નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ (Delhi Rouse Avenue Court) આજે રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અનિલ કુમાર સાહની સહિત ત્રણ લોકોની સજાની સુનાવણી કરશે, જેઓ લીવ એન્ડ ટ્રાવેલ એલાઉન્સ (Leave Travel Concession) કૌભાંડમાં દોષિત છે. સ્પેશિયલ જજ એમ કે નાગપાલ સુનાવણી કરશે. CBIની તપાસ બાદ કોર્ટમાં આ મામલામાં લાંબી સુનાવણી થઈ. તમામ પક્ષોને સાંભળ્યા બાદ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 29 ઓગસ્ટે મોટો ચુકાદો આપતાં આ પૂર્વ રાજ્યસભા સભ્ય સહિત આરોપીઓને દોષિત (Hearing on sentence of former RS MP Anil Sahni) જાહેર કર્યા હતા અને આ સજાની સુનવણી આજે થશે.
આ પણ વાંચો બિહારમાં વિદેશી યુવતીઓ સાથે 2 દાણચોરોની થઈ ધરપકડ
કોર્ટે કર્યા દોષિત જાહેર અનિલ કુમાર સાહની ઉપરાંત જેઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. તેમાં NS નાયર અને એર ઈન્ડિયાના તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ અરવિંદ તિવારીનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, 31 ઓક્ટોબર 2013 ના રોજ CBIએ મુસાફરી કર્યા વિના લાખો રૂપિયાની રજા અને ભથ્થા લેવાના LTC કૌભાંડ કેસમાં (LTC scam case) કેસ નોંધ્યો હતો. સેન્ટ્રલ વિજિલન્સ કમિશને કેસ CBIને ટ્રાન્સફર કર્યો હતો.
આ પણ વાંચો સગીર બાળકી બની દુષ્કર્મનો ભોગ, ત્રણ માસનો ગર્ભ હોવાનું આવ્યું બહાર
સાહની પર છેતરપિંડીનો આરોપ CBIએ આ કેસમાં મની લોન્ડરિંગ એક્ટ, છેતરપિંડી, સત્તાવાર પદનો દુરુપયોગની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. અનિલ કુમાર સાહની 2010 થી 2018 દરમિયાન JDU તરફથી બિહારમાંથી બે વાર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. સાહની હાલમાં બિહારમાંથી RJDના ધારાસભ્ય છે. સાહની પર રાજ્યસભા સાંસદ તરીકે મુસાફરી કર્યા વિના નકલી ઈ-ટિકિટ અને નકલી બોર્ડિંગ પાસ દ્વારા 23 લાખ 71 હજાર રૂપિયાની છેતરપિંડીનો (Accused of defrauding on former Rajya Sabha MP Anil Sahni) આરોપ છે.