ETV Bharat / bharat

Violence in Howrah: પશ્ચિમ બંગાળમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હિંસા, વાહનોમાં આગ - રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હિંસા

પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. શોભાયાત્રા પર કાચની બોટલ ફેંકાયા બાદ કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

Violence in Howrah :
Violence in Howrah :
author img

By

Published : Mar 30, 2023, 8:57 PM IST

કોલકાતા: હાવડામાં અંજની પુત્ર સેનાની રામનવમી શોભાયાત્રામાં હિંસા ફાટી નીકળી હતી. શોભાયાત્રા જ્યારે સંધ્યાબજાર પહોંચી ત્યારે તેના પર બિયરની બોટલો અને કાચની બોટલો ફેંકવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 10-15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

વાહનોમાં આગ: ઘટનાને લઈને અંજની પુત્ર સેનાના કાર્યકરોએ વિવિધ સ્થળોએ આગચંપી કરીને વિરોધ શરૂ કર્યો હતો. કૂચના આયોજકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસે લાઠીઓ સાથે તેમનો પીછો કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. તેમનો આરોપ છે કે શાંતિપૂર્ણ શોભાયાત્રા પર હુમલો કરનારાઓ સામે પોલીસે કાર્યવાહી કરી નથી.

ઘણા લોકો ઈજાગ્રસ્ત: ગયા વર્ષની જેમ આ વર્ષે પણ હાવડાના શિબપુરમાં રામનવમીના શોભાયાત્રામાં સમગ્ર વિસ્તારમાં હિંસા જોવા મળી હતી. ઘણા લોકોના માથા પર ઈજાઓ થઈ હતી. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સમગ્ર રામનવમી શોભાયાત્રા આ હિંસાનો ભોગ બની હતી.

આ પણ વાંચો: Ramnavmi 2023: મર્યાદા પુરૂષોત્તમના પર્વ પર પથ્થરમારો, પોલીસ છાવણીમાં વડોદરા

શોભાયાત્રા પર હુમલો: શાંતિપૂર્ણ શોભાયાત્રા કાઢવાની પરવાનગી માટે પોલીસ પ્રશાસનને અગાઉથી જાણ કરવામાં આવી હતી. જો કે ગત વર્ષની જેમ આ વખતે પણ સંધ્યાબજાર વિસ્તારમાં પ્રવેશતા જ શોભાયાત્રા પર હુમલો થયો હતો. તેમણે પોલીસ પ્રશાસનને ચેતવણી આપી હતી કે જો તેની સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો રમઝાન અને ઈદમાં પણ જુલૂસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ પણ વાંચો: Maharashtra Crime News : મહારાષ્ટ્રમાં રામ નવમી પર બે જૂથો વચ્ચે થઇ અથડામણ, વાહનોમાં લગાવાઇ આગ

શોભાયાત્રામાં હિંસા: અંજની પુત્ર સેનાના સ્થાપક સચિવ સુરેન્દ્ર બાબાએ ફરિયાદ કરી હતી કે વહીવટીતંત્રની સુવિધા માટે અંજની પુત્ર સેના, વિશ્વ હિન્દુ પરિષદ અને 42 સંગઠનોએ મળીને ગુરુવારે આ શોભાયાત્રા કાઢી હતી. નોંધનીય છે કે ગત વર્ષે પણ આ જ સંધ્યા બજાર વિસ્તારમાં અંજની પુત્ર સેના અને વિશ્વ હિન્દુ પરિષદના સરઘસ દરમિયાન ઈંટો અને કાચની બોટલો ફેંકવામાં આવી હતી.

કોલકાતા: હાવડામાં અંજની પુત્ર સેનાની રામનવમી શોભાયાત્રામાં હિંસા ફાટી નીકળી હતી. શોભાયાત્રા જ્યારે સંધ્યાબજાર પહોંચી ત્યારે તેના પર બિયરની બોટલો અને કાચની બોટલો ફેંકવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 10-15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

વાહનોમાં આગ: ઘટનાને લઈને અંજની પુત્ર સેનાના કાર્યકરોએ વિવિધ સ્થળોએ આગચંપી કરીને વિરોધ શરૂ કર્યો હતો. કૂચના આયોજકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસે લાઠીઓ સાથે તેમનો પીછો કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. તેમનો આરોપ છે કે શાંતિપૂર્ણ શોભાયાત્રા પર હુમલો કરનારાઓ સામે પોલીસે કાર્યવાહી કરી નથી.

ઘણા લોકો ઈજાગ્રસ્ત: ગયા વર્ષની જેમ આ વર્ષે પણ હાવડાના શિબપુરમાં રામનવમીના શોભાયાત્રામાં સમગ્ર વિસ્તારમાં હિંસા જોવા મળી હતી. ઘણા લોકોના માથા પર ઈજાઓ થઈ હતી. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સમગ્ર રામનવમી શોભાયાત્રા આ હિંસાનો ભોગ બની હતી.

આ પણ વાંચો: Ramnavmi 2023: મર્યાદા પુરૂષોત્તમના પર્વ પર પથ્થરમારો, પોલીસ છાવણીમાં વડોદરા

શોભાયાત્રા પર હુમલો: શાંતિપૂર્ણ શોભાયાત્રા કાઢવાની પરવાનગી માટે પોલીસ પ્રશાસનને અગાઉથી જાણ કરવામાં આવી હતી. જો કે ગત વર્ષની જેમ આ વખતે પણ સંધ્યાબજાર વિસ્તારમાં પ્રવેશતા જ શોભાયાત્રા પર હુમલો થયો હતો. તેમણે પોલીસ પ્રશાસનને ચેતવણી આપી હતી કે જો તેની સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો રમઝાન અને ઈદમાં પણ જુલૂસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ પણ વાંચો: Maharashtra Crime News : મહારાષ્ટ્રમાં રામ નવમી પર બે જૂથો વચ્ચે થઇ અથડામણ, વાહનોમાં લગાવાઇ આગ

શોભાયાત્રામાં હિંસા: અંજની પુત્ર સેનાના સ્થાપક સચિવ સુરેન્દ્ર બાબાએ ફરિયાદ કરી હતી કે વહીવટીતંત્રની સુવિધા માટે અંજની પુત્ર સેના, વિશ્વ હિન્દુ પરિષદ અને 42 સંગઠનોએ મળીને ગુરુવારે આ શોભાયાત્રા કાઢી હતી. નોંધનીય છે કે ગત વર્ષે પણ આ જ સંધ્યા બજાર વિસ્તારમાં અંજની પુત્ર સેના અને વિશ્વ હિન્દુ પરિષદના સરઘસ દરમિયાન ઈંટો અને કાચની બોટલો ફેંકવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.