ETV Bharat / bharat

રામ મંદિર નિર્માણની પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો ઉપક્રમઃ PM Modi

author img

By

Published : Aug 5, 2021, 4:07 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ઉત્તરપ્રદેશના 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' (Pradhan Mantri Garib Kalyan Anna Yojana)ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે, 5 ઓગસ્ટનો દિવસ કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ છે. રામ મંદિર (Ram Mandir)ના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો ઉપક્રમ છે. આ વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પણ ઉપસ્થિત રહ્યા હતા.

રામ મંદિર નિર્માણની પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો ઉપક્રમઃ PM Modi
રામ મંદિર નિર્માણની પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો ઉપક્રમઃ PM Modi
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાતચીત
  • 5 ઓગસ્ટનો દિવસ કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • રામ મંદિર (Ram Mandir)ના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો ઉપક્રમ છેઃ વડાપ્રધાન મોદી
  • આ વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પણ ઉપસ્થિત રહ્યા હતા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરૂવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરપ્રદેશના 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' (Pradhan Mantri Garib Kalyan Anna Yojana)ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, આજે તમારી સાથે વાત કરીને ખૂબ જ સંતોષ થઈ રહ્યો છે. સંતોષ એ વાતનો છે કે, દિલ્હીથી અન્નનો એક-એક કણ મોકલવામાં આવી રહ્યો છે. તે દરેક લાભાર્થીઓની થાળી સુધી પહોંચી રહ્યો છે.

આ પણ વાંચો- દાહોદમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ યોજાયો, વડાપ્રધાને વર્ચુઅલ રીતે આપી હાજરી

પહેલાની સરકારમાં ગરીબોના અનાજની લૂંટ થતી હતી

વડાપ્રધાને કહ્યું હતું કે, સંતોષ એ વાતનો છે કે, પહેલાની સરકારનો સમયે ઉત્તરપ્રદેશમાં ગરીબના અનાજની જે લૂંટ થતી હતી. તેનો રસ્તો હવે બંધ થયો છે. ઉત્તરપ્રદેશમાં જે રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana)ને લાગુ કરવામાં આવી રહી છે. તે નવા ઉત્તરપ્રદેશની ઓળખને વધુ મજબૂત કરે છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આજની 5 ઓગસ્ટની તારીખ ખૂબ જ વિશેષ બની ગઈ છે. 5 ઓગસ્ટ જ છે. જ્યારે 2 વર્ષ પહેલા દેશના એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ સશક્ત કરવામાં આવી હતી. 5 ઓગસ્ટે જ આર્ટિકલ- 370 હટાવીને જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકને દરેક અધિકાર, દરેક સુવિધાનો સંપૂર્ણ ભાગીદાર બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- લાલ કિલ્લા પર ઓલિમ્પિકની ભારતીય ટીમ સ્વતંત્રતા દિવસે ખાસ મહેમાન બનશે, ખેલાડીઓને મળશે વડાપ્રધાન

આ દાયકો ભરપાઈનો દાયકો છે

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, 5 ઓગસ્ટનો દિવસ કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ છે. રામ મંદિરના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો ઉપક્રમ છે. જે લોકોની તપસ્યા રામ મંદિરમાં પાયાની જેમ જોડાયેલી છે. તે તમામને 130 કરોડ દેશવાસીઓ તરફથી નમન. સિયાવર રામચંદ્ર કી જય! આ દાયકો એક રીતે ઉત્તરપ્રદેશના છેલ્લા 7 દાયકાઓમાં જે અછત થઈ તેની ભરપાઈનો દાયકો છે. આ કામ ઉત્તરપ્રદેશના સામાન્ય યુવાઓ, આપણી દિકરીઓ, ગરીબ, દલિત, વંચિત, પછાત લોકોની પર્યાપ્ત ભાગીદારી અને તેમને વધુ સારી બનાવ્યા વગર ન થઈ શકે.

દિલ્હીથી સિંહાસનનો રસ્તો ઉત્તરપ્રદેશથી થઈને પસાર થાય છે

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, ડબલ એન્જિનની સરકારે ઉત્તરપ્રદેશના સામર્થ્યને એક સંકુચિત નજરથી જોવાની રીત બદલી નાખી છે. ઉત્તરપ્રદેશ ભારતના ગ્રોથ એન્જિનનું પાવરહાઉસ બની શકે છે. આ આત્મવિશ્વાસ ગયા વર્ષોમાં પેદા થયો છે. દિલ્હીના સિંહાસનનો રસ્તો ઉત્તરપ્રદેશથી પસાર થાય છે. તેનું સપનું જોનારા લોકો આવ્યા અને ગયા, પરંતુ આવા લોકોએ ક્યારે એ યાદ ન રાખ્યું કે, ભારતની સમૃદ્ધિનો રસ્તો પણ ઉત્તરપ્રદેશથી પસાર થાય છે.

