ETV Bharat / city

પાણીમાં કોરોના વાઈરસ - ETV Bharat એ લીધી વસ્ત્રાપુર લેકની મુલાકાત

author img

By

Published : Jun 18, 2021, 8:12 PM IST

Updated : Jun 18, 2021, 9:30 PM IST

અમદાવાદની સાબરમતી નદી તેમજ ચંડોળા અને કાંકરિયા તળાવમાં કોરોના વાઈરસ મળી આવ્યા છે. એવામાં અમદાવાદના વસ્ત્રાપુર લેકની શું સ્થિતિ છે. તેની તપાસ ETV Bharat દ્વારા હાથ ધરવામાં આવી હતી. જોકે, વસ્ત્રાપુર લેકમાં પણ દૂષિત પાણી જોવા મળ્યું હતું.

પાણીમાં કોરોના વાઈરસ - ETV Bharat એ લીધી વસ્ત્રાપુર લેકની મુલાકાત
પાણીમાં કોરોના વાઈરસ - ETV Bharat એ લીધી વસ્ત્રાપુર લેકની મુલાકાત

  • સાબરમતી, ચંડોળા તળાવ અને કાંકરિયામાંથી મળી આવ્યા કોરોના વાઈરસ
  • પાણીમાંના કોરોના વાઈરસથી નથી થતું કોઈ નુક્સાન
  • વસ્ત્રાપુર તળાવની પરિસ્થિતિ તપાસવા સ્થળ પર પહોંચ્યું ETV Bharat

અમદાવાદ : વસ્ત્રાપુર લેકમાં પણ વરસાદી પાણીના સંગ્રહ માટે અને ઉનાળામાં પણ પાણી સંગ્રહ થઇ શકે તે માટે 5 MLD ટર્શરી પ્લાન્ટ નાંખવામાં આવ્યો હતો. જેના થકી ડ્રેનેજમાંથી આવતું પાણી ટ્રીટ કરી નદીમાં ઠાલવી શકાય. આ ઉપરાંત નર્મદા નદીનું પાણી પણ અહીં લાવવામાં આવી રહ્યું છે. જો કે તેની સામે તળાવનું પાણી પણ ચોખ્ખું રાખવું એટલું જ જરૂરી છે. દૂષિત પાણીથી મચ્છરોનો ઉપદ્રવ અને હાલ કોરોનાના ડેડ વાયરસ મળી આવતા તે આપણને તેની ગંભીરતા તરફ દોરી જાય છે.

પાણીમાં કોરોના વાઈરસ - ETV Bharat એ લીધી વસ્ત્રાપુર લેકની મુલાકાત

પાણીમાંના ડેડ વાઈરસ અસર કરતા નથી

સદભાગ્યે ત્રણેય સ્થળ પરથી મળી આવેલા વાઈરસ ડેડ હોવાથી તેની કોઈ અસર થતી નથી. મહત્વનું છે કે, IIT ગાંધીનગરના પ્રોફેસરે અમદાવાદ-ગાંધીનગરના 5 સ્થળોએથી સેમ્પલ લીધા હતા અને તેનો સર્વે કરીને રિપોર્ટ મેળવ્યો હતો.

જાણો કઈ રીતે મળ્યો પાણીમાંથી કોરોના વાઈરસ ?

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)ના અર્થ વિજ્ઞાન વિભાગ (Semantics Department)ના પ્રોફેસર મનીષ કુમારે અન્ય સંસ્થાઓના તાજજ્ઞોને સાથે કોરોનાને લઈને મહત્વનું રિસર્ચ કર્યું છે. સાબરમતી નદી (Sabarmati River) માંથી તેમને 18 જેટલા સેમ્પલ જ્યારે ચંડોળા તળાવ અને કાંકરિયા તળાવ (kakriya Lake) માંથી પણ અંદાજિત 16 જેટલા સેમ્પલ ચાર મહિનામાં પાંચ વખત લીધા હતા. જેના આધારે આ પાણીમાં વાઈરસ મળી આવ્યો હતો. પરંતુ આ ડેડ વાયરસ હોવાથી તેનાથી અત્યારે કોઈ ખતરો નથી તવું તેમને જણાવ્યું હતું.

