ETV Bharat / state

વિન્ટર ફેસ્ટિવલ 2025: રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળાએ કચ્છના લોકોને કર્યા આકર્ષિત... - LLDC WINTER FESTIVAL 2025

સાઓરા પેઇન્ટિંગમાં ખૂબ ઝીણવટભર્યું કામ કરવામાં આવે છે. અગાઉ આ પેઇન્ટિંગ દીવાલો પર કરવામાં આવતી. જે હવે માર્કેટિંગ માટે સિલ્કના કાપડ પર કરવામાં આવે છે.

રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા
રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 21, 2025, 1:48 PM IST

કચ્છ: જિલ્લામાં જે રીતે જુદી જુદી વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કળાઓ છે તે જ રીતે ઓડિશાની પણ પોતાની વિવિધ પૌરાણિક કળાઓ પ્રખ્યાત છે. ઓડિશાની વિવિધ કળાઓનું પ્રદર્શન અને તેમાંથી બનાવેલ વિવિધ વસ્તુઓના વેચાણ અર્થે ઓડિશાના કારીગરો કચ્છના શ્રુજન LLDC વિન્ટર ફેસ્ટિવલ 2025 માં આવ્યા છે. જે પૈકી હજારો વર્ષ જૂની કળા 'સાઓરા પેઇન્ટિંગ' કે જે જોવામાં વરલી પેઇન્ટિંગ જેવું લાગે છે, પરંતુ આ કળામાં કરવામાં આવતા ચિત્રોમાં વાર્તાઓ જોડાયેલી હોય છે. 'સાઓરા પેઇન્ટિંગ' માં ખૂબ ઝીણવટભર્યું કામ કરવામાં આવે છે. અગાઉ આ પેઇન્ટિંગ દીવાલો પર કરવામાં આવતી હતી. જે હવે માર્કેટિંગ માટે સિલ્કના કાપડ પર કરવામાં આવે છે.

ઓડિશાની પ્રખ્યાત સાઓરા કળા: સાઓરા પેઇન્ટિંગ એ ભારતના ઓડિશા રાજ્યના સાઓરા આદિવાસી જાતિના લોકો સાથે સંકળાયેલ દિવાલ ભીંતચિત્રોની એક શૈલી છે. આ પેઇન્ટિંગ્સ, જેને આઇકોન્સ પણ કહેવામાં આવે છે તે પ્રાથમિક દ્રષ્ટિએ વરલી પેઇન્ટિંગ જેવા જ લાગે છે. સાઓરા એ એક ધાર્મિક મહત્વ ધરાવે છે.

રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા (Etv Bharat Gujarat)

સાઓરા ચિત્રો આદિવાસી લોકકથાઓ પર દોરે છે અને ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. આઇકોન્સમાં પ્રતીકાત્મક રીતે વાર્તાઓ વર્ણવવા માટે ચિહ્નોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે જે સાઓરા જાતિના લોકોના જન્મ સંબંધિત કાર્યોને પણ પ્રતિબિંબિત કરે છે. લોકો, ઘોડા, હાથી, વાંદરા, સૂર્ય, ચંદ્ર અને જીવનનું વૃક્ષ આ પેઇન્ટિંગમાં બનાવવામાં આવે છે. આ આઇકોન મૂળરૂપે સાઓરાના ઝૂંપડીની દિવાલો પર દોરવામાં આવતા હતા.

કચ્છના શ્રુજન LLDC વિન્ટર ફેસ્ટિવલ 2025
કચ્છના શ્રુજન LLDC વિન્ટર ફેસ્ટિવલ 2025 (Etv Bharat Gujarat)

દક્ષિણ ઓડિશાના રાયગડા, ગંજમ, ગજપતિ અને કોરાપુટ જિલ્લામાં જોવા જોવા મળે છે આ કળા:

