અમદાવાદ: 15 ઓગસ્ટ 1947માં દેશ આઝાદ થયો ત્યારથી સરકારી કચેરીઓમાં બારે મહિના રાષ્ટ્રધ્વજ ફરકતો જોઈ શકાય છે. પરંતુ 15 ઓગસ્ટના દિવસે વિશેષ રીતે આઝાદી પર્વ ઉજવવામાં આવે છે.
![અમદાવાદના રેલવે ડિવિઝન અસારવા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-06-western-railway-flag-hosting-photo-story-7209112_15082020112748_1508f_1597471068_871.jpg)
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં અસારવા વિભાગીય કચેરી ખાતે 74મા આઝાદી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગીય રેલવે મેનેજર દિપક કુમાર ઝાએ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે રેલવે સંરક્ષણ દળ અને સ્કાઉટ એન્ડ ગાઈડ પરેડની સલામી લીધી હતી. દિપક કુમાર ઝાએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલાનો સંદેશ રેલવે કર્મચારીઓને આપ્યો હતો.
![અમદાવાદના રેલવે ડિવિઝન અસારવા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-06-western-railway-flag-hosting-photo-story-7209112_15082020112748_1508f_1597471068_683.jpg)