ETV Bharat / bharat

પરી અખાડાના પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ હરિદ્વાર મહાકુંભ તંત્ર સામે કર્યા આક્ષેપ

પરી અખાડાના પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ ઉત્તરાખંડના હરિદ્વાર મહાકુંભ તંત્ર પર ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિથી તેમને જોખમ હોવાથી તંત્ર અને પોલીસ સુરક્ષાની માગ કરી છે.

author img

By

Published : Apr 6, 2021, 2:15 PM IST

પરી અખાડાના પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ હરિદ્વાર મહાકુંભ તંત્ર સામે કર્યા આક્ષેપ
પરી અખાડાના પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ હરિદ્વાર મહાકુંભ તંત્ર સામે કર્યા આક્ષેપ
  • ઉત્તરાખંડના હરિદ્વાર મહાકુંભના તંત્ર પર ભેદભાવનો આક્ષેપ
  • પરી અખાડાના પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ લગાવ્યો આક્ષેપ
  • મહિલાની વાત કરવા બદલ ભેદભાવ થતો હોવાનો ત્રિકાલ ભવંતાનો આરોપ

આ પણ વાંચોઃ ગુરુવારથી હરિદ્વાર મહાકુંભનો પ્રારંભ થયો

હરિદ્વાર (ઉત્તરાખંડ): ધર્મનગરી હરિદ્વારમાં મહાકુંભનો તહેવાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ તમામની વચ્ચે સાધુ સંત મહાકુંભ તંત્રની વ્યવસ્થાને લઈને સતત પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. હવે અખાડાના પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ હરિદ્વાર મહાકુંભ તંત્ર પર ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે, જો તંત્ર ઝડપથી અખાડાને જમીન અને અન્ય સુવિધા નહીં આપે તો પરી અખાડાની સાધ્વીઓ આત્મહત્યા કરશે.

આ પણ વાંચોઃ હરિદ્વારમાં યોજાનારા મહાકુંભ અંગે ઉત્તરાખંડ સરકારે SOP જાહેર કરી

9 એપ્રિલ સુધી જમીન અને અન્ય સુવિધાઓ નહીં મળે તો મહિલા સાધ્વીઓ આત્મહત્યા કરશે

પરી અખાડાની આચાર્ય મહામંડલેશ્વર ત્રિકાલ ભવંતાએ અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગિરિ પર ભેદભાવ અને ઉપેક્ષાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમને જીવનું જોખમ હોવાનું પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ મહિલાઓના પરિ અખાડાની આચાર્યા છે અને મહિલાઓની વાત કરે છે, જેના કારણે અખાડા પરિષદ અધ્યક્ષ તેમનાથી ભેદભાવ કરે છે. ત્રિકાલ ભવંતાએ કહ્યું કે, 9 એપ્રિલ સુધી જમીન અને અન્ય સુવિધાઓ આપવામાં નહીં આવે તો અખાડાની મહિલા સાધ્વીઓ આત્મહત્યા કરવા મજબૂર બનશે.

  • ઉત્તરાખંડના હરિદ્વાર મહાકુંભના તંત્ર પર ભેદભાવનો આક્ષેપ
  • પરી અખાડાના પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ લગાવ્યો આક્ષેપ
  • મહિલાની વાત કરવા બદલ ભેદભાવ થતો હોવાનો ત્રિકાલ ભવંતાનો આરોપ

આ પણ વાંચોઃ ગુરુવારથી હરિદ્વાર મહાકુંભનો પ્રારંભ થયો

હરિદ્વાર (ઉત્તરાખંડ): ધર્મનગરી હરિદ્વારમાં મહાકુંભનો તહેવાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ તમામની વચ્ચે સાધુ સંત મહાકુંભ તંત્રની વ્યવસ્થાને લઈને સતત પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. હવે અખાડાના પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ હરિદ્વાર મહાકુંભ તંત્ર પર ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે, જો તંત્ર ઝડપથી અખાડાને જમીન અને અન્ય સુવિધા નહીં આપે તો પરી અખાડાની સાધ્વીઓ આત્મહત્યા કરશે.

આ પણ વાંચોઃ હરિદ્વારમાં યોજાનારા મહાકુંભ અંગે ઉત્તરાખંડ સરકારે SOP જાહેર કરી

9 એપ્રિલ સુધી જમીન અને અન્ય સુવિધાઓ નહીં મળે તો મહિલા સાધ્વીઓ આત્મહત્યા કરશે

પરી અખાડાની આચાર્ય મહામંડલેશ્વર ત્રિકાલ ભવંતાએ અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગિરિ પર ભેદભાવ અને ઉપેક્ષાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમને જીવનું જોખમ હોવાનું પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ મહિલાઓના પરિ અખાડાની આચાર્યા છે અને મહિલાઓની વાત કરે છે, જેના કારણે અખાડા પરિષદ અધ્યક્ષ તેમનાથી ભેદભાવ કરે છે. ત્રિકાલ ભવંતાએ કહ્યું કે, 9 એપ્રિલ સુધી જમીન અને અન્ય સુવિધાઓ આપવામાં નહીં આવે તો અખાડાની મહિલા સાધ્વીઓ આત્મહત્યા કરવા મજબૂર બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.