ETV Bharat / city

અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસ: કોર્ટે આરોપીઓની પરિવારજનો સાથે ટેલિફોન કે વીડિયો કોલિંગથી વાતચીતની માગ કરતી અરજી ફગાવી

author img

By

Published : Jul 8, 2020, 3:02 PM IST

વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલ અને ભોપાલ જેલમાં બંધ આરોપીઓએ કોરોના મહામારી હોવાથી પરિવારોજનો સાથે ટેલિફોન અથવા વીડિયો કોલિંંગ સિસ્ટમ થકી વાત કરવાની માગ સાથે દાખલ કરેલી બે અરજી અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસ: કોર્ટે આરોપીઓની પરિવારજનો સાથે ટેલિફોન કે વિડીયો કોલિંગથી વાતચીતની માગ કરતી અરજી ફગાવી
અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસ: કોર્ટે આરોપીઓની પરિવારજનો સાથે ટેલિફોન કે વિડીયો કોલિંગથી વાતચીતની માગ કરતી અરજી ફગાવી

અમદાવાદઃ કોર્ટે નોંધ્યું છે કે, કોરોના મહામારીને પગલે બંને જેલમાં બંધ અંડર ટ્રાયલ કેદીઓને ટેલિફોન કે વીડિયો કોલિંગ સિસ્ટમથી પરિવારજનો સાથે વાતચીત કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટના આરોપી કે હાલ અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ અને ભોપલની જેલમાં બંધ છે. તેઓ ટેલિફોન કે વીડિયો કોલિંગ સિસ્ટમથી પરિવારજનો સાથે વાતચીત કરી શકે એ શ્રેણીમાં આવતાં ન હોવાથી તેમને વાતચીત કરવાની જેલ સત્તાધીશો દ્વારા પરવાનગી આપવામાં આવતી નથી. કોરોના મહામારીમાં કેદીઓને આપવામાં આવતી છૂટ મુદ્દે સરકાર દ્વારા સ્પષ્ટ નિર્દેશ જારી કરવામાં આવ્યાં છે અને નિયમો પ્રમાણે આરોપીઓ લાભ મેળવવા લાયક નથી.

અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસ: કોર્ટે આરોપીઓની પરિવારજનો સાથે ટેલિફોન કે વિડીયો કોલિંગથી વાતચીતની માગ કરતી અરજી ફગાવી
અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસ: કોર્ટે આરોપીઓની પરિવારજનો સાથે ટેલિફોન કે વિડીયો કોલિંગથી વાતચીતની માગ કરતી અરજી ફગાવી
નોંધનીય છે કે, ગત સપ્તાહ દરમિયાન અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસના 10 જેટલા આરોપીઓએ નિવેદન રજૂ કરવા માટે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવામાં આવે તેવી માગ સાથે દાખલ કરેલી અરજી અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું છે કે, કોરોના કાળમાં કેદીઓને અમદાવાદ જેલમાં હાલ ટ્રાન્સફર કરી શકાય નહીં.અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં ભોપલની સેન્ટ્રલ જેલમાં બંધ અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટના 10 જેટલા આરોપીઓએ અરજી કરી માગ કરી હતી કે, ભોપાલ જેલ સ્ટાફનું વર્તન યોગ્ય ન હોવાથી તેઓ માનસિક તાણ અનુભવી રહ્યાં છે અને તેમને અહીં કોઈ કાયદાકીય સલાહ આપનાર નથી જેથી તેમને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવામાં આવે. અમદાવાદ સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર રહી આરોપીઓ નિવેદન આપવા માગે છે જોકે કોર્ટે આરોપીઓની આ અરજી ફગાવી દીધી હતી. અમદાવાદ સ્પેશિયલ કોર્ટે નોંધ્યું હતું કે, જો આરોપીઓના વકીલ ઈચ્છે તો ભોપાલ જઈને આરોપીઓને નિવેદન નોંધાવવા અંગે કાયદાકીય સલાહ આપી શકે છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે 10 વર્ષ જૂના કેસની ટ્રાયલ મર્યાદિત સમયમાં પુરી થવી જોઈએ તેને ધ્યાનમાં રાખીને કોરોના કાળમાં પણ આ બૉમ્બ બ્લાસ્ટના કેસમાં કોર્ટ દ્વારા નિવેદન રેકોર્ડ કરવામાં આવી રહ્યાં છે. આ કેસમાં CrPcની કલમ 313 મુજબ નિવેદન રેકોડ કરવામાં આવી રહ્યાં છે. આ કેસમાં કુલ 78 આરોપીઓ છે.

