ETV Bharat / bharat

Lawyer shot dead in Ghaziabad : વકીલને ચેમ્બરમાં ઘૂસી ગોળીઓ ધરબી દીધી, કરી રહ્યો હતો ભોજન

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 8:00 PM IST

ગાઝિયાબાદમાં બુધવારે બે અજાણ્યાં લોકોએ એક સનસનીખેજ ઘટનાને અંજામ આપ્યો હતો. પોતાની ચેમ્બરમાં બેઠેલા વકીલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Lawyer shot dead in Ghaziabad : વકીલને ચેમ્બરમાં ઘૂસી ગોળીઓ ધરબી દીધી, કરી રહ્યો હતો ભોજન
Lawyer shot dead in Ghaziabad : વકીલને ચેમ્બરમાં ઘૂસી ગોળીઓ ધરબી દીધી, કરી રહ્યો હતો ભોજન

નવી દિલ્હી : ગાઝિયાબાદમાં બુધવારે બદમાશોએ વકીલની ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતક વકીલની ઓળખ મનોજ ચૌધરી તરીકે થઈ છે. આ ઘટના બપોરે લગભગ બે વાગ્યે બની હતી. વકીલ તહેસીલ પરિસરમાં સ્થિત પોતાની ચેમ્બરમાં તેના સાથી સાથે ભોજન કરી રહ્યો હતો. ત્યારે બે લોકોએ આવીને તેની છાતીમાં ગોળી મારી દીધી હતી. જણાવાઇ રહ્યું છે કે આ હત્યા પારિવારિક વિવાદના કારણે થઈ છે. આ કેસમાં પરિવારના જ કેટલાક સભ્યો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાવવામાં આવ્યો છે.

બપોરે બે વાગે ધરબી ગોળીઓ આ ઘટના ગાઝિયાબાદ તહસીલ હેઠળના સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગાંધીનગર વિસ્તારની છે. વકીલની હત્યા બાદ કોર્ટ પરિસરમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાથી વકીલોમાં ભારે રોષ છે. મનોજ ચૌધરીએ તહસીલ બાર એસોસિએશનની ચૂંટણી લડી છે. ડીસીપી નિપુણ અગ્રવાલે કહ્યું કે બુધવારે બપોરે 2 વાગ્યે પોલીસને માહિતી મળી કે બે લોકોએ તેને ચેમ્બરમાં ગોળી મારી દીધી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.વધુ તપાસ કરવામાં આવી રહી છે.

બનેવી સહિત 5 લોકો સામે એફઆઈઆર : ઘટનાને લઇને ડીસીપી નિપુણ અગ્રવાલે જણાવ્યું કે મનોજની પત્ની કવિતા ચૌધરીએ પાંચ લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. જેમાં મોનુના સાળા અમિત ડાગર, બનેવીના ભાઈ નીતિન ડાગર, બનેવીના પિતા મદન અને અન્ય બે વ્યક્તિ અનુજ અને અન્યને આરોપી બનાવવામાં આવ્યા છે. અમિત ડાગર અગાઉ તેની માતા પર ગોળીબાર કરવા બદલ જેલ જઈ ચૂક્યો છે. આમાંથી એક આરોપી નીતિન પણ ગાઝિયાબાદ તહસીલમાં પ્રેક્ટિસ કરે છે. આરોપીને પકડવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી છે.

સીસીટીવી ફૂટેજની ચકાસણી : પોલીસ નજીકના સીસીટીવી કેમેરા તપાસી રહી છે. ગાઝિયાબાદ પોલીસ આ કેસમાં દુશ્મનીના દ્રષ્ટિકોણથી પણ તપાસ કરી રહી છે. ઘટના બાદ વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કેસમાં વકીલો આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યા છે. પોલીસનો દાવો છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે.

ઘટનાના પ્રત્યક્ષદર્શી છે બારના અધ્યક્ષ અશોક વર્માએ જણાવ્યું કે મનોજ ચૌધરીને ચાર બહેનો છે. બે બાળકો અને પત્ની છે. તે ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. બુધવારે હાપુડમાં બનેલી આ ઘટનાને લઈને તહેસીલમાં ચર્ચા ચાલી રહી હતી તે જ સમયે મોનુ ચૌધરીની ચેમ્બર નંબર 95માં બે અજાણ્યા શખ્સોએ આવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. તે સમયે મોનુની ચેમ્બરમાં અન્ય એક વ્યક્તિ પણ હાજર હતો, જે પ્રત્યક્ષદર્શી છે.

