ETV Bharat / bharat

રાહુલ ભટ્ટની હત્યા બાદ પંડિતોએ આપી સામુહિક રાજીનામાની ધમકી, કાશ્મીરના ઈતિહાસમાં પહેલી મોટી ઘટના

author img

By

Published : May 13, 2022, 5:51 PM IST

સતત તણાવભરી સ્થિતિમાં રહેતા દેશના કાશ્મીર (Kashmiri Pandit Jammu Kashmir) રાજ્યમાંથી એક મોટી ઘટના સામે આવી છે. જેમાં ઈતિહાસમાં પહેલી વખત કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit Protest) રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરવા ઊતર્યા છે. વિરોધ પ્રદર્શન કરતા કાશ્મીરી પંડિતોએ શ્રીનગર એરપોર્ટ તરફ જતા રસ્તા પર ચક્કાજામ (Air port Road Traffic Jam) કર્યું હતું. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નારેબાજી કરી પોતાની સુરક્ષા અંગે તેમણે એવું કહ્યું કે જો યોગ્ય રીતે સુરક્ષા નહીં મળે તો સામુહિક રાજીનામું આપીશું.

રાહુલ ભટ્ટની હત્યા બાદ પંડિતોએ આપી સામુહિક રાજીનામાની ધમકી, કાશ્મીરના ઈતિહાસમાં પહેલી મોટી ઘટના
રાહુલ ભટ્ટની હત્યા બાદ પંડિતોએ આપી સામુહિક રાજીનામાની ધમકી, કાશ્મીરના ઈતિહાસમાં પહેલી મોટી ઘટના

શ્રીનગર: પંડિત સમુદાયમાંથી આવતા રાહુલ ભટ્ટને (Pandit Rahul Bhat Killed by Terrorists) કાશ્મીરમાં પંડિતોના પુનર્વાસ માટે વડાપ્રધાનના વિશેષ પેકેજ (PMs Special Package in Kashmir) અંતર્ગત નિયુક્ત કરવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ (Dr.Manmohansingh relief Package) તરફથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યમાં 6000થી વધારે પંડિતોને સરકારી નોકરી (Government job to Kashmiri Pandit) આપવામાં આવી હતી. જ્યાં સુધી આ કર્મચારીઓએ ખાડીના પ્રદેશમાં કાર્યાલયમાં કામકાજ શરૂ કર્યું તો તેમને આ હેતુ માટે ખાસ બનાવાયેલા ખાસ પ્રકારના આવાસમાં મોકલી દીધા હતા.

આ પણ વાંચો: Jammu Kashmir In Encounter : કુલગામમાં ઘર્ષણ, બે આતંકવાદીઓને કરાયા ઠાર

પંડિતોનું વિરોધ પ્રદર્શન: પંડિતોનું મોટું વિરોધ પ્રદર્શન બડગામ જિલ્લામાં થયું છે. બડગામના શેખપોરામાં આવા જ એક સમુહે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કેટલાક સ્થળો પર વિરોધ કરતા પંડિતો અને પોલીસ વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી. લોકોનું ટોળું વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલનું (Tear gas Firing by policeforce) ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં વિરોધ કરતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ રડતા રડતા કહ્યું કે, ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શોક સંવેદના વ્યક્ત કરવા માટે એમના સુધી જવાની પણ તસ્દી લીધી નથી.

રાહુલ ભટ્ટની હત્યા બાદ પંડિતોએ આપી સામુહિક રાજીનામાની ધમકી, કાશ્મીરના ઈતિહાસમાં પહેલી મોટી ઘટના

પોલીસને ખાસ સૂચના: વિરોધ કરી રહેલા એક સભ્ય એ એવું કહ્યું કે, અમે સવારે 11 વાગ્યા સુધી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની રાહ જોઈને બેઠા હતા. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. રાહુલ ભટ્ટની હત્યાની સામે એરપોર્ટ તરફથી માર્ચ કાઢવાનો નિર્ણય લેવાયો છે. અમે વહીવટી તંત્ર અને પોલીસને સૂચના આપી છે કે, ઘટનાસ્થળે પેટ્રોલિંગ કરવામાં આવે. પછી સુરક્ષા અને ન્યાય અંગે આશ્વાસન આપવું જોઈએ પણ તેઓ કોઈ રીતે મળ્યા જ નહીં. વિરોધ કરનારામાંથી એક વ્યક્તિએ કહ્યું હતું કે, અમારા ભાઈને એની કચેરીમાં જઈને ટેબલ પર જ ગોળી મારી દીધી હતી. અમે અમારા શહીદ ભાઈને શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: Pakistan Terrorists Killed : સુરક્ષા દળોની મોટી સફળતા, 12 કલાકમાં 5 આતંકવાદીઓ ઠાર

પત્નીને સરકારી નોકરી આપો: તે પોતાની કચેરીમાં ખૂબ જાણીતો વ્યક્તિ હતો. જેની હવે હત્યા કરી દેવામાં આવી છે. રાહુલ ભટ્ટના પરિવારને રૂપિયા 1 કરોડનું વળતર આપવું જોઈએ. એમના બાળકોના શિક્ષણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એમની પત્નીને જમ્મુ કાશ્મીરમાં સરકારી નોકરી આપો. એક મહિલાએ ત્યાં સુધી કહ્યું કે, અમને વડાપ્રધાન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પણ તેઓ અમારી આશા પર ખરા ઊતર્યા નથી. વડાપ્રધાન મોદીજી એવું કહે છે કે, વડાપ્રધાનનું પુનર્વાસ પેકેજ સંપૂર્ણ રીતે નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે. અમારે આ નોકરી જોઈતી નથી.

