ETV Bharat / bharat

Mangal Pandey Birth Anniversary : ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ ક્રાંતિકારી હતા મંગલ પાંડે

author img

By

Published : Jul 19, 2021, 9:18 AM IST

1857ની ક્રાંતિના નાયક મંગલ પાંડે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના પહેલા ક્રાંતિકારી હતા. આજે 19 જુલાઈએ તેમની 194મી જન્મજયંતિ (Mangal Pandey Birth Anniversary) છે. 29 માર્ચ 1857ના રોજ મંગલ પાંડેએ બ્રિટિશરો સામે મોરચો ખોલ્યો હતો. 8 એપ્રિલ 1857ના રોજ તેમને ફાંસી આપવામાં આવી હતી. બ્રિટીશ સૈન્યમાં હતા ત્યારે તેમણે બ્રિટિશરો સામે મોરચો ખોલ્યો હતો.

મંગલ પાંડે
મંગલ પાંડે
  • આજે મંગલ પાંડેની 194મી જન્મજયંતિ
  • 29 માર્ચ 1857ના રોજ અંગ્રેજો સામે મોરચો ખોલ્યો
  • 8 એપ્રિલ 1857ના રોજ તેમને ફાંસી અપાઇ

લખનઉ : અંગ્રેજો સામે માથું ઊંચું કરનારા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ ક્રાંતિકારી તરીકે જાણીતા મંગલ પાંડેએ પ્રથમ વખત 'મારો ફિરંગી કો'નો નારા આપીને ભારતીયોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત થઇ હતી. આજે 19 જુલાઈએ તેમની 194મી જન્મજયંતિ (Mangal Pandey Birth Anniversary) છે.

રેજિમેન્ટ અધિકારી પર હુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યો હતો

29 માર્ચ 1857ના રોજ મંગલ પાંડેએ અંગ્રેજો સામે મોરચો ખોલ્યો હતો. કલકત્તા નજીક બેરેકપુર પરેડ ગ્રાઉન્ડ પર તેણે રેજિમેન્ટ અધિકારી પર હુમલો કરીને ઇજાગ્રસ્ત કરી દીધો હતો. તેમને લાગ્યું કે, યુરોપિયન સૈનિકો ભારતીય સૈનિકોને મારવા આવી રહ્યા છે. તે પછી તેણે આ પગલું ભર્યું હતું.

1984ના રોજ મંગલ પાંડેના નામે એક ટપાલ ટિકિટ રજૂ કરી
1984ના રોજ મંગલ પાંડેના નામે એક ટપાલ ટિકિટ રજૂ કરી

કોણ હતા મંગલ પાંડે ?

અમર શહીદ મંગલ પાંડેનો જન્મ (Mangal Pandey Birth Anniversary) 19 જુલાઈ 1827ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ખાતેના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ દિવાકર પાંડે અને માતાનું નામ અભય રાની હતું. જોકે, ઘણા ઇતિહાસકારોએ જણાવ્યું છે કે, તેનો જન્મ ફૈઝાબાદ જિલ્લાના અકબરપુર તહસીલના સુહુરપુર ગામમાં થયો હતો. તેઓ 1849માં ઇસ્ટ ઇન્ડિયા કંપની (East India Company)ની સેનામાં જોડાયા હતા. તેમનો બેરેકપુરના સૈન્ય છાવણીમાં 34મી બંગાળના મૂળ પાયદળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે પૈદલ સેનાના 1446માં નંબરના સૈનિક હતા.

આ પણ વાંચો : જેતપુરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવાઇ ડો. આંબેડકર જન્મજયંતિ

તેમના જીવન પર આધારિત મંગલ પાંડે-ધ રાઇઝિંગ સ્ટાર નામની ફિલ્મ

મંગલ પાંડેના જીવન પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે. મંગલ પાંડે-ધ રાઇઝિંગ સ્ટાર નામની 2005માં બનેલી હિન્દી ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર આમિર ખાને તેમનો રોલ કર્યો હતો. કેટલાક લોકો એમ પણ કહે છે કે, તે બલિયાના નાગવા ગામના વતની હતા. પરંતુ ફૈઝાબાદમાં મંગલ પાંડેના જન્મ પછી તે ફરીથી બલિયા જતા રહ્યા હતા.જોકે, મંગલ પાંડેના પિતાનું નામ દિનકર પાંડે અને માતાનું નામ અમરાવતી હતું. તેમનો જન્મ 19 જુલાઈ 1827એ મનાવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેમનો જન્મ 30 જાન્યુઆરી 1831 હોવાનું માનવામાં આવે છે.

