ETV Bharat / business

નાણાપ્રધાન શુક્રવારે જાહેર ક્ષેત્રના બેંક વડાઓ સાથે મુલાકાત કરશે

author img

By

Published : May 21, 2020, 4:51 PM IST

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ શુક્રવારે જાહેર ક્ષેત્રના બેંક વડાઓ સાથે મુલાકાત કરશે આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. આ બેઠકમાં, બેંકો વતી લોન લેનારાઓને વ્યાજ દરનો લાભ આપવા અને લોનના હપ્તા પર પ્રતિબંધ મૂકવાની બાબતમાં થયેલી પ્રગતિની પણ નોંધ લેવામાં આવશે.

નાણાંપ્રધાન
નાણાંપ્રધાન

નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારામન શુક્રવારે જાહેર ક્ષેત્રના બેન્ક વડાઓ, મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઈઓ) સાથે સમીક્ષા બેઠક કરશે. આ સમયગાળા દરમિયાન, કોરોના વાઇરસથી અસરગ્રસ્ત અર્થતંત્રને પાછા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને બેન્કોમાંથી લોન ઉપાડ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ બેઠક અગાઉ 11 મેના રોજ યોજાવાની હતી, પરંતુ પ્રોત્સાહન પેકેજની ઘોષણાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. આ બેઠકમાં, બેન્કો વતી લોન લેનારાઓને વ્યાજ દરનો લાભ આપવા અને લોનના હપ્તા પર પ્રતિબંધ મૂકવાની બાબતમાં થયેલી પ્રગતિની પણ નોંધ લેવામાં આવશે.

27 માર્ચે રિઝર્વ બેન્કે રેપોરેટમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો હતો. આ સાથે, લોન લેનારાઓને રાહતત આપવા માટે બેન્કે તેમના દ્વારા લોન હપતા અને વ્યાજની ચુકવણી પર ત્રણ મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો.

આ રાહત કોરોના વાઇરસને કારણે લાગુ થયેલા લોકડાઉન દરમિયાન લોકોને થતી આવકનમાં ખોટને ધ્યાનમાં રાખીને આપવામાં આવી હતી.

નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારામન શુક્રવારે જાહેર ક્ષેત્રના બેન્ક વડાઓ, મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઈઓ) સાથે સમીક્ષા બેઠક કરશે. આ સમયગાળા દરમિયાન, કોરોના વાઇરસથી અસરગ્રસ્ત અર્થતંત્રને પાછા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને બેન્કોમાંથી લોન ઉપાડ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ બેઠક અગાઉ 11 મેના રોજ યોજાવાની હતી, પરંતુ પ્રોત્સાહન પેકેજની ઘોષણાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. આ બેઠકમાં, બેન્કો વતી લોન લેનારાઓને વ્યાજ દરનો લાભ આપવા અને લોનના હપ્તા પર પ્રતિબંધ મૂકવાની બાબતમાં થયેલી પ્રગતિની પણ નોંધ લેવામાં આવશે.

27 માર્ચે રિઝર્વ બેન્કે રેપોરેટમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો હતો. આ સાથે, લોન લેનારાઓને રાહતત આપવા માટે બેન્કે તેમના દ્વારા લોન હપતા અને વ્યાજની ચુકવણી પર ત્રણ મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો.

આ રાહત કોરોના વાઇરસને કારણે લાગુ થયેલા લોકડાઉન દરમિયાન લોકોને થતી આવકનમાં ખોટને ધ્યાનમાં રાખીને આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.