વાતાવરણનું પણ મોનિટરિંગ જરૂરી

પ્રો. મનીષ કુમારે જણાવ્યું હતું કે, નદી તળાવમાં શું ઠલવાઈ રહ્યું છે તેનું સતત મોનિટરિંગ કરવું જરૂરી છે. માણસની જેમ વાતાવરણનું પણ મોનિટરિંગ કરતા રહેવું જોઈએ. જોકે આ વાયરસ ડેડ વાયરસ હોવાથી અત્યારે ડરવાની જરૂર નથી. પરંતુ સ્વિમિંગ પૂલ વગેરે પાણી વાળી જગ્યાઓ પર સાવધાની જરૂરી છે. એક નવી ગાઈડલાઈન પણ પાણીને લઇને બની શકે છે કે આવી શકે. જો કે પાણીમાં વાયરસ રહ્યો છે આ વૃત્તિ વાયરસ હતો પરંતુ આપણે સ્વિમિંગ પૂલ થી પણ થોડા એલર્ટ રહેવાની જરૂર છે. સ્વિમિંગ પૂલ પણ ખૂણામાં ખતરો સાબિત થઈ પણ શકે છે. આપણે પાણી પર વધુ નિર્ભર રહેતા હોઈએ છીએ જેથી આ રિસર્ચ વધુ મહત્વનું સાબિત થઈ શકે છે.

વૈજ્ઞાનિક ઢબે સર્વે

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, અમે પાણીમાં વાઈરસ છે કે નહીં તેનું રિસર્ચ કરતા પહેલા તેના સેમ્પલ લઈએ છીએ. આ પાણીને ફિલ્ટર કરીએ છીએ અને તેનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરીએ છે અને પછી તેમાંથી તારણ કાઢીએ છીએ. અમે ચાર મહિનામાં પાંચ વાર જુદા જુદા સેમ્પલ લીધા હતા. જેને એક પ્રકારનું સ્ટેપલ સર્વેલન્સ કહી શકાય. આ પહેલા અમે વેસ્ટ વોટર સર્વે કર્યો હતો તેમાં પણ આ પ્રકારે જીન લીધા હતા જેમાં તારણ એ આવ્યું હતું, બીમારી આવતા પહેલા ખબર પડી શકે છે. તે જ રીતે આ સર્વે કર્યો છે જેમાં પાણીમાં પણ વાઈરસ છે કે નહીં, જો કે, અમે કરેલા સર્વેમાં ડેડ વાયરસ સામે આવ્યો છે. જેથી ચિંતાની કોઈ વાત નથી.

  • સાબરમતી, ચંડોળા તળાવ અને કાંકરિયામાંથી મળી આવ્યા કોરોના વાઈરસ
  • પાણીમાંના કોરોના વાઈરસથી નથી થતું કોઈ નુક્સાન
  • વસ્ત્રાપુર તળાવની પરિસ્થિતિ તપાસવા સ્થળ પર પહોંચ્યું ETV Bharat

અમદાવાદ : વસ્ત્રાપુર લેકમાં પણ વરસાદી પાણીના સંગ્રહ માટે અને ઉનાળામાં પણ પાણી સંગ્રહ થઇ શકે તે માટે 5 MLD ટર્શરી પ્લાન્ટ નાંખવામાં આવ્યો હતો. જેના થકી ડ્રેનેજમાંથી આવતું પાણી ટ્રીટ કરી નદીમાં ઠાલવી શકાય. આ ઉપરાંત નર્મદા નદીનું પાણી પણ અહીં લાવવામાં આવી રહ્યું છે. જો કે તેની સામે તળાવનું પાણી પણ ચોખ્ખું રાખવું એટલું જ જરૂરી છે. દૂષિત પાણીથી મચ્છરોનો ઉપદ્રવ અને હાલ કોરોનાના ડેડ વાયરસ મળી આવતા તે આપણને તેની ગંભીરતા તરફ દોરી જાય છે.

