ETV Bharat / bharat

કોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.08 લાખ કેસ, 4,157 મોત, જાણો રાજ્યની સ્થિતિ

author img

By

Published : May 26, 2021, 11:29 AM IST

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીમે ધીમે ઘટતો જાય છે. નિષ્ણાતો કહે છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યૂના કારણે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. ચિંતાનો વિષય છે કે, એક તરફ જ્યાં નવા કેસો ઓછા થઈ રહ્યા છે, ત્યાં બીજી બાજુ સંક્રમણના કારણે થતા મૃત્યુમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

કોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.08 લાખ કેસ, 4,157 મોત, જાણો રાજ્યની સ્થિતિ
કોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.08 લાખ કેસ, 4,157 મોત, જાણો રાજ્યની સ્થિતિ
  • દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 24,95,591 છે
  • પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 2,71,57,795 થઈ ગઈ છે
  • મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 3,11,388 થઈ ગઈ છે

ન્યુ દિલ્હી: ભારતમાં કોરોનાના 2,08,921 નવા કેસોના આગમન પછી પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 2,71,57,795 થઈ ગઈ છે. 4,157 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 3,11,388 થઈ ગઈ છે. 2,95,955 નવા ડિસ્ચાર્જ પછી કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,43,50,816 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 24,95,591 છે.

આ પણ વાંચોઃ કોરોના અપડેટ: 24 કલાકમાં 2 લાખથી ઓછા નવા કેસો, 3,511 લોકોનાં મોત, જાણો રાજ્યોની સ્થિતિ

કુલ રસીકરણનો આંકડો 20,06,62,456 થયો છે

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની 20,39,087 રસી મૂકવામાં આવી છે, જે પછી કુલ રસીકરણનો આંકડો 20,06,62,456 થયો છે.

મંગળવાર સુધીમાં કુલ 33,48,11,496 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, ગઈકાલે મંગળવારે ભારતમાં કોરોના વાઇરસ માટે 22,17,320 નમૂના પરીક્ષણો લેવામાં આવ્યા હતા. ગઈકાલ મંગળવાર સુધીમાં કુલ 33,48,11,496 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

બીજી લહેરમાં ફંગસના કેસ કેમ આવી રહ્યા છે સામે

કોરોનાની પ્રથમ લહેરમાં આવા કોઇ ફંગસના કેસ સામે આવ્યા નથી. પરંતુ આ વખતે ફંગસ રોગની ફરિયાદના પ્રશ્નના મામલે ડો.મોહિનીશ ગ્રોવરે જણાવ્યું હતું કે, હાલ આ મામલે ગંભીર સંશોધન ચાલી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી જે તથ્યો બહાર આવ્યા છે તે અનુસાર, પ્રથમ સ્ટ્રેન અને બીજી સ્ટ્રેન વચ્ચે તફાવત છે.

આ પણ વાંચોઃ કોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.22 લાખ કેસ, 4,454 મોત, જાણો રાજ્યોની સ્થિતિ

ઘરે રહીને દવાઓ લેતા હોવાથી સુગર લેવલ પર નજર રાખવામાં આવ્યુ ન હતું

બીજી લહેરમાં ઘણા લોકોએ ઘરે સારવાર લીધી હતી અને ઘરે રહીને સ્ટીરોઇડનો ઉપયોગ પણ કર્યો હતો. જો કે, ઘરે રહીને દવાઓ લેતા હોવાથી સુગર લેવલ પર નજર રાખવામાં આવ્યુ ન હતું. એટલું જ નહીં, હ્યુમેડિફાયર ઓક્સિજનેશન વધુ કરવું પડ્યું હતું. જેનું પાણી પણ ખૂબ જૂનું છે અથવા તેમાં પણ કોઇ ઇન્ફેક્શન હોય, તો તે પણ એક કારણ હોઈ શકે છે અને એક મોટું કારણ પણ કોરોના સંક્રમણના બીજા સ્ટ્રેનથી ઓછી થનારી ઇમ્યુનિટી પણ થઇ શકે છે.

  • દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 24,95,591 છે
  • પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 2,71,57,795 થઈ ગઈ છે
  • મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 3,11,388 થઈ ગઈ છે

ન્યુ દિલ્હી: ભારતમાં કોરોનાના 2,08,921 નવા કેસોના આગમન પછી પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 2,71,57,795 થઈ ગઈ છે. 4,157 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 3,11,388 થઈ ગઈ છે. 2,95,955 નવા ડિસ્ચાર્જ પછી કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,43,50,816 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 24,95,591 છે.

આ પણ વાંચોઃ કોરોના અપડેટ: 24 કલાકમાં 2 લાખથી ઓછા નવા કેસો, 3,511 લોકોનાં મોત, જાણો રાજ્યોની સ્થિતિ

કુલ રસીકરણનો આંકડો 20,06,62,456 થયો છે

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની 20,39,087 રસી મૂકવામાં આવી છે, જે પછી કુલ રસીકરણનો આંકડો 20,06,62,456 થયો છે.

મંગળવાર સુધીમાં કુલ 33,48,11,496 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, ગઈકાલે મંગળવારે ભારતમાં કોરોના વાઇરસ માટે 22,17,320 નમૂના પરીક્ષણો લેવામાં આવ્યા હતા. ગઈકાલ મંગળવાર સુધીમાં કુલ 33,48,11,496 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

બીજી લહેરમાં ફંગસના કેસ કેમ આવી રહ્યા છે સામે

કોરોનાની પ્રથમ લહેરમાં આવા કોઇ ફંગસના કેસ સામે આવ્યા નથી. પરંતુ આ વખતે ફંગસ રોગની ફરિયાદના પ્રશ્નના મામલે ડો.મોહિનીશ ગ્રોવરે જણાવ્યું હતું કે, હાલ આ મામલે ગંભીર સંશોધન ચાલી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી જે તથ્યો બહાર આવ્યા છે તે અનુસાર, પ્રથમ સ્ટ્રેન અને બીજી સ્ટ્રેન વચ્ચે તફાવત છે.

આ પણ વાંચોઃ કોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.22 લાખ કેસ, 4,454 મોત, જાણો રાજ્યોની સ્થિતિ

ઘરે રહીને દવાઓ લેતા હોવાથી સુગર લેવલ પર નજર રાખવામાં આવ્યુ ન હતું

બીજી લહેરમાં ઘણા લોકોએ ઘરે સારવાર લીધી હતી અને ઘરે રહીને સ્ટીરોઇડનો ઉપયોગ પણ કર્યો હતો. જો કે, ઘરે રહીને દવાઓ લેતા હોવાથી સુગર લેવલ પર નજર રાખવામાં આવ્યુ ન હતું. એટલું જ નહીં, હ્યુમેડિફાયર ઓક્સિજનેશન વધુ કરવું પડ્યું હતું. જેનું પાણી પણ ખૂબ જૂનું છે અથવા તેમાં પણ કોઇ ઇન્ફેક્શન હોય, તો તે પણ એક કારણ હોઈ શકે છે અને એક મોટું કારણ પણ કોરોના સંક્રમણના બીજા સ્ટ્રેનથી ઓછી થનારી ઇમ્યુનિટી પણ થઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.