ETV Bharat / bharat

Truckers protest: નવા કાયદા વિરૂદ્ધ ટ્રાન્સપોર્ટરોનો ઉગ્ર વિરોધ, પાંચ રાજ્યોમાં સૌથી વધુ અસર

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 11:50 AM IST

હિટ એન્ડ રનના નવા કાયદાઓમાં ફેરફારને કારણે હિટ એન્ડ રનના કેસોમાં જેલની સજામાં વધારો થયો છે. જેના કારણે દેશભરના ટ્રક ચાલકોનો વિરોધ વધી રહ્યો છે. આ નવા કાયદા હેઠળ, અકસ્માત કે હિટ એન્ડ રનની ઘટના બાદ ડ્રાઇવરનું ભાગી જવું અને અકસ્માતની જાણ ન કરવા પર 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

નવા કાયદા વિરૂદ્ધ ટ્રાન્સપોર્ટરોનો ઉગ્ર વિરોધ,
નવા કાયદા વિરૂદ્ધ ટ્રાન્સપોર્ટરોનો ઉગ્ર વિરોધ,

નવી દિલ્હી: હિટ એન્ડ રનના નવા કાયદામાં ફેરફારને કારણે હિટ એન્ડ રનના કેસમાં જેલની સજામાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે દેશભરના ટ્રક ચાલકોમાં વિરોધ શરૂ થયો છે. આ નવા કાયદા હેઠળ, ડ્રાઇવર ભાગી જવા પર અને અકસ્માતની જાણ ન કરવા પર 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે અગાઉ આઈપીસીની કલમ 304A (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ આરોપીને માત્ર બે વર્ષની જેલની સજાની જોગવાઈ હતી.

ટ્રક ચાલકોનો વિરોધ: આ નવા કાયદાને લઈને દેશના રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેમાં યુપીથી લઈને મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, રાજસ્થાન સુધીના ઘણા રાજ્યો સામેલ છે. હરિયાણામાં, ખાનગી બસ ઓપરેટરો 1 જાન્યુઆરીથી હડતાળ પર ઉતર્યા છે, જ્યારે ઓટો ડ્રાઈવરોએ પણ નવા કાયદા સામે નવો મોરચો ખોલ્યો છે. ટ્રક ડ્રાઈવરોનો આરોપ છે કે નવો કાયદો ડ્રાઈવરોને તેમના કામ પ્રત્યે નિરાશ કરશે અને નવા આવનારાઓ લોકોને નોકરી સ્વીકારતા પણ અટકાવશે.

દેશના અનેક રાજ્યોમાં પ્રદર્શન: આજ પ્રકારનું પ્રદર્શન યુપીમાં પણ જોવા મળ્યું હતું, જ્યાં બસ ડ્રાઈવરો નવા કાયદાનો વિરોધ કરવા માટે ટ્રક ડ્રાઈવરો સાથે જોડાયા હતા. મધ્યપ્રદેશમાં પણ ટ્રક અને ટેન્કર ચાલકોએ વિરોધ કર્યો છે. 1 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં કેટલાક ટ્રક ડ્રાઈવરોએ નવા કાયદાના વિરોધમાં NH-2 ને બ્લોક કરી દીધો હતો.

શું છે કાયદામાં પ્રાવધાન: અકસ્માતો બાદ વાહનચાલકોને સ્થાનિક લોકો દ્વારા હેરાનગતિનો ભય સતાવે છે. જેના કારણે વાહનચાલકો અધિકારીઓને જાણ કર્યા વગર ભાગી જવાનો પ્રયાસ કરે છે. પોલીસ સાથે સંકળાયેલી લાંબી પ્રક્રિયાનું અન્ય એક કારણ છે જે તેમને કાયદાકીય માર્ગ અપનાવવાથી નિરાશ કરે છે. મહત્વપૂર્ણ છે કે, ભારતીય ન્યાય (દ્વિતિય) કોડ, 2023 એ ફોજદારી કાયદાઓને સરળ બનાવવા અને ભારતીયકરણ કરવાના પ્રયાસમાં ગત વર્ષે બ્રિટિશ-યુગના ભારતીય દંડ સંહિતાનું સ્થાન લીધું હતું. તેની સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

