ETV Bharat / bharat

ભારત-ચીન સરહદ વિવાદ: ચુશુલમાં આજે યોજાશે 8મી કમાન્ડર સ્તરની બેઠક

author img

By

Published : Nov 6, 2020, 9:46 AM IST

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ તણાવને ઘટાડવા માટે બંને દેશોની સૈન્ય વચ્ચેની વાટાઘાટો સતત ચાલુ છે. બંને દેશની સૈન્ય વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની આઠમી રાઉન્ડની વાતચીત 6 નવેમ્બરના રોજ યોજાશે. આઠમાં રાઉન્ડની વાતચીતમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ પી.જી.કે. મેનન કરશે. તેમને હાલમાં જ લેહની 14 મી કોર્પ્સના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

8મી કમાન્ડર સ્તરની બેઠક
8મી કમાન્ડર સ્તરની બેઠક
  • ભારત-ચીન વચ્ચે 8મી કમાન્ડર સ્તરની બેઠક
  • ભારત - ચીન સરહદ વિવાદ
  • ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ પી.જી.કે. મેનન કરશે

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ તણાવને ઘટાડવા માટે બંને દેશોની સૈન્ય વચ્ચેની વાટાઘાટો સતત ચાલુ છે. બંને દેશની સૈન્ય વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની આઠમી રાઉન્ડની વાતચીત 6 નવેમ્બરના રોજ યોજાશે.

બંને દેશ વચ્ચે તણાવ દુર કરવા બેઠક

મળતી માહિતી મુજબ આ સૈન્ય વાર્તા પૂર્વી લદ્દાખના ચુશુલમાં યોજાશે. બંને પક્ષો એપ્રિલથી મે દરમિયાન પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા લશ્કરી તણાવ અંગે વાટાઘાટો કરશે. બંને પક્ષો વિવાદના સમાધાન અને સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા ચર્ચા કરશે. આ પહેલા સૈન્ય વાટાઘાટોનો સાતમો રાઉન્ડ 12 ઓક્ટોબરના રોજ યોજાયો હતો.

ભારતમાં આવેલા ચુશુલમાં યોજાશે બેઠક

ભારત આ સંવાદમાં પૂર્વી લદ્દાખના તમામ ડેડલોક સ્થાનોથી ચીની સૈનિકોની સંપૂર્ણ ઉપાડ પર ભાર મૂકશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવારે પૂર્વી લદ્દાખમાં બેઠક સવારે 9.30 કલાકે ભારતીય ક્ષેત્ર તરફ આવેલા ચુશુલમાં યોજાશે.

50000 સૈનિકો પર્વતની ઉંચાઈ પર તૈનાત

પૂર્વી લદ્દાખમાં શિયાળા દરમિયાન કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતના લગભગ 50000 સૈનિકો પર્વતની ઉંચાઈ પર તૈનાત કરવામાં આવ્યા છે. છ મહિનાથી ચાલી રહેલા આ ડેડલોકને લઇને બંને દેશો વચ્ચે ભૂતકાળમાં અનેક તબક્કાની વાટાઘાટોનું હજી સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.

  • ભારત-ચીન વચ્ચે 8મી કમાન્ડર સ્તરની બેઠક
  • ભારત - ચીન સરહદ વિવાદ
  • ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ પી.જી.કે. મેનન કરશે

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ તણાવને ઘટાડવા માટે બંને દેશોની સૈન્ય વચ્ચેની વાટાઘાટો સતત ચાલુ છે. બંને દેશની સૈન્ય વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની આઠમી રાઉન્ડની વાતચીત 6 નવેમ્બરના રોજ યોજાશે.

બંને દેશ વચ્ચે તણાવ દુર કરવા બેઠક

મળતી માહિતી મુજબ આ સૈન્ય વાર્તા પૂર્વી લદ્દાખના ચુશુલમાં યોજાશે. બંને પક્ષો એપ્રિલથી મે દરમિયાન પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા લશ્કરી તણાવ અંગે વાટાઘાટો કરશે. બંને પક્ષો વિવાદના સમાધાન અને સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા ચર્ચા કરશે. આ પહેલા સૈન્ય વાટાઘાટોનો સાતમો રાઉન્ડ 12 ઓક્ટોબરના રોજ યોજાયો હતો.

ભારતમાં આવેલા ચુશુલમાં યોજાશે બેઠક

ભારત આ સંવાદમાં પૂર્વી લદ્દાખના તમામ ડેડલોક સ્થાનોથી ચીની સૈનિકોની સંપૂર્ણ ઉપાડ પર ભાર મૂકશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવારે પૂર્વી લદ્દાખમાં બેઠક સવારે 9.30 કલાકે ભારતીય ક્ષેત્ર તરફ આવેલા ચુશુલમાં યોજાશે.

50000 સૈનિકો પર્વતની ઉંચાઈ પર તૈનાત

પૂર્વી લદ્દાખમાં શિયાળા દરમિયાન કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતના લગભગ 50000 સૈનિકો પર્વતની ઉંચાઈ પર તૈનાત કરવામાં આવ્યા છે. છ મહિનાથી ચાલી રહેલા આ ડેડલોકને લઇને બંને દેશો વચ્ચે ભૂતકાળમાં અનેક તબક્કાની વાટાઘાટોનું હજી સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.