અગાઉ આ 10 આરોપીઓ દ્વારા મધ્યપ્રદેશમાં યોજાયેલા કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલથી ભોપાલ જેલમાં લઈ જવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. આ 10 આરોપીઓ મધ્ય પ્રદેશના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે. સ્પેશિયલ કોર્ટે અગાઉ આરોપીઓને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાનો મધ્ય પ્રદેશ સરકારને આદેશ કર્યો હતો. જો કે, તેનું પાલન ન કરતાં કોર્ટે મધ્ય પ્રદેશ સરકાર સામે કન્ટેમ્પ્ટ પિટિશન પણ દાખલ કરી હતી.

અમદાવાદઃ કોર્ટે નોંધ્યું છે કે, કોરોના મહામારીને પગલે બંને જેલમાં બંધ અંડર ટ્રાયલ કેદીઓને ટેલિફોન કે વીડિયો કોલિંગ સિસ્ટમથી પરિવારજનો સાથે વાતચીત કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટના આરોપી કે હાલ અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ અને ભોપલની જેલમાં બંધ છે. તેઓ ટેલિફોન કે વીડિયો કોલિંગ સિસ્ટમથી પરિવારજનો સાથે વાતચીત કરી શકે એ શ્રેણીમાં આવતાં ન હોવાથી તેમને વાતચીત કરવાની જેલ સત્તાધીશો દ્વારા પરવાનગી આપવામાં આવતી નથી. કોરોના મહામારીમાં કેદીઓને આપવામાં આવતી છૂટ મુદ્દે સરકાર દ્વારા સ્પષ્ટ નિર્દેશ જારી કરવામાં આવ્યાં છે અને નિયમો પ્રમાણે આરોપીઓ લાભ મેળવવા લાયક નથી.

અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસ: કોર્ટે આરોપીઓની પરિવારજનો સાથે ટેલિફોન કે વિડીયો કોલિંગથી વાતચીતની માગ કરતી અરજી ફગાવી
અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસ: કોર્ટે આરોપીઓની પરિવારજનો સાથે ટેલિફોન કે વિડીયો કોલિંગથી વાતચીતની માગ કરતી અરજી ફગાવી
નોંધનીય છે કે, ગત સપ્તાહ દરમિયાન અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસના 10 જેટલા આરોપીઓએ નિવેદન રજૂ કરવા માટે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવામાં આવે તેવી માગ સાથે દાખલ કરેલી અરજી અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું છે કે, કોરોના કાળમાં કેદીઓને અમદાવાદ જેલમાં હાલ ટ્રાન્સફર કરી શકાય નહીં.અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં ભોપલની સેન્ટ્રલ જેલમાં બંધ અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટના 10 જેટલા આરોપીઓએ અરજી કરી માગ કરી હતી કે, ભોપાલ જેલ સ્ટાફનું વર્તન યોગ્ય ન હોવાથી તેઓ માનસિક તાણ અનુભવી રહ્યાં છે અને તેમને અહીં કોઈ કાયદાકીય સલાહ આપનાર નથી જેથી તેમને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવામાં આવે. અમદાવાદ સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર રહી આરોપીઓ નિવેદન આપવા માગે છે જોકે કોર્ટે આરોપીઓની આ અરજી ફગાવી દીધી હતી. અમદાવાદ સ્પેશિયલ કોર્ટે નોંધ્યું હતું કે, જો આરોપીઓના વકીલ ઈચ્છે તો ભોપાલ જઈને આરોપીઓને નિવેદન નોંધાવવા અંગે કાયદાકીય સલાહ આપી શકે છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે 10 વર્ષ જૂના કેસની ટ્રાયલ મર્યાદિત સમયમાં પુરી થવી જોઈએ તેને ધ્યાનમાં રાખીને કોરોના કાળમાં પણ આ બૉમ્બ બ્લાસ્ટના કેસમાં કોર્ટ દ્વારા નિવેદન રેકોર્ડ કરવામાં આવી રહ્યાં છે. આ કેસમાં CrPcની કલમ 313 મુજબ નિવેદન રેકોડ કરવામાં આવી રહ્યાં છે. આ કેસમાં કુલ 78 આરોપીઓ છે.

અગાઉ આ 10 આરોપીઓ દ્વારા મધ્યપ્રદેશમાં યોજાયેલા કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલથી ભોપાલ જેલમાં લઈ જવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. આ 10 આરોપીઓ મધ્ય પ્રદેશના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે. સ્પેશિયલ કોર્ટે અગાઉ આરોપીઓને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાનો મધ્ય પ્રદેશ સરકારને આદેશ કર્યો હતો. જો કે, તેનું પાલન ન કરતાં કોર્ટે મધ્ય પ્રદેશ સરકાર સામે કન્ટેમ્પ્ટ પિટિશન પણ દાખલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.