ETV Bharat / bharat

મન કી બાત: 75મી વખત દેશવાસીઓને સંબોધન કરશે વડાપ્રધાન મોદી

author img

By

Published : Mar 28, 2021, 7:20 AM IST

Updated : Mar 28, 2021, 8:16 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 માર્ચ રવિવારના રોજ સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશવાસીઓને સંબોધન કરશે. 'મન કી બાત' ની આ 75મી આવૃત્તિ હશે.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી
  • આજે વડાપ્રધાન મોદી કરશે મન કી બાત
  • સવારે 11 વાગ્યે વડાપ્રધાન મોદી કરશે મન કી બાત
  • હોળી પર્વ અને કોરોના મુદ્દે કરી શકે છે વાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે માસિક કાર્યક્રમ મન કી બાતમાં 75મી વખત દેશવાસીઓને સંબોધન કરશે. હોળી, કોરોનાના વધતા કેસોને લઈને અને ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે વડાપ્રધાન મોદી 'મન કી બાત'માં દેશવાસીઓ સાથે વાત કરશે. ચૂંટણી દરમિયાન વિપક્ષોએ મન કી બાત કાર્યક્રમ અંગે પહેલાથી જ અનેક પ્રશ્રો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મન કી બાત અંતર્ગત દેશની જનતાને સંબોધન

ગત આવૃતિમાં તમિલ ભાષા ન શીખા શિખ્યાની કરી હતી વાત

આ અગાઉ ગયા મહિને 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે પાણીના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પાણી એક રીતે આરસ કરતા પણ વધારે મહત્વનું છે. ઉપરાંત તમિળ ભાષાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તમિળ એક એવી સુંદર ભાષા છે, જે આખી દુનિયામાં લોકપ્રિય છે. મેં મારી જાતને કહ્યું કે, મારી એક ખામી એ છે કે હું વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિળ શીખવા માટે પ્રયત્નો કરી શક્યો નહીં, હું તમિળ શીખી શક્યો નહીં.

આ પણ વાંચો: મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કરી દિલની વાત, કહ્યું- દિલ્હીમાં રાષ્ટ્રધ્વજના અપમાનથી દેશ દુઃખી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા પાયલેટની પ્રશંસા કરી હતી

આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા પાયલેટની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, તમે થોડા દિવસો પહેલા જોયું જ હશે, બેંગ્લોરથી સાન ફ્રાન્સિસ્કો, USA જવા માટે નોન સ્ટોપ ફ્લાઇટનું નેતૃત્વ ભારતની ચાર મહિલા પાયલટ્સે સંભાળી છે. તેમણે દસ હજાર કિલોમીટરથી વધુ લાંબો પ્રવાસ કરીને ઈતિહાસ રચ્યો હતો.

ભારત વિશ્વની સેવા કરવામાં સમર્થ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમે જાણો છો આનાથી વધુ ગર્વની વાત શું છે? કટોકટીના સમયમાં ભારત વિશ્વની સેવા કરવામાં સમર્થ છે, કારણ કે ભારત આજે દવાઓ અને રસી માટે સક્ષમ છે, તે આત્મનિર્ભર છે. વડાપ્રધાને તમામ દેશવાસીઓ અને ખાસ કરીને યુવાનોને હાકલ કરી હતી કે, તેઓએ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે લખવું જોઈએ. તમારા વિસ્તારમાં સ્વતંત્રતા સંગ્રામના સમયની શૈર્યની વાર્તાઓ વિશે પુસ્તકો લખો.

  • આજે વડાપ્રધાન મોદી કરશે મન કી બાત
  • સવારે 11 વાગ્યે વડાપ્રધાન મોદી કરશે મન કી બાત
  • હોળી પર્વ અને કોરોના મુદ્દે કરી શકે છે વાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે માસિક કાર્યક્રમ મન કી બાતમાં 75મી વખત દેશવાસીઓને સંબોધન કરશે. હોળી, કોરોનાના વધતા કેસોને લઈને અને ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે વડાપ્રધાન મોદી 'મન કી બાત'માં દેશવાસીઓ સાથે વાત કરશે. ચૂંટણી દરમિયાન વિપક્ષોએ મન કી બાત કાર્યક્રમ અંગે પહેલાથી જ અનેક પ્રશ્રો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મન કી બાત અંતર્ગત દેશની જનતાને સંબોધન

ગત આવૃતિમાં તમિલ ભાષા ન શીખા શિખ્યાની કરી હતી વાત

આ અગાઉ ગયા મહિને 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે પાણીના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પાણી એક રીતે આરસ કરતા પણ વધારે મહત્વનું છે. ઉપરાંત તમિળ ભાષાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તમિળ એક એવી સુંદર ભાષા છે, જે આખી દુનિયામાં લોકપ્રિય છે. મેં મારી જાતને કહ્યું કે, મારી એક ખામી એ છે કે હું વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિળ શીખવા માટે પ્રયત્નો કરી શક્યો નહીં, હું તમિળ શીખી શક્યો નહીં.

આ પણ વાંચો: મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કરી દિલની વાત, કહ્યું- દિલ્હીમાં રાષ્ટ્રધ્વજના અપમાનથી દેશ દુઃખી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા પાયલેટની પ્રશંસા કરી હતી

આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા પાયલેટની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, તમે થોડા દિવસો પહેલા જોયું જ હશે, બેંગ્લોરથી સાન ફ્રાન્સિસ્કો, USA જવા માટે નોન સ્ટોપ ફ્લાઇટનું નેતૃત્વ ભારતની ચાર મહિલા પાયલટ્સે સંભાળી છે. તેમણે દસ હજાર કિલોમીટરથી વધુ લાંબો પ્રવાસ કરીને ઈતિહાસ રચ્યો હતો.

ભારત વિશ્વની સેવા કરવામાં સમર્થ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમે જાણો છો આનાથી વધુ ગર્વની વાત શું છે? કટોકટીના સમયમાં ભારત વિશ્વની સેવા કરવામાં સમર્થ છે, કારણ કે ભારત આજે દવાઓ અને રસી માટે સક્ષમ છે, તે આત્મનિર્ભર છે. વડાપ્રધાને તમામ દેશવાસીઓ અને ખાસ કરીને યુવાનોને હાકલ કરી હતી કે, તેઓએ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે લખવું જોઈએ. તમારા વિસ્તારમાં સ્વતંત્રતા સંગ્રામના સમયની શૈર્યની વાર્તાઓ વિશે પુસ્તકો લખો.

Last Updated : Mar 28, 2021, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.