સાઓરા ભારતની સૌથી પ્રાચીન જાતિઓમાંની એક છે અને રામાયણ અને મહાભારતના હિંદુ મહાકાવ્યોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. સાવરી, રામાયણમાં રામના ભક્ત અને જારા, શિકારી જેણે કૃષ્ણને તીરથી ઘાતક રીતે ઘાયલ કર્યા હતા, તે આ જાતિના સભ્યો હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણનું શરીર પુરીની નજીકના સમુદ્રમાં લાકડાના લોગ તરીકે વહી ગયું હતું અને પુરીમાં જગન્નાથની મૂર્તિ તેમાંથી શિલ્પ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સૌરા ચિત્રો સાઓરા આદિવાસીઓની ધાર્મિક વિધિઓનો અભિન્ન ભાગ છે અને તે દક્ષિણ ઓડિશાના રાયગડા, ગંજમ, ગજપતિ અને કોરાપુટ જિલ્લામાં જોવા મળે છે.

રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા
રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા (Etv Bharat Gujarat)

હવે કેમિકલ વાળા રંગોથી આ પેઇન્ટિંગ્સ બને છે: સાઓરા પેઇન્ટિંગ લાલ અને પીળા રંગના સિલ્કના કાપડ પર દોરવામાં આવે છે. ટેન્ડર વાંસની ડાળીઓમાંથી બનાવેલા બ્રશનો ઉપયોગ કરીને પેઇન્ટ કરવામાં આવે છે. અગાઉ કારીગરો કુદરતી રંગો અને ક્રોમ્સનો ઉપયોગ કરતા હતા જે જમીનના સફેદ પથ્થર, રંગીન પૃથ્વી અને સિંદૂર અને આમલીના બીજ, ફૂલ અને પાંદડાના અર્કના મિશ્રણમાંથી બનાવવામાં આવતા હતા. જોકે હવે કેમિકલ વાળા રંગોથી આ પેઇન્ટિંગ્સ બનાવવામાં આવે છે તેવું કારીગરો જણાવે છે.

ઓડિશાની 'સાઓરા' કળાએ કચ્છના લોકોને કર્યા આકર્ષિત
ઓડિશાની 'સાઓરા' કળાએ કચ્છના લોકોને કર્યા આકર્ષિત (Etv Bharat Gujarat)

વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગો દર્શાવાય છે: સાઓરા પેઇન્ટિંગ ખાસ કરીને ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગો જેમ કે બાળજન્મ, પાકની લણણી, લગ્ન, રાજાનો રાજ્ય અને નવા ઘરના નિર્માણ દરમિયાન આ ચિહ્નોની પૂજા કરવામાં આવે છે. આ ચિન્હો દ્વારા જ આ કળાના નમૂનાઓ બનાવવામાં આવે છે. આ કળાનો ઉપયોગ સાંસારિક ધાર્મિક વિધિઓ માટે પણ કરી શકાય છે. આ પેઇન્ટિંગમાં ત્રિકોણ જેવા આકાર છે તે ડુંગર દર્શાવે છે કારણ કે આ જાતિના લોકો ડુંગરોની વચ્ચે રહે છે. તો ડુંગરની ઉપર વાંદરાના સિમ્બોલ બનાવવામાં આવ્યા છે તો આ વાંદરા સિક્યોરિટી તરીકે ગામની રક્ષા કરે છે તેવું દર્શાવવામાં આવ્યું છે.

રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા
રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા (Etv Bharat Gujarat)

દેખાવમાં વરલી જેવી જ લાગે છે આ કળા: સાઓરા પેઈન્ટિંગ્સ ભારતની વરલી કળા સાથે સરખાવી શકાય છે કારણ કે તે વરલી કળા જેવી જ આકર્ષક અને સમાનતા ધરાવે છે. બંને કલામાં સ્પષ્ટ ભૌમિતિક ફ્રેમનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ બન્ને કળાઓ શૈલી અને વિષયોમાં અલગ પડે છે. જો કે બંને આદિવાસી ચિત્રોનાં ઉદાહરણો છે. વરલી ચિત્રો માનવ શરીરને દર્શાવવા માટે સંયુક્ત ત્રિકોણનો ઉપયોગ કરે છે જ્યારે સાઓરા ચિત્રોમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવતી નથી. વરલી ચિત્રોમાં પુરુષ અને સ્ત્રી ચિહ્નો સ્પષ્ટપણે અલગ પડે છે, જ્યારે સાઓરા કલામાં આવો કોઈ શારીરિક ભેદભાવ જોવા મળતા નથી.

