ETV Bharat / bharat

Ranchi Band: ધાર્મિક ધ્વજ સળગાવવાથી ઝારખંડમાં તણાવ, આજે 'રાંચી બંધ'નું એલાન

author img

By

Published : Apr 10, 2023, 1:42 PM IST

ઝારખંડમાં આદિવાસી સમુદાયે એક ધાર્મિક સંગઠનનો ધ્વજ લગાવવાના મામલે વિરોધ થયો હતો. શનિવારે આ મામલે મહાનગર રાંચી બંધનું એલાન કરી દેવાયું હતું. જેના પગલે માર્કેટની મોટાભાગની દુકાનમાં ધોળા દિવસે તાળા લાગી ગયા હતા.

ધાર્મિક ધ્વજ સળગાવવાથી ઝારખંડમાં તણાવ
ધાર્મિક ધ્વજ સળગાવવાથી ઝારખંડમાં તણાવ

ઝારખંડ: ઝારખંડના આદિવાસી સંગઠનોએ બદમાશો દ્વારા ધાર્મિક ધ્વજ સળગાવવાનો બનાવ બન્યો હતો. જેના પડઘા ઝારખંડના મહાનગર રાંચીમાં ઊંડા પડ્યા છે. પોલીસ અધિકારીઓ સ્થિતિ ન વણસે એ માટે રસ્તે ઊતરી ગ્રાઉન્ડ વર્ક કર્યું હતું. ધ્વજ સળગાવી દેવાના મામલે એક ચોક્કસ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધમાં શનિવાર તારીખ 8 એપ્રિલના રોજ રાંચીમાં એક દિવસીય બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ઝારખંડ પહન મહાસંઘ, કેન્દ્રીય સરના સમિતિ, રાજી સરના પ્રાર્થના મહાસભા અને અન્ય આદિવાસી સંગઠનોએ વિરોધ કર્યો છે.

આ પણ વાંચો Hariyana News: નમાજ અદા કરી રહેલા લોકો પર હુમલો, ગામમાં પોલીસ ફોર્સ તૈનાત

ટોર્ચલાઇટ સરઘસ: ધ્વજ સળગાવવાના વિરોધમાં આ સંગઠને શુક્રવારે જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમથી આલ્બર્ટ એક્કા ચોક સુધી ટોર્ચલાઇટ સરઘસ કાઢ્યું હતું. તેમજ દોષિત અસામાજિક તત્વોની ધરપકડ કરવા માંગ કરી હતી. ઝારખંડ પહાણ સંઘના પ્રમુખ જગદીશ પહાને કહ્યું કે સરના ધ્વજનું અપમાન કરવું નિંદનીય છે. તેને કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં. બીજી તરફ જગદીશ પહાણે માંગ કરી હતી કે અસામાજિક તત્વોને વહેલી તકે પકડવામાં આવે. તેમણે કહ્યું કે આ માંગને લઈને શુક્રવારે જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમથી રાંચીના આલ્બર્ટ એક્કા ચોક સુધી ટોર્ચલાઈટ સરઘસ કાઢવામાં આવ્યું હતું અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Karnataka Assembly Election: કોંગ્રેસ આગામી ચૂંટણીમાં પડકારોનો સામનો કરવા તૈયારઃ શશિ થરૂર

સુવિધાઓ માટે મુક્તિ: કેન્દ્રીય સરના સમિતિના અધ્યક્ષ ફૂલચંદ તિર્કીએ જણાવ્યું હતું કે આદિવાસીઓ તેમની પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત બન્યા છે. તે જ સમયે, તેઓ તેમના સન્માનની સુરક્ષા માટે યુદ્ધ લડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે તારીખ 8 એપ્રિલે રાંચી બંધ ઐતિહાસિક હશે, પરંતુ આ દરમિયાન એમ્બ્યુલન્સ, સ્કૂલ બસો અને ડેરી અને દવાની દુકાનોને છૂટ આપવામાં આવી છે. આદિવાસી સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા બંધને ધ્યાનમાં રાખીને રાંચીની ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ શનિવારે સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. બીજી તરફ, થોડા દિવસો પહેલા, સાહિબગંજના કુલીપાડામાં 1 એપ્રિલે દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન ડીજે વગાડવાને લઈને બે પક્ષો વચ્ચે હંગામો થયો હતો . હોબાળો એટલો વધી ગયો કે શહેરમાં તોડફોડ, આગચંપી, પથ્થરમારા જેવી ઘટનાઓ પણ બની.

