ETV Bharat / bharat

દક્કનચેરીમાં KSRTC સાથે પ્રવાસીઓની બસ અથડાઈ, વિદ્યાર્થીઓ સહિત 9નાં મોત

ગુરુવારે એર્નાકુલમના મુલંથુરુથીમાં (Accident In Kerala) બેસેલિયસ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી એક પ્રવાસી બસ KSRTCની બસ સાથે અથડાઈ (Tourist bus collided with KSRTC in Vadakkancheri) હતી. આ ઘટનામાં 9 લોકોના મોત (9 People Died In Accident) થયા હોવાના અહેવાલ છે.

author img

By

Published : Oct 6, 2022, 9:42 AM IST

દક્કનચેરીમાં KSRTC સાથે પ્રવાસીઓની બસ અથડાઈ, વિદ્યાર્થીઓ સહિત 9નાં મોત, 40 ઈજાગ્રસ્ત
દક્કનચેરીમાં KSRTC સાથે પ્રવાસીઓની બસ અથડાઈ, વિદ્યાર્થીઓ સહિત 9નાં મોત, 40 ઈજાગ્રસ્ત

અલક્કડ (કેરળ) : એર્નાકુલમના મુલાન્થુરુથી (Accident In Kerala) ખાતે ગુરુવારે બેસેલિયસ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી પ્રવાસી બસ KSRTC બસ સાથે અથડાઈ (Tourist bus collided with KSRTC in Vadakkancheri) હતી. આ ઘટનામાં 9 લોકોના મોત (9 People Died In Accident) થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સ્કૂલના બાળકોને લઈ જઈ રહેલી ટૂરિસ્ટ બસે કારને ઓવરટેક કરતી વખતે નિયંત્રણ ગુમાવ્યું હતું અને KSRTC બસને ટક્કર મારી હતી. જે બાદ ટુરિસ્ટ બસ નજીકના દલદલમાં પડી ગઈ હતી.

દક્કનચેરીમાં KSRTC સાથે પ્રવાસીઓની બસ અથડાઈ : આ દુર્ઘટના વાલ્યાર-વડાકનચેરી નેશનલ હાઈવે પર અંજુમૂર્તિ મંગલમ બસ સ્ટોપ પાસે થઈ હતી. દુર્ઘટના બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે લગભગ 12 વાગ્યાની હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં 12 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને અન્ય 28 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રવાસી બસમાં 41 વિદ્યાર્થીઓ, 5ચ શિક્ષકો અને 2 કર્મચારીઓ સવાર હતા. KSRTC બસમાં 49 પ્રવાસીઓ સવાર હતા. મૃતકોમાં KSRTC બસના 3 પ્રવાસીઓ અને પ્રવાસી બસના 5 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. 6 પુરૂષો અને 3 મહિલાઓના મોત થયા છે. મૃતકોમાં KSRTCના પ્રવાસીઓ રોહિત રાજ (24) થ્રિસુરના અને કોલ્લમના ઓ અનૂપ (22) અને સ્કૂલ સ્ટાફ નેન્સી જ્યોર્જ અને વીકે વિષ્ણુનો સમાવેશ થાય છે.

ત્રિશૂર હોસ્પિટલમાં 16 ઈજાગ્રસ્તોની ચાલી રહી છે સારવાર : પોલીસે માહિતી આપી છે કે, અકસ્માતમાં જાનહાનિ વધી શકે છે. ઈજાગ્રસ્તોને પલક્કડ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહ અલ્થૂર અને પલક્કડ હોસ્પિટલમાં છે. ત્રિશૂર હોસ્પિટલમાં 16 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જેમાં હરિકૃષ્ણન (22), અમેયા (17), શ્રદ્ધા (15), અનીજા (15), અમૃતા 915, થાનાશ્રી (15), હિને જોસેફ (15), આશા (40) સહિત 16 ઈજાગ્રસ્તોની થ્રિસુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેનેમા (15), અરુણકુમાર (38), બ્લાસન (18), એલ્સિલ (18) અને એલ્સા (18) નો સમાવેશ છે.

KSRTC બસ કોટ્ટરક્કારાથી કોઈમ્બતુર જઈ રહી હતી : બેસેલિયસ સ્કૂલના ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ ઊટીની રજાઓ પર હતા ત્યારે તેઓનો અકસ્માત થયો હતો. ટીમમાં 26 છોકરાઓ અને 16 છોકરીઓનો સમાવેશ થાય છે. વરસાદની હાજરીથી અકસ્માતની તીવ્રતા વધી ગઈ હતી. પ્રવાસી બસમાં સવાર પ્રવાસીઓને કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. KSRTC બસ કોટ્ટરક્કારાથી કોઈમ્બતુર જઈ રહી હતી. KSRTC ડ્રાઈવર સુમેશે જણાવ્યું હતું કે, પ્રવાસી બસની ઝડપ ઝડપી હતી. વિદ્યાર્થીઓએ પણ પુષ્ટિ કરી હતી કે બસ નિયંત્રણ બહાર ગઈ હતી અને ખૂબ જ પ્રયત્નો પછી તેને રોકવામાં આવી હતી. એક માતા-પિતાએ જણાવ્યું હતું કે, પ્રવાસી બસનો ડ્રાઈવર વેલંકન્નીની મુલાકાત બાદ પ્રવાસી દરમિયાન થાકી ગયો હતો. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

