નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ચીની નાગરિક હવે રાષ્ટ્રીય રાજધાનીમાં બજેટ હોટલ અથવા ગેસ્ટ હાઉસ આવાસનો ઉપયોગ કરી શકશે નહીં.
દિલ્હી હોટલ અને રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિએશન (ડીએચઆરઓએ) એ જાહેરાત કરી કે દિલ્હીમાં ચાઇનીઝ નાગરિકોને બજેટ હોટલ અથવા ગેસ્ટ હાઉસની સગવડ આપવામાં આવશે નહીં.
ડીએચઆરઓએ ફેડરેશનઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએટી cat) ના "બહિષ્કાર ચીની અભિયાન" ને સર્મથન કર્યું હતું.
કેટ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચીનની નકારાત્મક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી કોઈ પણ ચીની નાગરિકોને દિલ્હીની હોટલો અને ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવશે નહીં.
"દિલ્હીમાં આશરે 75 હજાર રુમવાળા 3,000 બજેટ હોટલ અને ગેસ્ટ હાઉસ છે".
આ ઉપરાંત, ડીએચઆરઓ એ તેની હોટલ અને ગેસ્ટ હાઉસમાં ચીનના કોઈપણ ઉત્પાદનોનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય કર્યો.
નિવેદનના જણાવ્યા અનુસાર, CAT હવે આ અભિયાનમાં જોડાવા માટે વિવિધ ક્ષેત્રોને સાથે લાવવાનો પ્રયાસ કરશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "CAT હવે પરિવહનના, ખેડુતો, નાના ઉદ્યોગો, ગ્રાહક ઉદ્યમીઓ, મહિલા ઉદ્યમીઓનો સંપર્ક કરશે અને તેમને આ અભિયાનમાં જોડશે."
વધુમાં કેટે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021 સુધીમાં ભારતીય નાગરિકોની સાથે વેપારીઓ ચીનથી આયાત ઘટાડીને રૂપિયા 1 લાખ કરોડ કરશે.