ETV Bharat / city

બાકરોલ ચેક પોઇન્ટ ખાતે આજે 71 વાહનોના 294 મુસાફરોનું ટેસ્ટીંગ કરાયું

રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદમાં પ્રવેશના વિવિધ માર્ગો પર વાહનોમાં આવતા વાહનોનું પણ સઘન ચેકિંગ કરવાનો નવતર અભિગમ રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે તે અંતર્ગત કોર્પોરેશનની ટીમો દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે.

author img

By

Published : Jul 28, 2020, 10:46 PM IST

Bacroll checkpoint
બાકરોલ ચેક પોઇન્ટ

અમદાવાદઃ છેલ્લાં 14 દિવસથી ધોળકા તરફથી અમદાવાદ શહેરમાં પ્રવેશતા મુસાફરોના સઘન ચેકિંગનો નવતર અભિગમ અપનાવામાં આવ્યો છે. આ માટે બાકરોલ ચેક પોઈન્ટ ખાતે કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે આજે 11 એસ.ટી. બસ અને 60 ખાનગી કાર સહિત કુલ 60 વાહનોના મુસાફરોનું ટેસ્ટીંગ કરીને કુલ 294 લોકોનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 03 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ જણાયો હતો.

રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા આ ચેક પોઈન્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટિંગમાં કોરોનાના શંકાસ્પદ જણાતા મુસાફરને જે તે જિલ્લાની કોવિડ કેર હોસ્પિટલ અને અમદાવાદની સમરસ હોસ્ટેલમાં રીફર કરવામાં આવ્યા હતાં. જ્યાં કોરોનાની વધુ સઘન સારવાર આ મુસાફરોને આપવામાં આવશે.

અમદાવાદઃ છેલ્લાં 14 દિવસથી ધોળકા તરફથી અમદાવાદ શહેરમાં પ્રવેશતા મુસાફરોના સઘન ચેકિંગનો નવતર અભિગમ અપનાવામાં આવ્યો છે. આ માટે બાકરોલ ચેક પોઈન્ટ ખાતે કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે આજે 11 એસ.ટી. બસ અને 60 ખાનગી કાર સહિત કુલ 60 વાહનોના મુસાફરોનું ટેસ્ટીંગ કરીને કુલ 294 લોકોનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 03 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ જણાયો હતો.

રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા આ ચેક પોઈન્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટિંગમાં કોરોનાના શંકાસ્પદ જણાતા મુસાફરને જે તે જિલ્લાની કોવિડ કેર હોસ્પિટલ અને અમદાવાદની સમરસ હોસ્ટેલમાં રીફર કરવામાં આવ્યા હતાં. જ્યાં કોરોનાની વધુ સઘન સારવાર આ મુસાફરોને આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.