  1. Bittu Bajrangi Gets Bail: નૂહ હિંસાના આરોપી બિટ્ટુ બજરંગીને જામીન મળી ગયા, ફરીદાબાદની નીમકા જેલમાં હતો બંધ
  2. Nuh violence Case: નૂંહ હિંસાની તપાસ હાઈકોર્ટના જજ દ્વારા થવી જોઈએ- વિપક્ષના નેતા ભૂપેન્દ્ર હુડ્ડા
  3. Deepak Sharma : તિહાર જેલના 'બોડી બિલ્ડરે' જેલર સાથે 51 લાખ રૂપિયાની છેતરપિંડી કરી, કેસ દાખલ

નવી દિલ્હી : ગાઝિયાબાદમાં બુધવારે બદમાશોએ વકીલની ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતક વકીલની ઓળખ મનોજ ચૌધરી તરીકે થઈ છે. આ ઘટના બપોરે લગભગ બે વાગ્યે બની હતી. વકીલ તહેસીલ પરિસરમાં સ્થિત પોતાની ચેમ્બરમાં તેના સાથી સાથે ભોજન કરી રહ્યો હતો. ત્યારે બે લોકોએ આવીને તેની છાતીમાં ગોળી મારી દીધી હતી. જણાવાઇ રહ્યું છે કે આ હત્યા પારિવારિક વિવાદના કારણે થઈ છે. આ કેસમાં પરિવારના જ કેટલાક સભ્યો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાવવામાં આવ્યો છે.

બપોરે બે વાગે ધરબી ગોળીઓ આ ઘટના ગાઝિયાબાદ તહસીલ હેઠળના સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગાંધીનગર વિસ્તારની છે. વકીલની હત્યા બાદ કોર્ટ પરિસરમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાથી વકીલોમાં ભારે રોષ છે. મનોજ ચૌધરીએ તહસીલ બાર એસોસિએશનની ચૂંટણી લડી છે. ડીસીપી નિપુણ અગ્રવાલે કહ્યું કે બુધવારે બપોરે 2 વાગ્યે પોલીસને માહિતી મળી કે બે લોકોએ તેને ચેમ્બરમાં ગોળી મારી દીધી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.વધુ તપાસ કરવામાં આવી રહી છે.

બનેવી સહિત 5 લોકો સામે એફઆઈઆર : ઘટનાને લઇને ડીસીપી નિપુણ અગ્રવાલે જણાવ્યું કે મનોજની પત્ની કવિતા ચૌધરીએ પાંચ લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. જેમાં મોનુના સાળા અમિત ડાગર, બનેવીના ભાઈ નીતિન ડાગર, બનેવીના પિતા મદન અને અન્ય બે વ્યક્તિ અનુજ અને અન્યને આરોપી બનાવવામાં આવ્યા છે. અમિત ડાગર અગાઉ તેની માતા પર ગોળીબાર કરવા બદલ જેલ જઈ ચૂક્યો છે. આમાંથી એક આરોપી નીતિન પણ ગાઝિયાબાદ તહસીલમાં પ્રેક્ટિસ કરે છે. આરોપીને પકડવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી છે.

સીસીટીવી ફૂટેજની ચકાસણી : પોલીસ નજીકના સીસીટીવી કેમેરા તપાસી રહી છે. ગાઝિયાબાદ પોલીસ આ કેસમાં દુશ્મનીના દ્રષ્ટિકોણથી પણ તપાસ કરી રહી છે. ઘટના બાદ વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કેસમાં વકીલો આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યા છે. પોલીસનો દાવો છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે.

ઘટનાના પ્રત્યક્ષદર્શી છે બારના અધ્યક્ષ અશોક વર્માએ જણાવ્યું કે મનોજ ચૌધરીને ચાર બહેનો છે. બે બાળકો અને પત્ની છે. તે ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. બુધવારે હાપુડમાં બનેલી આ ઘટનાને લઈને તહેસીલમાં ચર્ચા ચાલી રહી હતી તે જ સમયે મોનુ ચૌધરીની ચેમ્બર નંબર 95માં બે અજાણ્યા શખ્સોએ આવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. તે સમયે મોનુની ચેમ્બરમાં અન્ય એક વ્યક્તિ પણ હાજર હતો, જે પ્રત્યક્ષદર્શી છે.

  1. Bittu Bajrangi Gets Bail: નૂહ હિંસાના આરોપી બિટ્ટુ બજરંગીને જામીન મળી ગયા, ફરીદાબાદની નીમકા જેલમાં હતો બંધ
  2. Nuh violence Case: નૂંહ હિંસાની તપાસ હાઈકોર્ટના જજ દ્વારા થવી જોઈએ- વિપક્ષના નેતા ભૂપેન્દ્ર હુડ્ડા
  3. Deepak Sharma : તિહાર જેલના 'બોડી બિલ્ડરે' જેલર સાથે 51 લાખ રૂપિયાની છેતરપિંડી કરી, કેસ દાખલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.