ETV Bharat / bharat

Manish Sisodia Issue: કેજરીવાલને વિપક્ષનો ટેકો, વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

નવી દિલ્હીના પૂર્વ ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડને લઈને મોટી અપડેટ સામે આવી છે. જેમાં અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટી સહિત અન્ય 9 વિપક્ષ રાજકીય પાર્ટીનો ટેક મળ્યો છે. વિપક્ષના નેતાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. જેમાં મનીષ સિસોદિયાની ધરપકડ પર પ્રશ્નો કરવામાં આવ્યા છે.

author img

By

Published : Mar 5, 2023, 12:50 PM IST

Etv BharatManish Sisodia Issue: કેજરીવાલને વિપક્ષનો ટેકો, વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
Etv BharatManish Sisodia Issue: કેજરીવાલને વિપક્ષનો ટેકો, વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ દિલ્હીમાં પૂર્વ ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ જેલમાં હોળીનો દિવસ પસાર કરવો પડશે. કોર્ટે જામીન ન આપતા કારાવાસમાં રહેવાનો વારો આવ્યો છે. આ મામલે હવે આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલને અન્ય 9 વિપક્ષ રાજકીય દળનો ટેકો મળતા વિરોધ પ્રબળ બની રહ્યો છે. અરવિંદ કેજરીવાલ સહિત વન અન્ય વિપક્ષના નેતાઓએ વડાપ્રધાન મોદીને મનીષ સિસોદિયાના વિષય સંબંધીત પત્ર લખ્યો છે.

આ પણ વાંચોઃ Uttarakhand News: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા

કોના-કોના નામઃ મનીષ સિસોદિયાની થયેલી ધરપકડને દુનિયાભરમાં રાજકીય દ્રષ્ટિકોણથી એક ઉદાહરણ રૂપે જોવામાં આવો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વાતને કેજરીવાલે પૂરતો ટેકો આપી દીધો છે. પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે, દુનિયાભરમાં એવો સંદેશો જઈ રહ્યો છે કે, ભારતના જે લોકતાંત્રિક મૂલ્યો છે, એને એક સંપૂર્ણ બહુમત ધરાવતી રાજકીય પાર્ટીથી શું જોખમ છે. BSR પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ, તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જી, ભગવંત માન, તેજસ્વી યાદવ, ફારૂખ અબ્દુલા, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવના નામ આ પત્રમાં લખાયા છે.

મનીષ સિસોદિયાને બચાવવા માટે વિપક્ષના ઘણા નેતાઓએ પત્ર લખેલા છે. એક એવો પત્ર કસાબને બચાવવા માટે પણ લખવામાં આવ્યો હતો. જ્યારે આવા લેટર શરૂ થાય એટલે એ વાત નક્કી થાય છે કે, ગુનો થયો એ નક્કી છે. હવે એને બચાવવા માટેની દોડાદોડી છે.--કપિલ મિશ્રા (ભાજપ નેતા, દિલ્હી)

કેન્દ્ર સામે રોષઃ આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર પોતાની આગામી ચૂંટણીને જીતવા માટે કેન્દ્રિય તપાસ એજન્સીઓને ખોટો ઉપયોગ કરી રહી છે. જેના ઉદાહરણ પણ આપવામાં આવ્યા છે. રાજ્યપાલ તરફથી લેવાયેલા નિર્ણયો ઉપર પણ પ્રશ્નો કરાયા છે. જે લોકતંત્ર માટે યોગ્ય નથી. એક્સાઈઝ ડ્યૂટીમાં કૌભાંડને લઈને સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. જેમાં કોર્ટે કોઈ પ્રકારની રાહત રવિવાર સુધી આપી ન હતી.

આ પણ વાંચોઃ Rajasthan News : ભાભી આટો સાટો સગાઈ માટે સહમત ન થતા, દેવરે કરી હત્યા

રીમાન્ડ હતાઃ પાંચ દિવસના રીમાન્ડ ખતમ થતા એને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં સીબીઆઈને બે દિવસના વધુ રીમાન્ડ મળ્યા છે. સોમવારે આ કેસની સુનાવણી થવાની છે. સિસોદિયાએ પોતાની જામીન અરજી માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. જેના પર હવે તારીખ 10 માર્ચના રોજ વિચારણા થશે. તારીખ 26 ફેબ્રુઆરીના રોજ સીબીઆઈએ આ કેસ સંબંધીત પૂછપરછ માટે બોલાવ્યા હતા.

