ETV Bharat / bharat

ભારતમાં પગ જમાવવાની તૈયારી કરી રહ્યું છે ISIS, NIAએ જારી કર્યો હૉટલાઇન નંબર

author img

By

Published : Sep 17, 2021, 7:52 PM IST

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ કહ્યું છે કે, આતંકવાદી હુમલા, ષડયંત્રો અને ફંડિંગના 37 કેસોની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ કેસો IS (ઇસ્લામિક સ્ટેટ)ની વિચારધારાથી પ્રેરિત છે. NIAની તપાસમાં ખુલાસો થયો છે કે IS સતત ઑનલાઇન દુષ્પ્રચાર દ્વારા ભારતમાં તેના મૂળિયા સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ISની વિચારધારાથી પ્રેરિત 37 કેસો સામે આવ્યા
ISની વિચારધારાથી પ્રેરિત 37 કેસો સામે આવ્યા
  • ભારતમાં મૂળિયા મજબૂત કરવાનો ISISનો મનસૂબો
  • IS સાથે કનેક્શન હોય તેવા 37 કેસ NIAની તપાસમાં સામે આવ્યા
  • NIAએ હૉટલાઇન નંબર જારી કર્યો

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ અપીલ કરી છે કે એવી કોઈપણ ગતિવિધિની સૂચના આપવી જોઇએ જે ઇસ્લામિક સ્ટેટથી જોડાયેલી લાગતી હોય. NIAએ જણાવ્યું કે, એજન્સીની તપાસ દરમિયાન 37 કેસ એવા સામે આવ્યા છે જેમનું કનેક્શન IS (ઇસ્લામિક સ્ટેટ)ની વિચારધારાથી છે.

હૉટલાઇન નંબર જારી કર્યો

NIAએ સોશિયલ મીડિયા પર ISIS (ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સીરિયા) વિચારધારાનો પ્રચાર કરી રહેલા યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયત્ન કરનારા લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે એક હૉટલાઇન નંબર- 011-24368800 પણ જારી કર્યો છે.

ભારત સહિત વિશ્વ સ્તર પર શરિયા લાગૂ કરવાનું ષડયંત્ર

NIAએ એક નિવેદનમાં કહ્યું કે, 16 સપ્ટેમ્બરના તમિલનાડુમાં તપાસ કરી અને મદુરાઇ હિઝ્બ-ઉત-તહરીર કેસમાં એક આરોપીની ધરપકડ કરી. એજન્સીના નિવેદન પ્રમાણે NIAને તપાસથી જાણવા મળ્યું કે, આરોપી વ્યક્તિએ હિઝ્બ-ઉત-તહરીરના નામ પર અન્ય લોકોની સાથે મળીને ઇસ્લામિક સ્ટેટને ફરીથી સ્થાપિત કરવા અને ભારત સહિત વિશ્વ સ્તર પર શરિયા લાગૂ કરવાનું ષડયંત્ર રચ્યું છે.

વધુ જાણો: આતંકી હુમલાનો ખતરો, દિલ્હીમાં ISનો આતંકી ઝડપાયો, બીજાની શોધખોળ શરૂ

વધુ જાણો: કાબુલ એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર ISIS-K ભારત માટે પણ છે મોટો ખતરો

  • ભારતમાં મૂળિયા મજબૂત કરવાનો ISISનો મનસૂબો
  • IS સાથે કનેક્શન હોય તેવા 37 કેસ NIAની તપાસમાં સામે આવ્યા
  • NIAએ હૉટલાઇન નંબર જારી કર્યો

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ અપીલ કરી છે કે એવી કોઈપણ ગતિવિધિની સૂચના આપવી જોઇએ જે ઇસ્લામિક સ્ટેટથી જોડાયેલી લાગતી હોય. NIAએ જણાવ્યું કે, એજન્સીની તપાસ દરમિયાન 37 કેસ એવા સામે આવ્યા છે જેમનું કનેક્શન IS (ઇસ્લામિક સ્ટેટ)ની વિચારધારાથી છે.

હૉટલાઇન નંબર જારી કર્યો

NIAએ સોશિયલ મીડિયા પર ISIS (ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સીરિયા) વિચારધારાનો પ્રચાર કરી રહેલા યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયત્ન કરનારા લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે એક હૉટલાઇન નંબર- 011-24368800 પણ જારી કર્યો છે.

ભારત સહિત વિશ્વ સ્તર પર શરિયા લાગૂ કરવાનું ષડયંત્ર

NIAએ એક નિવેદનમાં કહ્યું કે, 16 સપ્ટેમ્બરના તમિલનાડુમાં તપાસ કરી અને મદુરાઇ હિઝ્બ-ઉત-તહરીર કેસમાં એક આરોપીની ધરપકડ કરી. એજન્સીના નિવેદન પ્રમાણે NIAને તપાસથી જાણવા મળ્યું કે, આરોપી વ્યક્તિએ હિઝ્બ-ઉત-તહરીરના નામ પર અન્ય લોકોની સાથે મળીને ઇસ્લામિક સ્ટેટને ફરીથી સ્થાપિત કરવા અને ભારત સહિત વિશ્વ સ્તર પર શરિયા લાગૂ કરવાનું ષડયંત્ર રચ્યું છે.

વધુ જાણો: આતંકી હુમલાનો ખતરો, દિલ્હીમાં ISનો આતંકી ઝડપાયો, બીજાની શોધખોળ શરૂ

વધુ જાણો: કાબુલ એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર ISIS-K ભારત માટે પણ છે મોટો ખતરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.