- કુમકુમ મંદિરમાં ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી
- ગુજરાતના નક્શાની 8 ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી
- મંદિરના સાધુ દ્વારા સૌને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી
અમદાવાદઃ ગુજરાતના 61માં સ્થાપના દિન પ્રસંગે સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગર દ્વારા મહંત પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ખુમારી, પુરુષાર્થ અને જુસ્સા સાથે આપત્તિ સામે લડવુંએ ગુજરાતની પ્રજાના લોહીમાં રહેલું છે. હાલ કોરોના વાઇરસની મહામારી સામે આપણે એકસાથે લડવું જોઈએ. આમ, આપણે સાથે મળીને લડીશું તો અવશ્ય કોરાનાને હરાવી શકીશું. આ સાથે, માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડીસ્ટન્ટસ જાળવવું જોઈએ તે અંગેના પ્લેકાર્ડ પણ અંકિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : જામનગરમાં આજથી વેક્સિનેશનના ચોથા તબકકાનો પ્રારંભ
રસી લેવાથી આ કોરોના વાઇરસમાંથી મુક્ત થઈ શકાશે
ગુજરાતની ભૂમિ ગાંધીજી, સરદાર વલ્લભાઈ પટેલની કર્મભૂમિ છે. તેમણે, આપણને આપત્તિઓ સામે ઝઝૂમવાનું અને વિજય મેળવવાનું શીખવ્યું છે. તેથી, આપણે સૌ કોરોના વાઇરસની ઉપાધિ સામે હતાશ ન થઈએ અને સંપીને એક સાથે તેની સામે લડીશું તો અવશ્ય વિજય મેળવીશું. 18 વર્ષની ઉંમરથી ઉપરના યુવાનો માટે કોરોના વાઇરસની રસી મૂકવાનું પ્રારંભ થયો છે. ત્યારે, તમામ લોકોએ રસીના 2 ડોઝ લેવા જોઈએ અને સૌને લેવડાવવા જોઈએ. રસી લેવાથી આ કોરોના વાઇરસમાંથી મુક્ત થઈ શકાશે.
આ પણ વાંચો : વાપીમાં VIA વેક્સિનેશન કેમ્પમાં 2,774 લોકોએ વેક્સિનનો લાભ મેળવ્યો