ETV Bharat / bharat

ખાસ પ્રકારના મચ્છરો વિકસાવ્યા, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને ખતમ કરવાનું કરશે કામ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization) અનુસાર, ડેન્ગ્યુ એ વિશ્વભરમાં મચ્છરો દ્વારા ફેલાતો (Dengue Is A Mosquito Borne Disease Worldwide) રોગ છે. મચ્છર એ વિશ્વનું સૌથી જીવલેણ જંતુ છે. વિશ્વમાં દર વર્ષે લગભગ 4 લાખ લોકો તેના કરડવાથી અને તેના કારણે ફેલાતી બીમારીઓથી મૃત્યુ પામે છે.

author img

By

Published : Jul 7, 2022, 1:20 PM IST

ખાસ પ્રકારના મચ્છરો વિકસાવ્યા, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને ખતમ કરશે આ મચ્છર
ખાસ પ્રકારના મચ્છરો વિકસાવ્યા, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને ખતમ કરશે આ મચ્છર

પુડુચેરી: ભારતમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો પ્રકોપ (Outbreak Of Dengue And Chikungunya In India) ઓછો થયો નથી. દર વર્ષે વરસાદની ઋતુમાં બંને રોગો પગપેસારો કરે છે. આ બંને રોગોને નિયંત્રિત કરવા માટે મચ્છરોના નવા પ્રકારો વિકસાવવામાં (New Types Of Mosquitoes Were Developed) આવ્યા છે. આ મચ્છરો લાર્વા પેદા (Mosquitoes Will Produce Larvae) કરશે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને મારી નાખશે.

ખાસ પ્રકારના મચ્છરો વિકસાવ્યા, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને ખતમ કરશે આ મચ્છર
ખાસ પ્રકારના મચ્છરો વિકસાવ્યા, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને ખતમ કરશે આ મચ્છર

આ પણ વાંચો: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, વેપારી સહિત સ્થાનિકો અટવાયા

ખાસ માદા મચ્છર વિકસાવ્યા : મળતી માહિતી મુજબ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના (ICMR) વેક્ટર કંટ્રોલ રિસર્ચ સેન્ટરએ (VCRC) ખાસ માદા મચ્છર વિકસાવ્યા (New Types Of Mosquitoes Were Developed) છે. આ માદાઓ, નર મચ્છરો સાથે મળીને આવા લાર્વાને જન્મ આપશે, જે ડેન્ગ્યુ-ચિકનગુનિયાને દૂર કરશે, કારણ કે તેમનામાં આ રોગોના વાયરસ હશે નહીં. જ્યારે વાયરસ ન હોય, તો તેના કરડવાથી મનુષ્યને ચેપ લાગશે નહીં.

બે પ્રજાતિઓ વિકસાવી : પુડુચેરી સ્થિત ICMR-VCRC એ એડીસ ઈજિપ્તીની બે પ્રજાતિઓ વિકસાવી છે. તેઓ wMel અને wAIbB વોલ્બેચિયા સ્ટ્રેઈનથી સંક્રમિત થયા છે. હવે આ મચ્છરોનું નામ એડીસ એજીપ્ટી (PUD) છે. આ મચ્છરો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વાયરલ ચેપને ફેલાવશે નહીં. વીસીઆરસી છેલ્લા ચાર વર્ષથી આ કામમાં વ્યસ્ત છે. જેથી તેઓ વોલ્બેચિયા મચ્છરનો વિકાસ કરી શકે.

સરકારની પરવાનગી મળતાં જ માદા મચ્છરોને ખુલ્લામાં છોડીશું : VCRCના ડાયરેક્ટર ડૉ. અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, સ્થાનિક વિસ્તારોમાં મચ્છરોને છોડવા માટે અનેક પ્રકારની સરકારી પરવાનગીની જરૂર પડશે. અમે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને દૂર કરવા અને નિયંત્રણ કરવા માટે ખાસ પ્રકારના મચ્છરો વિકસાવ્યા છે. અમે માદા મચ્છરોને બહાર છોડીશું જેથી તેઓ લાર્વા બનાવે જે આ રોગોના વાયરસથી મુક્ત હોય. આ મચ્છરોને મુક્ત કરવા અમારી તૈયારીઓ પૂર્ણ છે. માત્ર સરકારની પરવાનગીની રાહ જોવાઈ રહી છે. સરકાર તરફથી પરવાનગી મળતાં જ અમે આ ખાસ માદા મચ્છરોને ખુલ્લામાં છોડી દઈશું.

