ETV Bharat / bharat

PM Modi ગુરુવારે સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને થશે ફાયદો

author img

By

Published : Sep 15, 2021, 11:17 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલે (ગુરુવારે) સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય કે જેમાં 7,000 જેટલા કર્મચારી અને અન્ય સંગઠન છે. આફ્રિકા એવન્યુ અને કસ્તુરબા ગાંધી માર્ગ પર 2 નવા પરિસરોમાં સ્થળાંતરિત થવા તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નવા કાર્યાલય પરિસરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

PM Modi ગુરુવારે સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને થશે ફાયદો
PM Modi ગુરુવારે સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને થશે ફાયદો
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલે (ગુરુવારે) સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન
  • સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય કે જેમાં 7,000 જેટલા કર્મચારી અને અન્ય સંગઠન છે
  • આફ્રિકા એવન્યુ અને કસ્તુરબા ગાંધી માર્ગ પર 2 નવા પરિસરોમાં સ્થળાંતરિત થવા તૈયાર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (ગુરુવારે) સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય કે જેમાં 7,000 જેટલા કર્મચારી અને અન્ય સંગઠન છે. આફ્રિકા એવન્યુ અને કસ્તુરબા ગાંધી માર્ગ પર 2 નવા પરિસરોમાં સ્થળાંતરિત થવા તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નવા કાર્યાલય પરિસરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. સાઉથ બ્લોક પાસે ડલહૌઝી રોડ પર આવેલા સંરક્ષણ મંત્રાલયને સ્થળાંતરણ કર્યા બાદ ખાલી થયેલી જગ્યાને સેન્ટ્ર્લ વિસ્ટા પુનઃવિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે વડાપ્રધાનના નવા આવાસ અને કાર્યાલય માટે પુનઃવિકાસ કરવામાં આવશે.

આ પણ વાંચો- વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં 200 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામનું કર્યું લોકાર્પણ

નવું કાર્યાલય સચિવાલય પરિસરમાં બનશે

સંરક્ષણ મંત્રાલયના કાર્યાલયનું સ્થળાંતરણ કરવાથી 50 એકર જમીન ખાલી થવાની આશા છે, જેને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે એક કાર્યકારી એન્કલેવ તરીકે બનાવવામાં આવશે. આફ્રિકા એવન્યુ પર કાર્યાલય પરિસર 7મા માળે છે, જેમાં માત્ર સંરક્ષણ મંત્રાલયનું કાર્યાલય હશે. જ્યારે કસ્તુરબા ગાંધી માર્ગ પર 8 માળની ઈમારતનો ઉપયોગ વર્તમાનમાં પરિવહન ભવન અને શ્રમશક્તિ ભવનમાં આવેલા કાર્યાલયોને અસ્થાયી રીતે સમાવેશી કરવા માટે કરવામાં આવશે. તેનું નવું કાર્યાલય સચિવાલય પરિસરમાં બનાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- PM Modi રાષ્ટ્રને સમર્પિત કરશે જલિયાંવાલા બાગનું પુન:નિર્મિત સ્મારક

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે નવા કાર્યાલય પરિસરોનું નિર્માણ કરાયું

આફ્રિકા એવન્યુમાં પરિસર 4 બ્લોકમાં ફેલાયેલું છે અને અહીં 5.08 લાખ વર્ગ ફૂટ જગ્યા છે. જ્યારે કેઝી માર્ગમાં 3 બ્લોક અને 4.52 લાખ વર્ગ ફૂટનું કાર્યાલય ક્ષેત્ર છે. બંને પરિસરમાં કુલ મળીને 1,500 કાર માટે પાર્કિંગની જગ્યા છે. આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી 775 કરોડ રૂપિયાના ખર્ચથી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે નવા કાર્યાલય પરિસરોનું નિર્માણ કર્યું છે.