સામુહિક રીતે રાજીનામું : હવે અમે સામુહિક રીતે રાજીનામું આપી રહ્યા છીએ. અમારી જમ્મુના કાર્યાલયમાં ટ્રાંસફર કરી દો. ત્યાં અમને કામ કરવાની મંજૂરી આપવામાં આવે. પોલીસે ઉમેર્યું કે, વિરોધ કરનારા લોકોએ એરપોર્ટ રોડ પર ચક્કાજામ કર્યો હતો. જેના કારણે એ લોકો સામે બળપ્રયોગ કરવાની જરૂર પડી હતી. વિરોધ પ્રદર્શન કરનારાઓમાંથી કેટલાક લોકોએ પથ્થરમારો કર્યા બાદ અમે ટીયરગેસના સેલ છોડ્યા હતા. એ પછી અમે લાઠીચાર્જ કર્યો હતો.

શ્રીનગર: પંડિત સમુદાયમાંથી આવતા રાહુલ ભટ્ટને (Pandit Rahul Bhat Killed by Terrorists) કાશ્મીરમાં પંડિતોના પુનર્વાસ માટે વડાપ્રધાનના વિશેષ પેકેજ (PMs Special Package in Kashmir) અંતર્ગત નિયુક્ત કરવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ (Dr.Manmohansingh relief Package) તરફથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યમાં 6000થી વધારે પંડિતોને સરકારી નોકરી (Government job to Kashmiri Pandit) આપવામાં આવી હતી. જ્યાં સુધી આ કર્મચારીઓએ ખાડીના પ્રદેશમાં કાર્યાલયમાં કામકાજ શરૂ કર્યું તો તેમને આ હેતુ માટે ખાસ બનાવાયેલા ખાસ પ્રકારના આવાસમાં મોકલી દીધા હતા.

આ પણ વાંચો: Jammu Kashmir In Encounter : કુલગામમાં ઘર્ષણ, બે આતંકવાદીઓને કરાયા ઠાર

પંડિતોનું વિરોધ પ્રદર્શન: પંડિતોનું મોટું વિરોધ પ્રદર્શન બડગામ જિલ્લામાં થયું છે. બડગામના શેખપોરામાં આવા જ એક સમુહે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કેટલાક સ્થળો પર વિરોધ કરતા પંડિતો અને પોલીસ વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી. લોકોનું ટોળું વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલનું (Tear gas Firing by policeforce) ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં વિરોધ કરતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ રડતા રડતા કહ્યું કે, ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શોક સંવેદના વ્યક્ત કરવા માટે એમના સુધી જવાની પણ તસ્દી લીધી નથી.

રાહુલ ભટ્ટની હત્યા બાદ પંડિતોએ આપી સામુહિક રાજીનામાની ધમકી, કાશ્મીરના ઈતિહાસમાં પહેલી મોટી ઘટના

પોલીસને ખાસ સૂચના: વિરોધ કરી રહેલા એક સભ્ય એ એવું કહ્યું કે, અમે સવારે 11 વાગ્યા સુધી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની રાહ જોઈને બેઠા હતા. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. રાહુલ ભટ્ટની હત્યાની સામે એરપોર્ટ તરફથી માર્ચ કાઢવાનો નિર્ણય લેવાયો છે. અમે વહીવટી તંત્ર અને પોલીસને સૂચના આપી છે કે, ઘટનાસ્થળે પેટ્રોલિંગ કરવામાં આવે. પછી સુરક્ષા અને ન્યાય અંગે આશ્વાસન આપવું જોઈએ પણ તેઓ કોઈ રીતે મળ્યા જ નહીં. વિરોધ કરનારામાંથી એક વ્યક્તિએ કહ્યું હતું કે, અમારા ભાઈને એની કચેરીમાં જઈને ટેબલ પર જ ગોળી મારી દીધી હતી. અમે અમારા શહીદ ભાઈને શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: Pakistan Terrorists Killed : સુરક્ષા દળોની મોટી સફળતા, 12 કલાકમાં 5 આતંકવાદીઓ ઠાર

પત્નીને સરકારી નોકરી આપો: તે પોતાની કચેરીમાં ખૂબ જાણીતો વ્યક્તિ હતો. જેની હવે હત્યા કરી દેવામાં આવી છે. રાહુલ ભટ્ટના પરિવારને રૂપિયા 1 કરોડનું વળતર આપવું જોઈએ. એમના બાળકોના શિક્ષણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એમની પત્નીને જમ્મુ કાશ્મીરમાં સરકારી નોકરી આપો. એક મહિલાએ ત્યાં સુધી કહ્યું કે, અમને વડાપ્રધાન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પણ તેઓ અમારી આશા પર ખરા ઊતર્યા નથી. વડાપ્રધાન મોદીજી એવું કહે છે કે, વડાપ્રધાનનું પુનર્વાસ પેકેજ સંપૂર્ણ રીતે નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે. અમારે આ નોકરી જોઈતી નથી.

સામુહિક રીતે રાજીનામું : હવે અમે સામુહિક રીતે રાજીનામું આપી રહ્યા છીએ. અમારી જમ્મુના કાર્યાલયમાં ટ્રાંસફર કરી દો. ત્યાં અમને કામ કરવાની મંજૂરી આપવામાં આવે. પોલીસે ઉમેર્યું કે, વિરોધ કરનારા લોકોએ એરપોર્ટ રોડ પર ચક્કાજામ કર્યો હતો. જેના કારણે એ લોકો સામે બળપ્રયોગ કરવાની જરૂર પડી હતી. વિરોધ પ્રદર્શન કરનારાઓમાંથી કેટલાક લોકોએ પથ્થરમારો કર્યા બાદ અમે ટીયરગેસના સેલ છોડ્યા હતા. એ પછી અમે લાઠીચાર્જ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.