નવી દિલ્હી: શિક્ષણ મંત્રાલયે JEE Main 2022ના નવા સત્રની જાહેરાત આજે કરવામા આવી(JEE-Main 2022 Exam Schedule) છે. આ વર્ષે JEE Mainની પરીક્ષા એપ્રિલ અને મે મહિનામાં બે સત્રમાં લેવામાં આવશે. અગાઉ ગયા વર્ષે JEE-Main ની પરીક્ષા ચાર વખત લેવામાં આવી હતી. જો કે, હવે વિદ્યાર્થીઓને આ વખતે JEE Main 2022 ની પરીક્ષામાં બેસવાની માત્ર બે જ તક મળશે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, ઉમેદવારો 1 થી 31 માર્ચ સુધી JEE Main 2022 અરજી ફોર્મ ભરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે JEE-Main નો પ્રથમ તબક્કો 16 થી 21 એપ્રિલ અને બીજો તબક્કો 24 થી 29 મે સુધી નક્કી કરવામાં આવ્યો છે. JEE પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ દરમિયાન માત્ર વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર અને ઈ-મેલ એડ્રેસની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો ફી જમા કરાવે તે પહેલાં, તેઓએ તેમના રજિસ્ટર્ડ ઈ-મેલ પર પ્રાપ્ત OTP દાખલ કરવો પડશે.
બે ભાગમાં લેવામાં આવશે પરિક્ષા
IIT માં પ્રવેશ માટેની આ પ્રવેશ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવે છે. JEEનો પહેલો તબક્કો JEE Main છે અને બીજો તબક્કો JEE Advance ટેસ્ટ છે. IIT માટે અરજી કરતા વિદ્યાર્થીઓ પહેલા JEE Main માટે અરજી કરે છે. જેઓ આમાં સફળ થાય છે તેઓ આગળ JEE Advance પરીક્ષામાં ભાગ લઇ શકે છે. JEE Main પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓમાંથી માત્ર ટોપ 2,20,000 જ એડવાન્સ પરીક્ષામાં બેસવા માટે લાયક છે. આ પરીક્ષા મુખ્ય પરીક્ષાના થોડા અઠવાડિયા પછી લેવામાં આવશે. JEE માં બેસવા માટે, વિદ્યાર્થીએ ધોરણ 12 બોર્ડમાં સારા માર્ક્સ મેળવ્યા હોય તે ફરજિયાત છે.
પેપર સ્ટાઇલ વિશે જાણો
JEE Main માં બે પેપર હોય છે, પેપર-1 અને પેપર-2. ઉમેદવારો એક અથવા બંને પેપર પણ પસંદ કરી શકે છે. બંનેમાં બહુવિધ પસંદગીના પ્રશ્નો છે. પેપર 1 માં B.E. અને B.Tech કોર્સમાં પ્રવેશ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે હાથ ધરવામાં આવે છે. પેપર-2 B.Arch અને B.Planning કોર્સમાં પ્રવેશ માટે છે અને તે ફક્ત ઑફલાઇન જ હાથ ધરવામાં આવે છે. JEE એડવર્ડ્સથી વિપરીત, JEE Main પાસે નિશ્ચિત પરીક્ષા માળખું છે. પેપર-1 ત્રણ કલાકની અવધિનું છે અને તેમાં ત્રણ વિષયો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત દરેકમાં તેત્રીસ બહુવિધ પસંદગીના પ્રશ્નો છે.
કયા ઉમેદવારો કરી શકે છે રજીસ્ટ્રેશન
જે ઉમેદવારો 2020, 2021માં ધોરણ 12/સમકક્ષની પરીક્ષામાં પાસ થયા છે અથવા તેમાં હાજર રહ્યા છે તેઓ JEE Main 2022ની પરીક્ષા આપી શકે છે. જો કે, ઉમેદવારોએ જે સંસ્થાઓમાં તેઓ પ્રવેશ લેવા ઇચ્છુક છે તેના વય માપદંડને પૂર્ણ કરવાની જરૂર પડી શકે છે. જે ઉમેદવારો 2019 ના રોજ અથવા તે પહેલાં ધોરણ 12/સમકક્ષની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે તેમજ 2023ના રોજ અથવા તે પછી આવી પરીક્ષામાં હાજર રહ્યા છે તેઓ JEE (મુખ્ય) 2022 માં બેસવા માટે પાત્ર નથી.
જાણો કઇ રીત ફોર્મ ભરી શકાશે
- JEE મેઇન 2022 ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો - jeemain.nta.nic.in
- હોમપેજ પર, તે લિક પર ક્લિક કરો જેના પર લખેલુ છે - Registration for jee(main) 2022
- એક નવું પેજ ખુલશે ત્યાં New Registration પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી ફોર્મ માટે નોંધણી કરો અને ખાતરી કરો કે તમે દાખલ કરેલી બધી વિગતો સાચી છે અને તેમાં કોઈ જોડણીની ભૂલો નથી. વ્યક્તિગત વિગતો સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી, એપ્લિકેશન નંબર જનરેટ કરવામાં આવશે.
- ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ પૂર્ણ કરવા માટે સિસ્ટમ દ્વારા જનરેટ કરેલ એપ્લિકેશન નંબર અને પૂર્વ-જનરેટ કરેલ પાસવર્ડ વડે લૉગ ઇન કરી શકે છે. તમામ વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત ભરો. પરીક્ષા માટે શહેરો પસંદ કરો અને ફોટો અને પ્રમાણપત્ર (જો કોઈ હોય તો) અપલોડ કરો.
- નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા અન્ય UPI સેવાઓ દ્વારા આવશ્યક પરીક્ષા ફી ચૂકવો.
નોંધ: આ વર્ષે, ઉમેદવારોએ JEE Main પરીક્ષામાં બેસવા માટે તેમની પસંદગીના ચાર શહેરો પસંદ કરવાના રહેશે. શહેરોની પસંદગી માત્ર કાયમી અથવા વર્તમાન સરનામાથી સંબંધિત રાજ્યના કેન્દ્ર સુધી મર્યાદિત રહેશે.