ઝારખંડ: ઝારખંડના આદિવાસી સંગઠનોએ બદમાશો દ્વારા ધાર્મિક ધ્વજ સળગાવવાનો બનાવ બન્યો હતો. જેના પડઘા ઝારખંડના મહાનગર રાંચીમાં ઊંડા પડ્યા છે. પોલીસ અધિકારીઓ સ્થિતિ ન વણસે એ માટે રસ્તે ઊતરી ગ્રાઉન્ડ વર્ક કર્યું હતું. ધ્વજ સળગાવી દેવાના મામલે એક ચોક્કસ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધમાં શનિવાર તારીખ 8 એપ્રિલના રોજ રાંચીમાં એક દિવસીય બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ઝારખંડ પહન મહાસંઘ, કેન્દ્રીય સરના સમિતિ, રાજી સરના પ્રાર્થના મહાસભા અને અન્ય આદિવાસી સંગઠનોએ વિરોધ કર્યો છે.

આ પણ વાંચો Hariyana News: નમાજ અદા કરી રહેલા લોકો પર હુમલો, ગામમાં પોલીસ ફોર્સ તૈનાત

ટોર્ચલાઇટ સરઘસ: ધ્વજ સળગાવવાના વિરોધમાં આ સંગઠને શુક્રવારે જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમથી આલ્બર્ટ એક્કા ચોક સુધી ટોર્ચલાઇટ સરઘસ કાઢ્યું હતું. તેમજ દોષિત અસામાજિક તત્વોની ધરપકડ કરવા માંગ કરી હતી. ઝારખંડ પહાણ સંઘના પ્રમુખ જગદીશ પહાને કહ્યું કે સરના ધ્વજનું અપમાન કરવું નિંદનીય છે. તેને કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં. બીજી તરફ જગદીશ પહાણે માંગ કરી હતી કે અસામાજિક તત્વોને વહેલી તકે પકડવામાં આવે. તેમણે કહ્યું કે આ માંગને લઈને શુક્રવારે જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમથી રાંચીના આલ્બર્ટ એક્કા ચોક સુધી ટોર્ચલાઈટ સરઘસ કાઢવામાં આવ્યું હતું અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Karnataka Assembly Election: કોંગ્રેસ આગામી ચૂંટણીમાં પડકારોનો સામનો કરવા તૈયારઃ શશિ થરૂર

સુવિધાઓ માટે મુક્તિ: કેન્દ્રીય સરના સમિતિના અધ્યક્ષ ફૂલચંદ તિર્કીએ જણાવ્યું હતું કે આદિવાસીઓ તેમની પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત બન્યા છે. તે જ સમયે, તેઓ તેમના સન્માનની સુરક્ષા માટે યુદ્ધ લડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે તારીખ 8 એપ્રિલે રાંચી બંધ ઐતિહાસિક હશે, પરંતુ આ દરમિયાન એમ્બ્યુલન્સ, સ્કૂલ બસો અને ડેરી અને દવાની દુકાનોને છૂટ આપવામાં આવી છે. આદિવાસી સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા બંધને ધ્યાનમાં રાખીને રાંચીની ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ શનિવારે સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. બીજી તરફ, થોડા દિવસો પહેલા, સાહિબગંજના કુલીપાડામાં 1 એપ્રિલે દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન ડીજે વગાડવાને લઈને બે પક્ષો વચ્ચે હંગામો થયો હતો . હોબાળો એટલો વધી ગયો કે શહેરમાં તોડફોડ, આગચંપી, પથ્થરમારા જેવી ઘટનાઓ પણ બની.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.