80 હજારથી વધુ દુકાનો લાભાર્થીઓને અનાજ ઉપલબ્ધ કરાવે છે

રાજ્યના 15 કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના માધ્યમથી મુક્ત રાશન મળી રહ્યું છે. રાજ્યમાં લગભગ 80,000 યોગ્ય મુલ્યની દુકાનો યોજના અંતર્ગત લાભાર્થીઓને અનાજ ઉપલબ્ધ કરાવે છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાતચીત
  • 5 ઓગસ્ટનો દિવસ કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • રામ મંદિર (Ram Mandir)ના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો ઉપક્રમ છેઃ વડાપ્રધાન મોદી
  • આ વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પણ ઉપસ્થિત રહ્યા હતા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરૂવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરપ્રદેશના 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' (Pradhan Mantri Garib Kalyan Anna Yojana)ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, આજે તમારી સાથે વાત કરીને ખૂબ જ સંતોષ થઈ રહ્યો છે. સંતોષ એ વાતનો છે કે, દિલ્હીથી અન્નનો એક-એક કણ મોકલવામાં આવી રહ્યો છે. તે દરેક લાભાર્થીઓની થાળી સુધી પહોંચી રહ્યો છે.

આ પણ વાંચો- દાહોદમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ યોજાયો, વડાપ્રધાને વર્ચુઅલ રીતે આપી હાજરી

પહેલાની સરકારમાં ગરીબોના અનાજની લૂંટ થતી હતી

વડાપ્રધાને કહ્યું હતું કે, સંતોષ એ વાતનો છે કે, પહેલાની સરકારનો સમયે ઉત્તરપ્રદેશમાં ગરીબના અનાજની જે લૂંટ થતી હતી. તેનો રસ્તો હવે બંધ થયો છે. ઉત્તરપ્રદેશમાં જે રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana)ને લાગુ કરવામાં આવી રહી છે. તે નવા ઉત્તરપ્રદેશની ઓળખને વધુ મજબૂત કરે છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આજની 5 ઓગસ્ટની તારીખ ખૂબ જ વિશેષ બની ગઈ છે. 5 ઓગસ્ટ જ છે. જ્યારે 2 વર્ષ પહેલા દેશના એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ સશક્ત કરવામાં આવી હતી. 5 ઓગસ્ટે જ આર્ટિકલ- 370 હટાવીને જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકને દરેક અધિકાર, દરેક સુવિધાનો સંપૂર્ણ ભાગીદાર બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- લાલ કિલ્લા પર ઓલિમ્પિકની ભારતીય ટીમ સ્વતંત્રતા દિવસે ખાસ મહેમાન બનશે, ખેલાડીઓને મળશે વડાપ્રધાન

આ દાયકો ભરપાઈનો દાયકો છે

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, 5 ઓગસ્ટનો દિવસ કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ છે. રામ મંદિરના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો ઉપક્રમ છે. જે લોકોની તપસ્યા રામ મંદિરમાં પાયાની જેમ જોડાયેલી છે. તે તમામને 130 કરોડ દેશવાસીઓ તરફથી નમન. સિયાવર રામચંદ્ર કી જય! આ દાયકો એક રીતે ઉત્તરપ્રદેશના છેલ્લા 7 દાયકાઓમાં જે અછત થઈ તેની ભરપાઈનો દાયકો છે. આ કામ ઉત્તરપ્રદેશના સામાન્ય યુવાઓ, આપણી દિકરીઓ, ગરીબ, દલિત, વંચિત, પછાત લોકોની પર્યાપ્ત ભાગીદારી અને તેમને વધુ સારી બનાવ્યા વગર ન થઈ શકે.

દિલ્હીથી સિંહાસનનો રસ્તો ઉત્તરપ્રદેશથી થઈને પસાર થાય છે

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, ડબલ એન્જિનની સરકારે ઉત્તરપ્રદેશના સામર્થ્યને એક સંકુચિત નજરથી જોવાની રીત બદલી નાખી છે. ઉત્તરપ્રદેશ ભારતના ગ્રોથ એન્જિનનું પાવરહાઉસ બની શકે છે. આ આત્મવિશ્વાસ ગયા વર્ષોમાં પેદા થયો છે. દિલ્હીના સિંહાસનનો રસ્તો ઉત્તરપ્રદેશથી પસાર થાય છે. તેનું સપનું જોનારા લોકો આવ્યા અને ગયા, પરંતુ આવા લોકોએ ક્યારે એ યાદ ન રાખ્યું કે, ભારતની સમૃદ્ધિનો રસ્તો પણ ઉત્તરપ્રદેશથી પસાર થાય છે.

80 હજારથી વધુ દુકાનો લાભાર્થીઓને અનાજ ઉપલબ્ધ કરાવે છે

રાજ્યના 15 કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના માધ્યમથી મુક્ત રાશન મળી રહ્યું છે. રાજ્યમાં લગભગ 80,000 યોગ્ય મુલ્યની દુકાનો યોજના અંતર્ગત લાભાર્થીઓને અનાજ ઉપલબ્ધ કરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.