  1. Owaisi on Ram Temple : રામ મંદિર મામલે ઓવૈસીએ સરકાર પર નિશાન સાધ્યું, મુસ્લિમ યુવકોને કહ્યું, "સતર્ક રહો"
  2. Prime Minister Modi : પીએમ મોદી આજે ત્રિચી એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી: હિટ એન્ડ રનના નવા કાયદામાં ફેરફારને કારણે હિટ એન્ડ રનના કેસમાં જેલની સજામાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે દેશભરના ટ્રક ચાલકોમાં વિરોધ શરૂ થયો છે. આ નવા કાયદા હેઠળ, ડ્રાઇવર ભાગી જવા પર અને અકસ્માતની જાણ ન કરવા પર 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે અગાઉ આઈપીસીની કલમ 304A (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ આરોપીને માત્ર બે વર્ષની જેલની સજાની જોગવાઈ હતી.

ટ્રક ચાલકોનો વિરોધ: આ નવા કાયદાને લઈને દેશના રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેમાં યુપીથી લઈને મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, રાજસ્થાન સુધીના ઘણા રાજ્યો સામેલ છે. હરિયાણામાં, ખાનગી બસ ઓપરેટરો 1 જાન્યુઆરીથી હડતાળ પર ઉતર્યા છે, જ્યારે ઓટો ડ્રાઈવરોએ પણ નવા કાયદા સામે નવો મોરચો ખોલ્યો છે. ટ્રક ડ્રાઈવરોનો આરોપ છે કે નવો કાયદો ડ્રાઈવરોને તેમના કામ પ્રત્યે નિરાશ કરશે અને નવા આવનારાઓ લોકોને નોકરી સ્વીકારતા પણ અટકાવશે.

દેશના અનેક રાજ્યોમાં પ્રદર્શન: આજ પ્રકારનું પ્રદર્શન યુપીમાં પણ જોવા મળ્યું હતું, જ્યાં બસ ડ્રાઈવરો નવા કાયદાનો વિરોધ કરવા માટે ટ્રક ડ્રાઈવરો સાથે જોડાયા હતા. મધ્યપ્રદેશમાં પણ ટ્રક અને ટેન્કર ચાલકોએ વિરોધ કર્યો છે. 1 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં કેટલાક ટ્રક ડ્રાઈવરોએ નવા કાયદાના વિરોધમાં NH-2 ને બ્લોક કરી દીધો હતો.

શું છે કાયદામાં પ્રાવધાન: અકસ્માતો બાદ વાહનચાલકોને સ્થાનિક લોકો દ્વારા હેરાનગતિનો ભય સતાવે છે. જેના કારણે વાહનચાલકો અધિકારીઓને જાણ કર્યા વગર ભાગી જવાનો પ્રયાસ કરે છે. પોલીસ સાથે સંકળાયેલી લાંબી પ્રક્રિયાનું અન્ય એક કારણ છે જે તેમને કાયદાકીય માર્ગ અપનાવવાથી નિરાશ કરે છે. મહત્વપૂર્ણ છે કે, ભારતીય ન્યાય (દ્વિતિય) કોડ, 2023 એ ફોજદારી કાયદાઓને સરળ બનાવવા અને ભારતીયકરણ કરવાના પ્રયાસમાં ગત વર્ષે બ્રિટિશ-યુગના ભારતીય દંડ સંહિતાનું સ્થાન લીધું હતું. તેની સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

  1. Owaisi on Ram Temple : રામ મંદિર મામલે ઓવૈસીએ સરકાર પર નિશાન સાધ્યું, મુસ્લિમ યુવકોને કહ્યું, "સતર્ક રહો"
  2. Prime Minister Modi : પીએમ મોદી આજે ત્રિચી એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.