પાણીમાં કોરોના વાઈરસ - ETV Bharat એ લીધી વસ્ત્રાપુર લેકની મુલાકાત

પાણીમાંના ડેડ વાઈરસ અસર કરતા નથી

સદભાગ્યે ત્રણેય સ્થળ પરથી મળી આવેલા વાઈરસ ડેડ હોવાથી તેની કોઈ અસર થતી નથી. મહત્વનું છે કે, IIT ગાંધીનગરના પ્રોફેસરે અમદાવાદ-ગાંધીનગરના 5 સ્થળોએથી સેમ્પલ લીધા હતા અને તેનો સર્વે કરીને રિપોર્ટ મેળવ્યો હતો.

જાણો કઈ રીતે મળ્યો પાણીમાંથી કોરોના વાઈરસ ?

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)ના અર્થ વિજ્ઞાન વિભાગ (Semantics Department)ના પ્રોફેસર મનીષ કુમારે અન્ય સંસ્થાઓના તાજજ્ઞોને સાથે કોરોનાને લઈને મહત્વનું રિસર્ચ કર્યું છે. સાબરમતી નદી (Sabarmati River) માંથી તેમને 18 જેટલા સેમ્પલ જ્યારે ચંડોળા તળાવ અને કાંકરિયા તળાવ (kakriya Lake) માંથી પણ અંદાજિત 16 જેટલા સેમ્પલ ચાર મહિનામાં પાંચ વખત લીધા હતા. જેના આધારે આ પાણીમાં વાઈરસ મળી આવ્યો હતો. પરંતુ આ ડેડ વાયરસ હોવાથી તેનાથી અત્યારે કોઈ ખતરો નથી તવું તેમને જણાવ્યું હતું.

વાતાવરણનું પણ મોનિટરિંગ જરૂરી

પ્રો. મનીષ કુમારે જણાવ્યું હતું કે, નદી તળાવમાં શું ઠલવાઈ રહ્યું છે તેનું સતત મોનિટરિંગ કરવું જરૂરી છે. માણસની જેમ વાતાવરણનું પણ મોનિટરિંગ કરતા રહેવું જોઈએ. જોકે આ વાયરસ ડેડ વાયરસ હોવાથી અત્યારે ડરવાની જરૂર નથી. પરંતુ સ્વિમિંગ પૂલ વગેરે પાણી વાળી જગ્યાઓ પર સાવધાની જરૂરી છે. એક નવી ગાઈડલાઈન પણ પાણીને લઇને બની શકે છે કે આવી શકે. જો કે પાણીમાં વાયરસ રહ્યો છે આ વૃત્તિ વાયરસ હતો પરંતુ આપણે સ્વિમિંગ પૂલ થી પણ થોડા એલર્ટ રહેવાની જરૂર છે. સ્વિમિંગ પૂલ પણ ખૂણામાં ખતરો સાબિત થઈ પણ શકે છે. આપણે પાણી પર વધુ નિર્ભર રહેતા હોઈએ છીએ જેથી આ રિસર્ચ વધુ મહત્વનું સાબિત થઈ શકે છે.

વૈજ્ઞાનિક ઢબે સર્વે

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, અમે પાણીમાં વાઈરસ છે કે નહીં તેનું રિસર્ચ કરતા પહેલા તેના સેમ્પલ લઈએ છીએ. આ પાણીને ફિલ્ટર કરીએ છીએ અને તેનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરીએ છે અને પછી તેમાંથી તારણ કાઢીએ છીએ. અમે ચાર મહિનામાં પાંચ વાર જુદા જુદા સેમ્પલ લીધા હતા. જેને એક પ્રકારનું સ્ટેપલ સર્વેલન્સ કહી શકાય. આ પહેલા અમે વેસ્ટ વોટર સર્વે કર્યો હતો તેમાં પણ આ પ્રકારે જીન લીધા હતા જેમાં તારણ એ આવ્યું હતું, બીમારી આવતા પહેલા ખબર પડી શકે છે. તે જ રીતે આ સર્વે કર્યો છે જેમાં પાણીમાં પણ વાઈરસ છે કે નહીં, જો કે, અમે કરેલા સર્વેમાં ડેડ વાયરસ સામે આવ્યો છે. જેથી ચિંતાની કોઈ વાત નથી.

Last Updated : Jun 18, 2021, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.