ETV Bharat / bharat

Maharashtra crime news: પત્ની અને બે બાળકોને કેનાલમાં ધકેલી પતિએ પણ કરી આત્મહત્યા

author img

By

Published : Feb 25, 2023, 7:36 PM IST

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક વ્યક્તિએ તેની પત્ની અને બે બાળકોને નહેરમાં ધકેલીને આત્મહત્યા કરી લીધી. કેનાલમાં ધકેલાતા બે બાળકો પૈકી એકનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.

Maharashtra crime news: પત્ની અને બે બાળકોને કેનાલમાં ધકેલી વ્યક્તિએ પણ કરી આત્મહત્યા
Maharashtra crime news: પત્ની અને બે બાળકોને કેનાલમાં ધકેલી વ્યક્તિએ પણ કરી આત્મહત્યા

કોલ્હાપુરઃ કોલ્હાપુરના કાગલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક વ્યક્તિએ તેની પત્ની અને બે બાળકોને કેનાલમાં ધકેલીને આત્મહત્યા કરી લીધી. પાણીમાં ધકેલાઈ ગયેલા બે બાળકોમાંથી બાળકીનો જીવ બચી ગયો છે. આ ઘટના શુક્રવારે બપોરે ડાબી કેનાલમાં બની હતી. આ મામલે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેણે આવું શા માટે કર્યું, તેનો ખુલાસો થઈ શક્યો નથી.

આ પણ વાંચો: CM Yogi in up assembly: વિધાનસભામાં CM યોગીએ એલાન કર્યું કે, માફિયાઓ અતીક અહેમદને માટીમાં ભેળવશે

કેનાલમાં ધકેલ્યા: કરવીર તાલુકાના રહેવાસી સંદીપ અન્નાસવ પાટીલ (36), જે સાઉન્ડ સિસ્ટમનો વેપાર કરે છે, તેમના પરિવારમાં તેમની પત્ની, પુત્ર અને એક પુત્રી છે. સંદીપ પાટીલ તેની પત્ની રાજશ્રી સંદીપ પાટીલ (32), પુત્ર સમિત (આઠ) અને પુત્રી શ્રેયા પાટીલ (14)ને લઈને શુક્રવારે બપોરે કાગલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ડાબી કેનાલ પાસે પાણીમાં ધકેલી દીધા હતા.

કેનાલમાં શોધખોળ શરૂ: બાદમાં શ્રેયા કોઈક રીતે પાણીમાંથી બહાર આવી હતી. ગામલોકોએ તેને તાત્કાલિક સાંગો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી હતી. આ દરમિયાન કિશોરીએ જણાવ્યું કે, તેના માતા-પિતા અને ભાઈ પણ કેનાલમાં ડૂબી ગયા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. રાજશ્રી પાટીલ અને સમિત પાટીલના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ સંદીપનો મૃતદેહ મળ્યો ન હતો. જેના આધારે પોલીસે શંકાસ્પદ આરોપી સંદીપ પાટીલની શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો: Honor killing in Andhra Pradesh : આંધ્રપ્રદેશના નંદ્યાલમાં ઓનર કિલિંગ, પિતાએ જ પુત્રીનું કાપ્યુ માથું

ડીએસપી પહોંચ્યા ઘટના સ્થળે: દરમિયાન સમાચાર આવ્યા છે કે, સંદીપ પાટીલે કર્ણાટકના ભોજમાં રોડ પર બાઇક પાર્ક કરીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ સદલગા પોલીસને કરવામાં આવી હતી. આ અંગે ચિકોડીના ડીએસપી બસવરાજ યાલીગર ઘટનાસ્થળે પહોંચ્યા અને સંદીપ પાટીલના મૃતદેહને પોતાના કબજામાં લીધો.

કોલ્હાપુરઃ કોલ્હાપુરના કાગલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક વ્યક્તિએ તેની પત્ની અને બે બાળકોને કેનાલમાં ધકેલીને આત્મહત્યા કરી લીધી. પાણીમાં ધકેલાઈ ગયેલા બે બાળકોમાંથી બાળકીનો જીવ બચી ગયો છે. આ ઘટના શુક્રવારે બપોરે ડાબી કેનાલમાં બની હતી. આ મામલે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેણે આવું શા માટે કર્યું, તેનો ખુલાસો થઈ શક્યો નથી.

આ પણ વાંચો: CM Yogi in up assembly: વિધાનસભામાં CM યોગીએ એલાન કર્યું કે, માફિયાઓ અતીક અહેમદને માટીમાં ભેળવશે

કેનાલમાં ધકેલ્યા: કરવીર તાલુકાના રહેવાસી સંદીપ અન્નાસવ પાટીલ (36), જે સાઉન્ડ સિસ્ટમનો વેપાર કરે છે, તેમના પરિવારમાં તેમની પત્ની, પુત્ર અને એક પુત્રી છે. સંદીપ પાટીલ તેની પત્ની રાજશ્રી સંદીપ પાટીલ (32), પુત્ર સમિત (આઠ) અને પુત્રી શ્રેયા પાટીલ (14)ને લઈને શુક્રવારે બપોરે કાગલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ડાબી કેનાલ પાસે પાણીમાં ધકેલી દીધા હતા.

કેનાલમાં શોધખોળ શરૂ: બાદમાં શ્રેયા કોઈક રીતે પાણીમાંથી બહાર આવી હતી. ગામલોકોએ તેને તાત્કાલિક સાંગો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી હતી. આ દરમિયાન કિશોરીએ જણાવ્યું કે, તેના માતા-પિતા અને ભાઈ પણ કેનાલમાં ડૂબી ગયા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. રાજશ્રી પાટીલ અને સમિત પાટીલના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ સંદીપનો મૃતદેહ મળ્યો ન હતો. જેના આધારે પોલીસે શંકાસ્પદ આરોપી સંદીપ પાટીલની શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો: Honor killing in Andhra Pradesh : આંધ્રપ્રદેશના નંદ્યાલમાં ઓનર કિલિંગ, પિતાએ જ પુત્રીનું કાપ્યુ માથું

ડીએસપી પહોંચ્યા ઘટના સ્થળે: દરમિયાન સમાચાર આવ્યા છે કે, સંદીપ પાટીલે કર્ણાટકના ભોજમાં રોડ પર બાઇક પાર્ક કરીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ સદલગા પોલીસને કરવામાં આવી હતી. આ અંગે ચિકોડીના ડીએસપી બસવરાજ યાલીગર ઘટનાસ્થળે પહોંચ્યા અને સંદીપ પાટીલના મૃતદેહને પોતાના કબજામાં લીધો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.