કચ્છના શ્રુજન LLDC વિન્ટર ફેસ્ટિવલ 2025
કચ્છના શ્રુજન LLDC વિન્ટર ફેસ્ટિવલ 2025 (Etv Bharat Gujarat)

જાન્યુઆરી 2024 માં GI ટેગ: લાંજિયા સાઓરા પેઇન્ટિંગ જેને આઇડીટલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને જાન્યુઆરી 2024 માં GI ટેગ મળ્યો હતો. આ સાઓરા પેઈન્ટિંગ ઓડિશાના રાયગડા જિલ્લાના લાંજિયા સૌરા અથવા લાંજિયા સાવરા/સબારા જનજાતિનું પરંપરાગત કલા સ્વરૂપ છે. આ પેઇન્ટિંગ્સ કિરમજી મરૂન કાપડ પર સફેદ રંગની વિવિધ ડિઝાઇન માટે જાણીતા છે. તેઓ મૂળ આદિવાસીઓના ઘરોમાં બાહ્ય ભીંતચિત્રો તરીકે પણ પ્રદર્શિત કરવામાં આવતા હતા.

રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા
રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા (Etv Bharat Gujarat)

200 રૂપિયાથી 1 લાખની કિંમતના નમૂનાઓ: આ કળાને GI ટેગ મળ્યા બાદ કારીગરોને ફાયદો પણ થઈ રહ્યો છે તો સાથે જ તેમને તેમની કળાના સારા ભાવ પણ મળી રહ્યા છે. આ એક પેઇન્ટિંગ બનાવવા માટે એક અઠવાડિયાથી એક મહિના જેટલો સમય લાગે છે. આ કળાના નમુનાઓ 200 રૂપિયાથી લઈને 1 લાખ સુધી હોય છે.

આ પણ વાંચો:

  1. કચ્છીઓને ઘરઆંગણે ઓડિશાની સંસ્કૃતિ માણવાનો અવસર, શરૂ થઈ રહ્યો LLDC વિન્ટર ફેસ્ટિવલ....
  2. ભુજમાં વિન્ટર ફેસ્ટિવલ-2025 નો પ્રારંભ: ઓડિશા અને કચ્છની સંસ્કૃતિનો સમન્વય માણવાનો અવસર

કચ્છ: જિલ્લામાં જે રીતે જુદી જુદી વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કળાઓ છે તે જ રીતે ઓડિશાની પણ પોતાની વિવિધ પૌરાણિક કળાઓ પ્રખ્યાત છે. ઓડિશાની વિવિધ કળાઓનું પ્રદર્શન અને તેમાંથી બનાવેલ વિવિધ વસ્તુઓના વેચાણ અર્થે ઓડિશાના કારીગરો કચ્છના શ્રુજન LLDC વિન્ટર ફેસ્ટિવલ 2025 માં આવ્યા છે. જે પૈકી હજારો વર્ષ જૂની કળા 'સાઓરા પેઇન્ટિંગ' કે જે જોવામાં વરલી પેઇન્ટિંગ જેવું લાગે છે, પરંતુ આ કળામાં કરવામાં આવતા ચિત્રોમાં વાર્તાઓ જોડાયેલી હોય છે. 'સાઓરા પેઇન્ટિંગ' માં ખૂબ ઝીણવટભર્યું કામ કરવામાં આવે છે. અગાઉ આ પેઇન્ટિંગ દીવાલો પર કરવામાં આવતી હતી. જે હવે માર્કેટિંગ માટે સિલ્કના કાપડ પર કરવામાં આવે છે.

ઓડિશાની પ્રખ્યાત સાઓરા કળા: સાઓરા પેઇન્ટિંગ એ ભારતના ઓડિશા રાજ્યના સાઓરા આદિવાસી જાતિના લોકો સાથે સંકળાયેલ દિવાલ ભીંતચિત્રોની એક શૈલી છે. આ પેઇન્ટિંગ્સ, જેને આઇકોન્સ પણ કહેવામાં આવે છે તે પ્રાથમિક દ્રષ્ટિએ વરલી પેઇન્ટિંગ જેવા જ લાગે છે. સાઓરા એ એક ધાર્મિક મહત્વ ધરાવે છે.

રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા (Etv Bharat Gujarat)

સાઓરા ચિત્રો આદિવાસી લોકકથાઓ પર દોરે છે અને ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. આઇકોન્સમાં પ્રતીકાત્મક રીતે વાર્તાઓ વર્ણવવા માટે ચિહ્નોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે જે સાઓરા જાતિના લોકોના જન્મ સંબંધિત કાર્યોને પણ પ્રતિબિંબિત કરે છે. લોકો, ઘોડા, હાથી, વાંદરા, સૂર્ય, ચંદ્ર અને જીવનનું વૃક્ષ આ પેઇન્ટિંગમાં બનાવવામાં આવે છે. આ આઇકોન મૂળરૂપે સાઓરાના ઝૂંપડીની દિવાલો પર દોરવામાં આવતા હતા.

કચ્છના શ્રુજન LLDC વિન્ટર ફેસ્ટિવલ 2025
કચ્છના શ્રુજન LLDC વિન્ટર ફેસ્ટિવલ 2025 (Etv Bharat Gujarat)

દક્ષિણ ઓડિશાના રાયગડા, ગંજમ, ગજપતિ અને કોરાપુટ જિલ્લામાં જોવા જોવા મળે છે આ કળા:

સાઓરા ભારતની સૌથી પ્રાચીન જાતિઓમાંની એક છે અને રામાયણ અને મહાભારતના હિંદુ મહાકાવ્યોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. સાવરી, રામાયણમાં રામના ભક્ત અને જારા, શિકારી જેણે કૃષ્ણને તીરથી ઘાતક રીતે ઘાયલ કર્યા હતા, તે આ જાતિના સભ્યો હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણનું શરીર પુરીની નજીકના સમુદ્રમાં લાકડાના લોગ તરીકે વહી ગયું હતું અને પુરીમાં જગન્નાથની મૂર્તિ તેમાંથી શિલ્પ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સૌરા ચિત્રો સાઓરા આદિવાસીઓની ધાર્મિક વિધિઓનો અભિન્ન ભાગ છે અને તે દક્ષિણ ઓડિશાના રાયગડા, ગંજમ, ગજપતિ અને કોરાપુટ જિલ્લામાં જોવા મળે છે.

રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા
રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા (Etv Bharat Gujarat)

હવે કેમિકલ વાળા રંગોથી આ પેઇન્ટિંગ્સ બને છે: સાઓરા પેઇન્ટિંગ લાલ અને પીળા રંગના સિલ્કના કાપડ પર દોરવામાં આવે છે. ટેન્ડર વાંસની ડાળીઓમાંથી બનાવેલા બ્રશનો ઉપયોગ કરીને પેઇન્ટ કરવામાં આવે છે. અગાઉ કારીગરો કુદરતી રંગો અને ક્રોમ્સનો ઉપયોગ કરતા હતા જે જમીનના સફેદ પથ્થર, રંગીન પૃથ્વી અને સિંદૂર અને આમલીના બીજ, ફૂલ અને પાંદડાના અર્કના મિશ્રણમાંથી બનાવવામાં આવતા હતા. જોકે હવે કેમિકલ વાળા રંગોથી આ પેઇન્ટિંગ્સ બનાવવામાં આવે છે તેવું કારીગરો જણાવે છે.

ઓડિશાની 'સાઓરા' કળાએ કચ્છના લોકોને કર્યા આકર્ષિત
ઓડિશાની 'સાઓરા' કળાએ કચ્છના લોકોને કર્યા આકર્ષિત (Etv Bharat Gujarat)

વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગો દર્શાવાય છે: સાઓરા પેઇન્ટિંગ ખાસ કરીને ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગો જેમ કે બાળજન્મ, પાકની લણણી, લગ્ન, રાજાનો રાજ્ય અને નવા ઘરના નિર્માણ દરમિયાન આ ચિહ્નોની પૂજા કરવામાં આવે છે. આ ચિન્હો દ્વારા જ આ કળાના નમૂનાઓ બનાવવામાં આવે છે. આ કળાનો ઉપયોગ સાંસારિક ધાર્મિક વિધિઓ માટે પણ કરી શકાય છે. આ પેઇન્ટિંગમાં ત્રિકોણ જેવા આકાર છે તે ડુંગર દર્શાવે છે કારણ કે આ જાતિના લોકો ડુંગરોની વચ્ચે રહે છે. તો ડુંગરની ઉપર વાંદરાના સિમ્બોલ બનાવવામાં આવ્યા છે તો આ વાંદરા સિક્યોરિટી તરીકે ગામની રક્ષા કરે છે તેવું દર્શાવવામાં આવ્યું છે.

રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા
રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા (Etv Bharat Gujarat)

દેખાવમાં વરલી જેવી જ લાગે છે આ કળા: સાઓરા પેઈન્ટિંગ્સ ભારતની વરલી કળા સાથે સરખાવી શકાય છે કારણ કે તે વરલી કળા જેવી જ આકર્ષક અને સમાનતા ધરાવે છે. બંને કલામાં સ્પષ્ટ ભૌમિતિક ફ્રેમનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ બન્ને કળાઓ શૈલી અને વિષયોમાં અલગ પડે છે. જો કે બંને આદિવાસી ચિત્રોનાં ઉદાહરણો છે. વરલી ચિત્રો માનવ શરીરને દર્શાવવા માટે સંયુક્ત ત્રિકોણનો ઉપયોગ કરે છે જ્યારે સાઓરા ચિત્રોમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવતી નથી. વરલી ચિત્રોમાં પુરુષ અને સ્ત્રી ચિહ્નો સ્પષ્ટપણે અલગ પડે છે, જ્યારે સાઓરા કલામાં આવો કોઈ શારીરિક ભેદભાવ જોવા મળતા નથી.

કચ્છના શ્રુજન LLDC વિન્ટર ફેસ્ટિવલ 2025
કચ્છના શ્રુજન LLDC વિન્ટર ફેસ્ટિવલ 2025 (Etv Bharat Gujarat)

જાન્યુઆરી 2024 માં GI ટેગ: લાંજિયા સાઓરા પેઇન્ટિંગ જેને આઇડીટલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને જાન્યુઆરી 2024 માં GI ટેગ મળ્યો હતો. આ સાઓરા પેઈન્ટિંગ ઓડિશાના રાયગડા જિલ્લાના લાંજિયા સૌરા અથવા લાંજિયા સાવરા/સબારા જનજાતિનું પરંપરાગત કલા સ્વરૂપ છે. આ પેઇન્ટિંગ્સ કિરમજી મરૂન કાપડ પર સફેદ રંગની વિવિધ ડિઝાઇન માટે જાણીતા છે. તેઓ મૂળ આદિવાસીઓના ઘરોમાં બાહ્ય ભીંતચિત્રો તરીકે પણ પ્રદર્શિત કરવામાં આવતા હતા.

રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા
રામાયણ કાળથી જોડાયેલી ઓડિશાની 'સાઓરા' કળા (Etv Bharat Gujarat)

200 રૂપિયાથી 1 લાખની કિંમતના નમૂનાઓ: આ કળાને GI ટેગ મળ્યા બાદ કારીગરોને ફાયદો પણ થઈ રહ્યો છે તો સાથે જ તેમને તેમની કળાના સારા ભાવ પણ મળી રહ્યા છે. આ એક પેઇન્ટિંગ બનાવવા માટે એક અઠવાડિયાથી એક મહિના જેટલો સમય લાગે છે. આ કળાના નમુનાઓ 200 રૂપિયાથી લઈને 1 લાખ સુધી હોય છે.

આ પણ વાંચો:

  1. કચ્છીઓને ઘરઆંગણે ઓડિશાની સંસ્કૃતિ માણવાનો અવસર, શરૂ થઈ રહ્યો LLDC વિન્ટર ફેસ્ટિવલ....
  2. ભુજમાં વિન્ટર ફેસ્ટિવલ-2025 નો પ્રારંભ: ઓડિશા અને કચ્છની સંસ્કૃતિનો સમન્વય માણવાનો અવસર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.