અયોધ્યા રામમંદિરના નિર્માણને લઈને અમદાવાદમાં દીવડાઓનો ઝગમગાટ
અયોધ્યા રામમંદિરના નિર્માણને લઈને અમદાવાદમાં દીવડાઓનો ઝગમગાટ

અમદાવાદ: ભારતનો સૌથી મોટો તહેવાર એટલે દીવાળી. જે ભગવાન રામના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફરવાના ઉત્સાહમાં પ્રજાજનો દ્વારા ઠેર ઠેર દીવા પ્રગટાવીને ઉજવવામાં આવ્યો હતો.

ભગવાન રામની પાવન જન્મભૂમિ અયોધ્યામાં બુધવારે ભવ્યાતિભવ્ય રામ મંદિર નિર્માણનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન થતા અનોખો ઇતિહાસ રચાયો છે. કરોડો ભારતવાસીઓનું પવિત્ર રામ મંદિરનું સપનું આખરે પૂર્ણ થયું છે. જેને પગલે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છવાયો છે. અમદાવાદ શહેરમાં પણ નગરજનો દ્વારા ઘરઆંગણે દીવા પ્રગટાવી ભૂમિપૂજન નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદના વાડજ, નારણપુરા, ઓઢવ, નિર્ણયનગર, અખબારનગર, ગોતા, ચાંદલોડિયા, ચાંદખેડા જેવા અનેક વિસ્તારો દીવાઓથી ઝળહળી ઉઠયા હતાં. આ ઉપરાંત સાંજના સમયે અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ પણ સર્જાયું હતું. જેને લઇને કેટલાક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતાં, પરંતુ થોડા સમય બાદ વરસાદ રોકાઈ જતા લોકોએ ફરીવાર દીપોત્સવ મનાવ્યો હતો.

બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ આખો દિવસ રામમંદિર જ ચર્ચામાં રહ્યું હતું. અયોધ્યામાં ભૂમિપૂજન દરમિયાન સમગ્ર દેશમાં શાંતિનું વાતાવરણ રહ્યું હતું.

અમદાવાદ: ભારતનો સૌથી મોટો તહેવાર એટલે દીવાળી. જે ભગવાન રામના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફરવાના ઉત્સાહમાં પ્રજાજનો દ્વારા ઠેર ઠેર દીવા પ્રગટાવીને ઉજવવામાં આવ્યો હતો.

ભગવાન રામની પાવન જન્મભૂમિ અયોધ્યામાં બુધવારે ભવ્યાતિભવ્ય રામ મંદિર નિર્માણનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન થતા અનોખો ઇતિહાસ રચાયો છે. કરોડો ભારતવાસીઓનું પવિત્ર રામ મંદિરનું સપનું આખરે પૂર્ણ થયું છે. જેને પગલે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છવાયો છે. અમદાવાદ શહેરમાં પણ નગરજનો દ્વારા ઘરઆંગણે દીવા પ્રગટાવી ભૂમિપૂજન નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદના વાડજ, નારણપુરા, ઓઢવ, નિર્ણયનગર, અખબારનગર, ગોતા, ચાંદલોડિયા, ચાંદખેડા જેવા અનેક વિસ્તારો દીવાઓથી ઝળહળી ઉઠયા હતાં. આ ઉપરાંત સાંજના સમયે અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ પણ સર્જાયું હતું. જેને લઇને કેટલાક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતાં, પરંતુ થોડા સમય બાદ વરસાદ રોકાઈ જતા લોકોએ ફરીવાર દીપોત્સવ મનાવ્યો હતો.

બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ આખો દિવસ રામમંદિર જ ચર્ચામાં રહ્યું હતું. અયોધ્યામાં ભૂમિપૂજન દરમિયાન સમગ્ર દેશમાં શાંતિનું વાતાવરણ રહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.