ETV Bharat / business

PM Modi in Gujrat: સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર કરશે નાણાકીય મદદ, જાપાને રોકાણનો હાથ લંબાવ્યો

author img

By

Published : Jul 28, 2023, 4:13 PM IST

મોદી સરકાર દેશને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગે છે. જેના માટે વિદેશી રોકાણકારોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. જાપાન 2027 સુધીમાં ભારતમાં 35.9 બિલિયન ડોલરનું રોકાણ કરશે.

Etv BharatPM Modi in Gujrat
Etv BharatPM Modi in Gujrat

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ટેક્નોલોજી કંપનીઓને 50 ટકા નાણાકીય સહાય આપવામાં આવશે. શુક્રવારે આની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, તેમની સરકારે સેમિકન્ડક્ટર ઉદ્યોગોને તમામ પ્રકારની સુવિધાઓ આપી છે. ગાંધીનગરમાં 'સેમિકોન ઈન્ડિયા 2023' કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યા બાદ મોદીએ કહ્યું હતું કે, દેશમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ માટે સંપૂર્ણ ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ કહ્યું: 'અમે સેમકોન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ પ્રોત્સાહનો ઓફર કરી રહ્યા હતા. હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે, અને હવે ટેક્નોલોજી કંપનીઓને ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા માટે 50 ટકા નાણાકીય સહાય મળશે.

સેમિકન્ડક્ટર ડિઝાઇન પર કોર્સ શરૂ થશે: મોદીએ કહ્યું કે, ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ ઝડપથી વિકાસ પામશે. તેમણે કહ્યું કે, એક વર્ષ પહેલા લોકો પૂછતા હતા કે તેઓએ ભારતના સેમિકન્ડક્ટર સેક્ટરમાં શા માટે રોકાણ કરવું જોઈએ, અને હવે તેઓ પૂછે છે કે ભારતમાં રોકાણ કેમ ન કરવું. મોદીએ કહ્યું કે, વિશ્વને એક વિશ્વસનીય ચિપ સપ્લાય ચેઇનની જરૂર છે. મોદીએ કહ્યું કે, સેમિકન્ડક્ટર ડિઝાઇન પર અભ્યાસક્રમો શરૂ કરવા માટે ભારતમાં 300 શાળાઓની ઓળખ કરવામાં આવી છે.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ: મોદીએ વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ વિશે કહ્યું કે, તે લોકોની આકાંક્ષાઓથી પ્રેરિત છે અને અલગ-અલગ સમયે આવી ઘટનાઓ બની છે. પીએમ માને છે કે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ જે અત્યારે જોવા મળી રહી છે તે ભારતની આકાંક્ષાઓથી પ્રેરિત છે.

જાપાન કરશે રોકાણઃ જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી ભારતની મુલાકાતે છે. તેમણે સેમિકન્ડક્ટર્સની સપ્લાય ચેઈનને લઈને ભારતના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે. જેના આધારે જાપાન 2027 સુધીમાં ભારતમાં 35.9 અબજ ડોલરનું રોકાણ કરશે તેવી અપેક્ષા છે.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું: 'ભારત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના ડિઝાઇનથી મેન્યુફેક્ચરિંગ સુધી તમામ મુખ્ય ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ કારણે દેશ વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યો છે. ઈલેક્ટ્રોનિક્સની માંગ દર વર્ષે વધી રહી છે. ભારત માટે માઈક્રોનની મેગા યોજનાઓ અંગે વૈષ્ણવે કહ્યું કે, પ્લાન્ટનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે.

આ પણ વાંચો:

  1. PM Kisan 14th Installment: PM કિસાન યોજનાનો 14મો હપ્તો જાહેર, જાણો કોને આ યોજનાનો લાભ મળ્યો નથી
  2. RBI Report: બેંકોએ 9 વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુની બાકી લોન વસૂલ કરી

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ટેક્નોલોજી કંપનીઓને 50 ટકા નાણાકીય સહાય આપવામાં આવશે. શુક્રવારે આની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, તેમની સરકારે સેમિકન્ડક્ટર ઉદ્યોગોને તમામ પ્રકારની સુવિધાઓ આપી છે. ગાંધીનગરમાં 'સેમિકોન ઈન્ડિયા 2023' કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યા બાદ મોદીએ કહ્યું હતું કે, દેશમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ માટે સંપૂર્ણ ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ કહ્યું: 'અમે સેમકોન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ પ્રોત્સાહનો ઓફર કરી રહ્યા હતા. હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે, અને હવે ટેક્નોલોજી કંપનીઓને ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા માટે 50 ટકા નાણાકીય સહાય મળશે.

સેમિકન્ડક્ટર ડિઝાઇન પર કોર્સ શરૂ થશે: મોદીએ કહ્યું કે, ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ ઝડપથી વિકાસ પામશે. તેમણે કહ્યું કે, એક વર્ષ પહેલા લોકો પૂછતા હતા કે તેઓએ ભારતના સેમિકન્ડક્ટર સેક્ટરમાં શા માટે રોકાણ કરવું જોઈએ, અને હવે તેઓ પૂછે છે કે ભારતમાં રોકાણ કેમ ન કરવું. મોદીએ કહ્યું કે, વિશ્વને એક વિશ્વસનીય ચિપ સપ્લાય ચેઇનની જરૂર છે. મોદીએ કહ્યું કે, સેમિકન્ડક્ટર ડિઝાઇન પર અભ્યાસક્રમો શરૂ કરવા માટે ભારતમાં 300 શાળાઓની ઓળખ કરવામાં આવી છે.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ: મોદીએ વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ વિશે કહ્યું કે, તે લોકોની આકાંક્ષાઓથી પ્રેરિત છે અને અલગ-અલગ સમયે આવી ઘટનાઓ બની છે. પીએમ માને છે કે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ જે અત્યારે જોવા મળી રહી છે તે ભારતની આકાંક્ષાઓથી પ્રેરિત છે.

જાપાન કરશે રોકાણઃ જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી ભારતની મુલાકાતે છે. તેમણે સેમિકન્ડક્ટર્સની સપ્લાય ચેઈનને લઈને ભારતના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે. જેના આધારે જાપાન 2027 સુધીમાં ભારતમાં 35.9 અબજ ડોલરનું રોકાણ કરશે તેવી અપેક્ષા છે.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું: 'ભારત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના ડિઝાઇનથી મેન્યુફેક્ચરિંગ સુધી તમામ મુખ્ય ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ કારણે દેશ વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યો છે. ઈલેક્ટ્રોનિક્સની માંગ દર વર્ષે વધી રહી છે. ભારત માટે માઈક્રોનની મેગા યોજનાઓ અંગે વૈષ્ણવે કહ્યું કે, પ્લાન્ટનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે.

આ પણ વાંચો:

  1. PM Kisan 14th Installment: PM કિસાન યોજનાનો 14મો હપ્તો જાહેર, જાણો કોને આ યોજનાનો લાભ મળ્યો નથી
  2. RBI Report: બેંકોએ 9 વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુની બાકી લોન વસૂલ કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.