ETV Bharat / business

Elon Musk On Parag Agarwal: ઈલોન મસ્કે ટ્વિટરના CEO પદેથી પરાગ અગ્રવાલને હટાવવાનું કારણ જણાવ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 3:36 PM IST

ભારતીય મૂળના પૂર્વ ટ્વિટર CEO પરાગ અગ્રવાલને કંપનીમાંથી હટાવવા પાછળનું કારણ સ્પષ્ટ થઈ ગયું છે. અમેરિકન લેખક-પત્રકાર વોલ્ટર આઇઝેકસન દ્વારા લખાયેલા 'ઇલોન મસ્ક' નામના પુસ્તકમાં ઇલોન મસ્ક દ્વારા પરાગ અગ્રવાલ વિશે માહિતી આપવામાં આવી છે.

Etv BharatElon Musk On Parag Agarwal
Etv BharatElon Musk On Parag Agarwal

નવી દિલ્હીઃ ગત વર્ષે ટ્વિટરનો ચાર્જ સંભાળતાની સાથે જ સીઈઓ પરાગ અગ્રવાલને બરતરફ કરી દીધા હતા. હવે ટેસ્લા CEO એલોન મસ્કે ભારતીય મૂળના પૂર્વ ટ્વિટર CEO પરાગ અગ્રવાલને કંપનીમાંથી હટાવવાનું કારણ જણાવ્યું છે. દુનિયાના સૌથી ધનાઢ્ય અબજોપતિઓમાંના એક, મસ્કે જણાવ્યું કે, પરાગ અગ્રવાલ સોશિયલ મીડિયાની માંગ અનુસાર કામ કરવામાં અસમર્થ હતા. અમેરિકન લેખક-પત્રકાર વોલ્ટર આઇઝેકસન દ્વારા લખાયેલા 'ઇલોન મસ્ક' નામના પુસ્તકમાં, મસ્કને એક નિયમ તોડનાર સ્વપ્નદ્રષ્ટા તરીકે વર્ણવવામાં આવ્યા છે, જેમણે વિશ્વને ઇલેક્ટ્રિક વાહનોના યુગમાં લઈ જવામાં મદદ કરી છે.

મસ્કે પરાગ અગ્રવાલ વિશે શું કહ્યું?: પરાગ અગ્રવાલ સાથેની મુલાકાત વિશે મસ્કે કહ્યું કે, "તે ખરેખર એક સારો વ્યક્તિ છે. જો કે, મેનેજર્સનો ધ્યેય એ ન હોવો જોઈએ કે બધાને તેઓ ગમે. ટ્વિટરને એક ફાયર બ્રિથિંગ ડ્રેગનની જરૂર છે અને પરાગ એ શખ્સ નથી."

આ પુસ્તક 12 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થશેઃ આ પુસ્તક વોલ્ટર આઇઝેકસન દ્વારા લખવામાં આવ્યું છે, આ પુસ્તક 12 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થશે. વોલ સ્ટ્રીટ જર્નલે આ બાયોગ્રાફીમાંથી એક અંશ પ્રકાશિત કર્યો છે. 27 ઓક્ટોબરે 44 બિલિયન ડોલરમાં ડીલ ફાઇનલ થઇ હતી.

હાલમાં કોણ છે ટ્વિટરના CEO: પરાગ અગ્રવાલને બરતરફ કર્યા પછી, મસ્કે પોતે CEOનું પદ સંભાળ્યું હતું. બાદમાં જૂનમાં લિન્ડા યાકારિનોની આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. તેઓ વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ છે. સાન ફ્રાન્સિસ્કો-મુખ્ય મથક ધરાવતી કંપનીનું નામ જુલાઈમાં X કોર્પ રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ

  1. Ratan Tata: જાણો રતન ટાટાની પહેલી નોકરીની રસપ્રદ કહાની વિશે
  2. Investing for Short Term: એક વર્ષથી ઓછા સમય માટે રોકાણ કરવા માંગો છો, તો આજે જ કરો અહીં રોકાણ
  3. Rules Change From 1st Sept 2023: સપ્ટેમ્બરમાં થઈ રહ્યા છે આ મોટા ફેરફારો, આ મહિનામાં આ કામ પૂરા કરો

નવી દિલ્હીઃ ગત વર્ષે ટ્વિટરનો ચાર્જ સંભાળતાની સાથે જ સીઈઓ પરાગ અગ્રવાલને બરતરફ કરી દીધા હતા. હવે ટેસ્લા CEO એલોન મસ્કે ભારતીય મૂળના પૂર્વ ટ્વિટર CEO પરાગ અગ્રવાલને કંપનીમાંથી હટાવવાનું કારણ જણાવ્યું છે. દુનિયાના સૌથી ધનાઢ્ય અબજોપતિઓમાંના એક, મસ્કે જણાવ્યું કે, પરાગ અગ્રવાલ સોશિયલ મીડિયાની માંગ અનુસાર કામ કરવામાં અસમર્થ હતા. અમેરિકન લેખક-પત્રકાર વોલ્ટર આઇઝેકસન દ્વારા લખાયેલા 'ઇલોન મસ્ક' નામના પુસ્તકમાં, મસ્કને એક નિયમ તોડનાર સ્વપ્નદ્રષ્ટા તરીકે વર્ણવવામાં આવ્યા છે, જેમણે વિશ્વને ઇલેક્ટ્રિક વાહનોના યુગમાં લઈ જવામાં મદદ કરી છે.

મસ્કે પરાગ અગ્રવાલ વિશે શું કહ્યું?: પરાગ અગ્રવાલ સાથેની મુલાકાત વિશે મસ્કે કહ્યું કે, "તે ખરેખર એક સારો વ્યક્તિ છે. જો કે, મેનેજર્સનો ધ્યેય એ ન હોવો જોઈએ કે બધાને તેઓ ગમે. ટ્વિટરને એક ફાયર બ્રિથિંગ ડ્રેગનની જરૂર છે અને પરાગ એ શખ્સ નથી."

આ પુસ્તક 12 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થશેઃ આ પુસ્તક વોલ્ટર આઇઝેકસન દ્વારા લખવામાં આવ્યું છે, આ પુસ્તક 12 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થશે. વોલ સ્ટ્રીટ જર્નલે આ બાયોગ્રાફીમાંથી એક અંશ પ્રકાશિત કર્યો છે. 27 ઓક્ટોબરે 44 બિલિયન ડોલરમાં ડીલ ફાઇનલ થઇ હતી.

હાલમાં કોણ છે ટ્વિટરના CEO: પરાગ અગ્રવાલને બરતરફ કર્યા પછી, મસ્કે પોતે CEOનું પદ સંભાળ્યું હતું. બાદમાં જૂનમાં લિન્ડા યાકારિનોની આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. તેઓ વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ છે. સાન ફ્રાન્સિસ્કો-મુખ્ય મથક ધરાવતી કંપનીનું નામ જુલાઈમાં X કોર્પ રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ

  1. Ratan Tata: જાણો રતન ટાટાની પહેલી નોકરીની રસપ્રદ કહાની વિશે
  2. Investing for Short Term: એક વર્ષથી ઓછા સમય માટે રોકાણ કરવા માંગો છો, તો આજે જ કરો અહીં રોકાણ
  3. Rules Change From 1st Sept 2023: સપ્ટેમ્બરમાં થઈ રહ્યા છે આ મોટા ફેરફારો, આ મહિનામાં આ કામ પૂરા કરો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.