મારો ફિરંગીનો નારો મંગલ પાંડેએ આપ્યો

મંગલ પાંડેએ મારો ફિરંગીનો નારો આપ્યો હતો. તેઓ ભારતના પ્રથમ શહીદ માનવામાં આવે છે. જ્યાં તેમણે બ્રિટિશરો વિરુદ્ધ બળવો કર્યો હતો અને પછી તેમને ફાંસી આપવામાં આવી હતી. તે જગ્યા હવે શહીદ મંગલ પાંડે મહા ઉદ્યાન તરીકે ઓળખાય છે.

984ના રોજ તેમના સન્માનમાં ટપાલ ટિકિટ રજૂ કરી

ભારત સરકારે 5 ઓક્ટોબર 1984ના રોજ તેમના નામે એક ટપાલ ટિકિટ રજૂ કરી હતી. મંગલ પાંડેએ કલકત્તા નજીક બેરેકપોર છાવણીમાં બ્રિટીશ શાસન સામે બળવો શરૂ કર્યો હતો.

આ પણ વાંચો : વિશ્વના સૌથી પહેલા એન્જિનિયર, ભગવાન વિશ્વકર્માની આજે જન્મજયંતિ

મંગલ પાંડે બની ચૂકી છે ફિલ્મ

મંગલ પાંડે 34મી બંગાળ નેટિવ ઇન્ફૈંટ્રી (BNI)નો ભાગ હતા. જે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ભાગ હતી. તે તેમાં સૈનિક હતા. તેમણે 18 વર્ષની નાની ઉંમરે બંગાળ ઇન્ફન્ટ્રીની છઠ્ઠી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. મંગલ પાંડેના જીવન પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે. બોલિવૂડ સ્ટાર આમિર ખાને 2005માં મંગલ પાંડે-ધ રાઇઝિંગ સ્ટાર નામની હિન્દી ફિલ્મમાં પોતાનું પાત્ર ભજવ્યું હતું.

ભારતીય સૈનિકોને ત્રાસ અપાઇ રહ્યો હતો

અંગ્રેજ અધિકારીઓ દ્વારા ભારતીય સૈનિકોને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. પરંતુ તે પછી હદ ત્યાં થઇ હઇ હતી. જ્યારે ભારતીય સૈનિકોને આવી બંદૂક આપવામાં આવી હતી. જેમાં કારતૂસ ભરવા માટે, તેને દાંતથી તોડવું પડતું હતું. આ નવી એનફિલ્ડ બંદૂકની ટ્યુબમાં કારતુસ ભરવાના હતા. દાંતથી તોડવાના કારતૂસમાં તેના ઉપરના ભાગમાં ચરબી હતી. તે સમયે ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ હતી કે, કારતૂસની ચરબી ડુક્કર અને ગાયના માંસમાંથી બનાવવામાં આવી હતી.

યુનિફોર્મ અને બંદૂક પાછું લઇને સૈન્યમાંથી હટાવવાનો હુકમ કર્યો

આ બંદૂકો લશ્કરને 9 ફેબ્રુઆરી 1857માં આપવામાં આવી હતી. જ્યારે ઉપયોગ દરમિયાન તેનો સામનો કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે, મંગલ પાંડેએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. તે પછી બ્રિટિશ અધિકારીઓ ગુસ્સે થયા હતા. ત્યારબાદ 29 માર્ચ 1857ના રોજ તેમને યુનિફોર્મ અને બંદૂક પાછું લઇને સૈન્યમાંથી હટાવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. તે સમયે એક અંગ્રેજી અધિકારી તેમની તરફ આગળ વધ્યો હતો. પરંતુ મંગલ પાંડેએ તેના પર હુમલો કર્યો હતો.

8 એપ્રિલ 1857ના રોજ તેમને ફાંસી અપાઇ

તેમણે તેમના મિત્રોને મદદ કરવા જણાવ્યુું, પરંતુ કોઈ આગળ આવ્યું નહિ. તો પણ તેઓ મક્કમ રહ્યા અને બ્રિટિશ અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો. જ્યારે કોઈ ભારતીય સૈનિકોએ ટેકો આપ્યો ન હતો. ત્યારે તેઓએ પણ પોતાને ઉપર ગોળીબાર કર્યો હતો. જોકે તે માત્ર ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે બ્રિટિશ સૈનિકોએ તેમને પકડ્યા હતા. તેમને 6 એપ્રિલ 1857ના રોજ કોર્ટ માર્શલ કરવામાં આવ્યો હતો અને 8 એપ્રિલ 1857ના રોજ તેમને ફાંસી આપવામાં આવી હતી.

