ETV Bharat / bharat

શહાદતને નમન; રાજૌરીમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં શહીદ થયેલા પાંચ જવાનોને સેનાએ અર્પી પુષ્પાંજલિ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 12:08 PM IST

ભારતીય સેનાએ શુક્રવારે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના ધરમસાલ બેલ્ટના બજીમલ વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં શહીદ થયેલા પાંચ સેનાના જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

રાજૌરીમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં શહીદ થયેલા પાંચ જવાનો
રાજૌરીમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં શહીદ થયેલા પાંચ જવાનો

રાજૌરી: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના ગીચ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે ભીષણ ગોળીબારમાં પાંચ જવાનો શહીદ થયા હતા. બુધવારથી ચાલી રહેલા આ ગોળીબારમાં સેનાના બે કેપ્ટન સહિત પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. શહીદ થયેલા જવાનોને શુક્રવારે અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી.

પાંચ જવાનો શહીદ: રાજૌરી જિલ્લાના બજીમલ વિસ્તારમાં આતંકવાદીઓ, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પાંચ જવાનો દેશને કાજે શહીદ થયા હતા. જ્યારે બીજી તરફ ગુરુવારે લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર અને ક્વારી નામના સ્નાઈપર સહિત બે આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.

સ્થળ પરથી મળી આવી યુદ્ધની સામગ્રી: સેનાએ વધુમાં કહ્યું હતું કે એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં યુદ્ધની સામગ્રી મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે એન્કાઉન્ટરમાં સામેલ આતંકવાદીઓ ઘાટીમાં ઘણા હુમલા કરવામાં સામેલ હતા. જેમાં ડાંગરી ઘટનાનો પણ સમાવેશ થાય છે, જેમાં 23 જાન્યુઆરીએ છ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે તેણે રાજૌરીના પુંછ અને કાંડીમાં પણ આ પ્રકારની કેટલીક ઘટનાઓ ગોઠવી હતી.

સેનાએ આપી અંતિમ શ્રદ્ધાંજલિ: સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, તેમનો ખાત્મો આ જિલ્લાઓમાં આતંકવાદના પુનરુત્થાન માટે નોંધપાત્ર ફટકો છે. દરમિયાન, શુક્રવારે પુષ્પાંજલિના હૃદયસ્પર્શી દ્રશ્યોમાં સૈન્ય અધિકારીઓ અને સૈનિકો તેમના શહીદ સાથીઓને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે આ અથડામણમાં ઉત્તર પ્રદેશના અલીગઢના રહેવાસી એક જવાનનું પણ મોત થયું છે જેમના 8 ડિસેમ્બરે લગ્ન થવાના હતા. પુત્રના મોતના સમાચાર સાંભળીને પરિવારજનોની હાલત ખરાબ છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

  1. મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેલમાં બિટકોઈનમાં 1 મિલિયન ડોલર માંગ્યા
  2. ઉત્તરકાશી ટનલમાં આજે 13મા દિવસે બચાવ કામગીરી ચાલુ, બેંગલુરુની ટીમે આપ્યો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રિપોર્ટ, CM આખી રાત ઉભા રહ્યા

રાજૌરી: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના ગીચ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે ભીષણ ગોળીબારમાં પાંચ જવાનો શહીદ થયા હતા. બુધવારથી ચાલી રહેલા આ ગોળીબારમાં સેનાના બે કેપ્ટન સહિત પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. શહીદ થયેલા જવાનોને શુક્રવારે અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી.

પાંચ જવાનો શહીદ: રાજૌરી જિલ્લાના બજીમલ વિસ્તારમાં આતંકવાદીઓ, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પાંચ જવાનો દેશને કાજે શહીદ થયા હતા. જ્યારે બીજી તરફ ગુરુવારે લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર અને ક્વારી નામના સ્નાઈપર સહિત બે આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.

સ્થળ પરથી મળી આવી યુદ્ધની સામગ્રી: સેનાએ વધુમાં કહ્યું હતું કે એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં યુદ્ધની સામગ્રી મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે એન્કાઉન્ટરમાં સામેલ આતંકવાદીઓ ઘાટીમાં ઘણા હુમલા કરવામાં સામેલ હતા. જેમાં ડાંગરી ઘટનાનો પણ સમાવેશ થાય છે, જેમાં 23 જાન્યુઆરીએ છ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે તેણે રાજૌરીના પુંછ અને કાંડીમાં પણ આ પ્રકારની કેટલીક ઘટનાઓ ગોઠવી હતી.

સેનાએ આપી અંતિમ શ્રદ્ધાંજલિ: સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, તેમનો ખાત્મો આ જિલ્લાઓમાં આતંકવાદના પુનરુત્થાન માટે નોંધપાત્ર ફટકો છે. દરમિયાન, શુક્રવારે પુષ્પાંજલિના હૃદયસ્પર્શી દ્રશ્યોમાં સૈન્ય અધિકારીઓ અને સૈનિકો તેમના શહીદ સાથીઓને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે આ અથડામણમાં ઉત્તર પ્રદેશના અલીગઢના રહેવાસી એક જવાનનું પણ મોત થયું છે જેમના 8 ડિસેમ્બરે લગ્ન થવાના હતા. પુત્રના મોતના સમાચાર સાંભળીને પરિવારજનોની હાલત ખરાબ છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

  1. મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેલમાં બિટકોઈનમાં 1 મિલિયન ડોલર માંગ્યા
  2. ઉત્તરકાશી ટનલમાં આજે 13મા દિવસે બચાવ કામગીરી ચાલુ, બેંગલુરુની ટીમે આપ્યો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રિપોર્ટ, CM આખી રાત ઉભા રહ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.