અલક્કડ (કેરળ) : એર્નાકુલમના મુલાન્થુરુથી (Accident In Kerala) ખાતે ગુરુવારે બેસેલિયસ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી પ્રવાસી બસ KSRTC બસ સાથે અથડાઈ (Tourist bus collided with KSRTC in Vadakkancheri) હતી. આ ઘટનામાં 9 લોકોના મોત (9 People Died In Accident) થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સ્કૂલના બાળકોને લઈ જઈ રહેલી ટૂરિસ્ટ બસે કારને ઓવરટેક કરતી વખતે નિયંત્રણ ગુમાવ્યું હતું અને KSRTC બસને ટક્કર મારી હતી. જે બાદ ટુરિસ્ટ બસ નજીકના દલદલમાં પડી ગઈ હતી.

દક્કનચેરીમાં KSRTC સાથે પ્રવાસીઓની બસ અથડાઈ : આ દુર્ઘટના વાલ્યાર-વડાકનચેરી નેશનલ હાઈવે પર અંજુમૂર્તિ મંગલમ બસ સ્ટોપ પાસે થઈ હતી. દુર્ઘટના બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે લગભગ 12 વાગ્યાની હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં 12 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને અન્ય 28 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રવાસી બસમાં 41 વિદ્યાર્થીઓ, 5ચ શિક્ષકો અને 2 કર્મચારીઓ સવાર હતા. KSRTC બસમાં 49 પ્રવાસીઓ સવાર હતા. મૃતકોમાં KSRTC બસના 3 પ્રવાસીઓ અને પ્રવાસી બસના 5 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. 6 પુરૂષો અને 3 મહિલાઓના મોત થયા છે. મૃતકોમાં KSRTCના પ્રવાસીઓ રોહિત રાજ (24) થ્રિસુરના અને કોલ્લમના ઓ અનૂપ (22) અને સ્કૂલ સ્ટાફ નેન્સી જ્યોર્જ અને વીકે વિષ્ણુનો સમાવેશ થાય છે.

ત્રિશૂર હોસ્પિટલમાં 16 ઈજાગ્રસ્તોની ચાલી રહી છે સારવાર : પોલીસે માહિતી આપી છે કે, અકસ્માતમાં જાનહાનિ વધી શકે છે. ઈજાગ્રસ્તોને પલક્કડ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહ અલ્થૂર અને પલક્કડ હોસ્પિટલમાં છે. ત્રિશૂર હોસ્પિટલમાં 16 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જેમાં હરિકૃષ્ણન (22), અમેયા (17), શ્રદ્ધા (15), અનીજા (15), અમૃતા 915, થાનાશ્રી (15), હિને જોસેફ (15), આશા (40) સહિત 16 ઈજાગ્રસ્તોની થ્રિસુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેનેમા (15), અરુણકુમાર (38), બ્લાસન (18), એલ્સિલ (18) અને એલ્સા (18) નો સમાવેશ છે.

KSRTC બસ કોટ્ટરક્કારાથી કોઈમ્બતુર જઈ રહી હતી : બેસેલિયસ સ્કૂલના ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ ઊટીની રજાઓ પર હતા ત્યારે તેઓનો અકસ્માત થયો હતો. ટીમમાં 26 છોકરાઓ અને 16 છોકરીઓનો સમાવેશ થાય છે. વરસાદની હાજરીથી અકસ્માતની તીવ્રતા વધી ગઈ હતી. પ્રવાસી બસમાં સવાર પ્રવાસીઓને કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. KSRTC બસ કોટ્ટરક્કારાથી કોઈમ્બતુર જઈ રહી હતી. KSRTC ડ્રાઈવર સુમેશે જણાવ્યું હતું કે, પ્રવાસી બસની ઝડપ ઝડપી હતી. વિદ્યાર્થીઓએ પણ પુષ્ટિ કરી હતી કે બસ નિયંત્રણ બહાર ગઈ હતી અને ખૂબ જ પ્રયત્નો પછી તેને રોકવામાં આવી હતી. એક માતા-પિતાએ જણાવ્યું હતું કે, પ્રવાસી બસનો ડ્રાઈવર વેલંકન્નીની મુલાકાત બાદ પ્રવાસી દરમિયાન થાકી ગયો હતો. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.