આરોપ મૂક્યોઃ તપાસમાં મદદ કરતા નથી એવો આરોપ નાંખીને સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. એક્સાઈઝ ડ્યૂટી કૌભાંડમાં તેમણે કેટલાક વેપારીઓને ફાયદો કરાવવા માટે ખોટું કર્યું હતું. આ કેસમાં તેઓને મુખ્ય આરોપી તરીકે ગણવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ દિલ્હીમાં પૂર્વ ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ જેલમાં હોળીનો દિવસ પસાર કરવો પડશે. કોર્ટે જામીન ન આપતા કારાવાસમાં રહેવાનો વારો આવ્યો છે. આ મામલે હવે આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલને અન્ય 9 વિપક્ષ રાજકીય દળનો ટેકો મળતા વિરોધ પ્રબળ બની રહ્યો છે. અરવિંદ કેજરીવાલ સહિત વન અન્ય વિપક્ષના નેતાઓએ વડાપ્રધાન મોદીને મનીષ સિસોદિયાના વિષય સંબંધીત પત્ર લખ્યો છે.

આ પણ વાંચોઃ Uttarakhand News: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા

કોના-કોના નામઃ મનીષ સિસોદિયાની થયેલી ધરપકડને દુનિયાભરમાં રાજકીય દ્રષ્ટિકોણથી એક ઉદાહરણ રૂપે જોવામાં આવો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વાતને કેજરીવાલે પૂરતો ટેકો આપી દીધો છે. પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે, દુનિયાભરમાં એવો સંદેશો જઈ રહ્યો છે કે, ભારતના જે લોકતાંત્રિક મૂલ્યો છે, એને એક સંપૂર્ણ બહુમત ધરાવતી રાજકીય પાર્ટીથી શું જોખમ છે. BSR પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ, તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જી, ભગવંત માન, તેજસ્વી યાદવ, ફારૂખ અબ્દુલા, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવના નામ આ પત્રમાં લખાયા છે.

મનીષ સિસોદિયાને બચાવવા માટે વિપક્ષના ઘણા નેતાઓએ પત્ર લખેલા છે. એક એવો પત્ર કસાબને બચાવવા માટે પણ લખવામાં આવ્યો હતો. જ્યારે આવા લેટર શરૂ થાય એટલે એ વાત નક્કી થાય છે કે, ગુનો થયો એ નક્કી છે. હવે એને બચાવવા માટેની દોડાદોડી છે.--કપિલ મિશ્રા (ભાજપ નેતા, દિલ્હી)

કેન્દ્ર સામે રોષઃ આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર પોતાની આગામી ચૂંટણીને જીતવા માટે કેન્દ્રિય તપાસ એજન્સીઓને ખોટો ઉપયોગ કરી રહી છે. જેના ઉદાહરણ પણ આપવામાં આવ્યા છે. રાજ્યપાલ તરફથી લેવાયેલા નિર્ણયો ઉપર પણ પ્રશ્નો કરાયા છે. જે લોકતંત્ર માટે યોગ્ય નથી. એક્સાઈઝ ડ્યૂટીમાં કૌભાંડને લઈને સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. જેમાં કોર્ટે કોઈ પ્રકારની રાહત રવિવાર સુધી આપી ન હતી.

આ પણ વાંચોઃ Rajasthan News : ભાભી આટો સાટો સગાઈ માટે સહમત ન થતા, દેવરે કરી હત્યા

રીમાન્ડ હતાઃ પાંચ દિવસના રીમાન્ડ ખતમ થતા એને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં સીબીઆઈને બે દિવસના વધુ રીમાન્ડ મળ્યા છે. સોમવારે આ કેસની સુનાવણી થવાની છે. સિસોદિયાએ પોતાની જામીન અરજી માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. જેના પર હવે તારીખ 10 માર્ચના રોજ વિચારણા થશે. તારીખ 26 ફેબ્રુઆરીના રોજ સીબીઆઈએ આ કેસ સંબંધીત પૂછપરછ માટે બોલાવ્યા હતા.

આરોપ મૂક્યોઃ તપાસમાં મદદ કરતા નથી એવો આરોપ નાંખીને સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. એક્સાઈઝ ડ્યૂટી કૌભાંડમાં તેમણે કેટલાક વેપારીઓને ફાયદો કરાવવા માટે ખોટું કર્યું હતું. આ કેસમાં તેઓને મુખ્ય આરોપી તરીકે ગણવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.