આ પણ વાંચો -

  • આજે મંગલ પાંડેની 194મી જન્મજયંતિ
  • 29 માર્ચ 1857ના રોજ અંગ્રેજો સામે મોરચો ખોલ્યો
  • 8 એપ્રિલ 1857ના રોજ તેમને ફાંસી અપાઇ

લખનઉ : અંગ્રેજો સામે માથું ઊંચું કરનારા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ ક્રાંતિકારી તરીકે જાણીતા મંગલ પાંડેએ પ્રથમ વખત 'મારો ફિરંગી કો'નો નારા આપીને ભારતીયોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત થઇ હતી. આજે 19 જુલાઈએ તેમની 194મી જન્મજયંતિ (Mangal Pandey Birth Anniversary) છે.

રેજિમેન્ટ અધિકારી પર હુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યો હતો

29 માર્ચ 1857ના રોજ મંગલ પાંડેએ અંગ્રેજો સામે મોરચો ખોલ્યો હતો. કલકત્તા નજીક બેરેકપુર પરેડ ગ્રાઉન્ડ પર તેણે રેજિમેન્ટ અધિકારી પર હુમલો કરીને ઇજાગ્રસ્ત કરી દીધો હતો. તેમને લાગ્યું કે, યુરોપિયન સૈનિકો ભારતીય સૈનિકોને મારવા આવી રહ્યા છે. તે પછી તેણે આ પગલું ભર્યું હતું.

1984ના રોજ મંગલ પાંડેના નામે એક ટપાલ ટિકિટ રજૂ કરી
1984ના રોજ મંગલ પાંડેના નામે એક ટપાલ ટિકિટ રજૂ કરી

કોણ હતા મંગલ પાંડે ?

અમર શહીદ મંગલ પાંડેનો જન્મ (Mangal Pandey Birth Anniversary) 19 જુલાઈ 1827ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ખાતેના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ દિવાકર પાંડે અને માતાનું નામ અભય રાની હતું. જોકે, ઘણા ઇતિહાસકારોએ જણાવ્યું છે કે, તેનો જન્મ ફૈઝાબાદ જિલ્લાના અકબરપુર તહસીલના સુહુરપુર ગામમાં થયો હતો. તેઓ 1849માં ઇસ્ટ ઇન્ડિયા કંપની (East India Company)ની સેનામાં જોડાયા હતા. તેમનો બેરેકપુરના સૈન્ય છાવણીમાં 34મી બંગાળના મૂળ પાયદળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે પૈદલ સેનાના 1446માં નંબરના સૈનિક હતા.

આ પણ વાંચો : જેતપુરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવાઇ ડો. આંબેડકર જન્મજયંતિ

તેમના જીવન પર આધારિત મંગલ પાંડે-ધ રાઇઝિંગ સ્ટાર નામની ફિલ્મ

મંગલ પાંડેના જીવન પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે. મંગલ પાંડે-ધ રાઇઝિંગ સ્ટાર નામની 2005માં બનેલી હિન્દી ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર આમિર ખાને તેમનો રોલ કર્યો હતો. કેટલાક લોકો એમ પણ કહે છે કે, તે બલિયાના નાગવા ગામના વતની હતા. પરંતુ ફૈઝાબાદમાં મંગલ પાંડેના જન્મ પછી તે ફરીથી બલિયા જતા રહ્યા હતા.જોકે, મંગલ પાંડેના પિતાનું નામ દિનકર પાંડે અને માતાનું નામ અમરાવતી હતું. તેમનો જન્મ 19 જુલાઈ 1827એ મનાવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેમનો જન્મ 30 જાન્યુઆરી 1831 હોવાનું માનવામાં આવે છે.