10 બિલ્ડીંગ બ્લોક સામેલ

નવા ભવનમાં કેન્ટિન અને બેન્ક જેવી આધુનિક સુવિધાઓ, કનેક્ટિવિટી અને કલ્યાણ સુવિધીઓ પણ રહેશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત વડાપ્રધાન આવાસને વર્તમાન સાઉથ બ્લોક પરિસરની પાછળ શિફ્ટ કરી દેવામાં આવશે. યોજનામાં નોર્થ બ્લોકની પાછળ ઉપરાષ્ટ્રપતિના નવા આવાસનું સ્થળાંતરણ અને શાસ્ત્રી ભવન, નિર્માણ ભવન, ઉદ્યોગ ભવન, કૃષિ ભવન અને વાયુ ભવન સહિત સરકારી કાર્યાલયોને સમાવેશી કરવા માટે 10 નવા બિલ્ડીંગ બ્લોક પણ સામેલ છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલે (ગુરુવારે) સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન
  • સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય કે જેમાં 7,000 જેટલા કર્મચારી અને અન્ય સંગઠન છે
  • આફ્રિકા એવન્યુ અને કસ્તુરબા ગાંધી માર્ગ પર 2 નવા પરિસરોમાં સ્થળાંતરિત થવા તૈયાર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (ગુરુવારે) સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય કે જેમાં 7,000 જેટલા કર્મચારી અને અન્ય સંગઠન છે. આફ્રિકા એવન્યુ અને કસ્તુરબા ગાંધી માર્ગ પર 2 નવા પરિસરોમાં સ્થળાંતરિત થવા તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નવા કાર્યાલય પરિસરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. સાઉથ બ્લોક પાસે ડલહૌઝી રોડ પર આવેલા સંરક્ષણ મંત્રાલયને સ્થળાંતરણ કર્યા બાદ ખાલી થયેલી જગ્યાને સેન્ટ્ર્લ વિસ્ટા પુનઃવિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે વડાપ્રધાનના નવા આવાસ અને કાર્યાલય માટે પુનઃવિકાસ કરવામાં આવશે.

આ પણ વાંચો- વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં 200 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામનું કર્યું લોકાર્પણ

નવું કાર્યાલય સચિવાલય પરિસરમાં બનશે

સંરક્ષણ મંત્રાલયના કાર્યાલયનું સ્થળાંતરણ કરવાથી 50 એકર જમીન ખાલી થવાની આશા છે, જેને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે એક કાર્યકારી એન્કલેવ તરીકે બનાવવામાં આવશે. આફ્રિકા એવન્યુ પર કાર્યાલય પરિસર 7મા માળે છે, જેમાં માત્ર સંરક્ષણ મંત્રાલયનું કાર્યાલય હશે. જ્યારે કસ્તુરબા ગાંધી માર્ગ પર 8 માળની ઈમારતનો ઉપયોગ વર્તમાનમાં પરિવહન ભવન અને શ્રમશક્તિ ભવનમાં આવેલા કાર્યાલયોને અસ્થાયી રીતે સમાવેશી કરવા માટે કરવામાં આવશે. તેનું નવું કાર્યાલય સચિવાલય પરિસરમાં બનાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- PM Modi રાષ્ટ્રને સમર્પિત કરશે જલિયાંવાલા બાગનું પુન:નિર્મિત સ્મારક

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે નવા કાર્યાલય પરિસરોનું નિર્માણ કરાયું

આફ્રિકા એવન્યુમાં પરિસર 4 બ્લોકમાં ફેલાયેલું છે અને અહીં 5.08 લાખ વર્ગ ફૂટ જગ્યા છે. જ્યારે કેઝી માર્ગમાં 3 બ્લોક અને 4.52 લાખ વર્ગ ફૂટનું કાર્યાલય ક્ષેત્ર છે. બંને પરિસરમાં કુલ મળીને 1,500 કાર માટે પાર્કિંગની જગ્યા છે. આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી 775 કરોડ રૂપિયાના ખર્ચથી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે નવા કાર્યાલય પરિસરોનું નિર્માણ કર્યું છે.

10 બિલ્ડીંગ બ્લોક સામેલ

નવા ભવનમાં કેન્ટિન અને બેન્ક જેવી આધુનિક સુવિધાઓ, કનેક્ટિવિટી અને કલ્યાણ સુવિધીઓ પણ રહેશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત વડાપ્રધાન આવાસને વર્તમાન સાઉથ બ્લોક પરિસરની પાછળ શિફ્ટ કરી દેવામાં આવશે. યોજનામાં નોર્થ બ્લોકની પાછળ ઉપરાષ્ટ્રપતિના નવા આવાસનું સ્થળાંતરણ અને શાસ્ત્રી ભવન, નિર્માણ ભવન, ઉદ્યોગ ભવન, કૃષિ ભવન અને વાયુ ભવન સહિત સરકારી કાર્યાલયોને સમાવેશી કરવા માટે 10 નવા બિલ્ડીંગ બ્લોક પણ સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.