મારો ફિરંગીનો નારો મંગલ પાંડેએ આપ્યો

મંગલ પાંડેએ મારો ફિરંગીનો નારો આપ્યો હતો. તેઓ ભારતના પ્રથમ શહીદ માનવામાં આવે છે. જ્યાં તેમણે બ્રિટિશરો વિરુદ્ધ બળવો કર્યો હતો અને પછી તેમને ફાંસી આપવામાં આવી હતી. તે જગ્યા હવે શહીદ મંગલ પાંડે મહા ઉદ્યાન તરીકે ઓળખાય છે.

984ના રોજ તેમના સન્માનમાં ટપાલ ટિકિટ રજૂ કરી

ભારત સરકારે 5 ઓક્ટોબર 1984ના રોજ તેમના નામે એક ટપાલ ટિકિટ રજૂ કરી હતી. મંગલ પાંડેએ કલકત્તા નજીક બેરેકપોર છાવણીમાં બ્રિટીશ શાસન સામે બળવો શરૂ કર્યો હતો.

આ પણ વાંચો : વિશ્વના સૌથી પહેલા એન્જિનિયર, ભગવાન વિશ્વકર્માની આજે જન્મજયંતિ

મંગલ પાંડે બની ચૂકી છે ફિલ્મ

મંગલ પાંડે 34મી બંગાળ નેટિવ ઇન્ફૈંટ્રી (BNI)નો ભાગ હતા. જે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ભાગ હતી. તે તેમાં સૈનિક હતા. તેમણે 18 વર્ષની નાની ઉંમરે બંગાળ ઇન્ફન્ટ્રીની છઠ્ઠી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. મંગલ પાંડેના જીવન પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે. બોલિવૂડ સ્ટાર આમિર ખાને 2005માં મંગલ પાંડે-ધ રાઇઝિંગ સ્ટાર નામની હિન્દી ફિલ્મમાં પોતાનું પાત્ર ભજવ્યું હતું.

ભારતીય સૈનિકોને ત્રાસ અપાઇ રહ્યો હતો

અંગ્રેજ અધિકારીઓ દ્વારા ભારતીય સૈનિકોને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. પરંતુ તે પછી હદ ત્યાં થઇ હઇ હતી. જ્યારે ભારતીય સૈનિકોને આવી બંદૂક આપવામાં આવી હતી. જેમાં કારતૂસ ભરવા માટે, તેને દાંતથી તોડવું પડતું હતું. આ નવી એનફિલ્ડ બંદૂકની ટ્યુબમાં કારતુસ ભરવાના હતા. દાંતથી તોડવાના કારતૂસમાં તેના ઉપરના ભાગમાં ચરબી હતી. તે સમયે ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ હતી કે, કારતૂસની ચરબી ડુક્કર અને ગાયના માંસમાંથી બનાવવામાં આવી હતી.

યુનિફોર્મ અને બંદૂક પાછું લઇને સૈન્યમાંથી હટાવવાનો હુકમ કર્યો

આ બંદૂકો લશ્કરને 9 ફેબ્રુઆરી 1857માં આપવામાં આવી હતી. જ્યારે ઉપયોગ દરમિયાન તેનો સામનો કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે, મંગલ પાંડેએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. તે પછી બ્રિટિશ અધિકારીઓ ગુસ્સે થયા હતા. ત્યારબાદ 29 માર્ચ 1857ના રોજ તેમને યુનિફોર્મ અને બંદૂક પાછું લઇને સૈન્યમાંથી હટાવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. તે સમયે એક અંગ્રેજી અધિકારી તેમની તરફ આગળ વધ્યો હતો. પરંતુ મંગલ પાંડેએ તેના પર હુમલો કર્યો હતો.

8 એપ્રિલ 1857ના રોજ તેમને ફાંસી અપાઇ

તેમણે તેમના મિત્રોને મદદ કરવા જણાવ્યુું, પરંતુ કોઈ આગળ આવ્યું નહિ. તો પણ તેઓ મક્કમ રહ્યા અને બ્રિટિશ અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો. જ્યારે કોઈ ભારતીય સૈનિકોએ ટેકો આપ્યો ન હતો. ત્યારે તેઓએ પણ પોતાને ઉપર ગોળીબાર કર્યો હતો. જોકે તે માત્ર ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે બ્રિટિશ સૈનિકોએ તેમને પકડ્યા હતા. તેમને 6 એપ્રિલ 1857ના રોજ કોર્ટ માર્શલ કરવામાં આવ્યો હતો અને 8 એપ્રિલ 1857ના રોજ તેમને ફાંસી આપવામાં આવી હતી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.