આ પણ વાંચો: Pakistani Fishermen in Bhuj: ઘૂસણખોર પાકિસ્તાની માછીમારોનો BSFએ કર્યો પર્દાફાશ

ડેન્ગ્યુ એ વિશ્વભરમાં મચ્છરો દ્વારા ફેલાતો રોગ છે : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ડેન્ગ્યુ એ વિશ્વભરમાં મચ્છરો દ્વારા ફેલાતો રોગ છે. મચ્છર એ વિશ્વનું સૌથી જીવલેણ જંતુ છે. વિશ્વમાં દર વર્ષે લગભગ 4 લાખ લોકો તેના કરડવાથી અને તેના કારણે ફેલાતી બીમારીઓથી મૃત્યુ પામે છે. તેમાંથી બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. પશ્ચિમી દેશોના વૈજ્ઞાનિકો પણ આ પ્રકારનું કામ કરી રહ્યા છે, જેનાથી વિશ્વમાં મચ્છરોની પ્રજાતિમાં ઘટાડો થશે. આ સાથે તેનાથી ફેલાતી બીમારીઓને પણ રોકી શકાશે.

પુડુચેરી: ભારતમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો પ્રકોપ (Outbreak Of Dengue And Chikungunya In India) ઓછો થયો નથી. દર વર્ષે વરસાદની ઋતુમાં બંને રોગો પગપેસારો કરે છે. આ બંને રોગોને નિયંત્રિત કરવા માટે મચ્છરોના નવા પ્રકારો વિકસાવવામાં (New Types Of Mosquitoes Were Developed) આવ્યા છે. આ મચ્છરો લાર્વા પેદા (Mosquitoes Will Produce Larvae) કરશે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને મારી નાખશે.

ખાસ પ્રકારના મચ્છરો વિકસાવ્યા, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને ખતમ કરશે આ મચ્છર
ખાસ પ્રકારના મચ્છરો વિકસાવ્યા, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને ખતમ કરશે આ મચ્છર

આ પણ વાંચો: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, વેપારી સહિત સ્થાનિકો અટવાયા

ખાસ માદા મચ્છર વિકસાવ્યા : મળતી માહિતી મુજબ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના (ICMR) વેક્ટર કંટ્રોલ રિસર્ચ સેન્ટરએ (VCRC) ખાસ માદા મચ્છર વિકસાવ્યા (New Types Of Mosquitoes Were Developed) છે. આ માદાઓ, નર મચ્છરો સાથે મળીને આવા લાર્વાને જન્મ આપશે, જે ડેન્ગ્યુ-ચિકનગુનિયાને દૂર કરશે, કારણ કે તેમનામાં આ રોગોના વાયરસ હશે નહીં. જ્યારે વાયરસ ન હોય, તો તેના કરડવાથી મનુષ્યને ચેપ લાગશે નહીં.

બે પ્રજાતિઓ વિકસાવી : પુડુચેરી સ્થિત ICMR-VCRC એ એડીસ ઈજિપ્તીની બે પ્રજાતિઓ વિકસાવી છે. તેઓ wMel અને wAIbB વોલ્બેચિયા સ્ટ્રેઈનથી સંક્રમિત થયા છે. હવે આ મચ્છરોનું નામ એડીસ એજીપ્ટી (PUD) છે. આ મચ્છરો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વાયરલ ચેપને ફેલાવશે નહીં. વીસીઆરસી છેલ્લા ચાર વર્ષથી આ કામમાં વ્યસ્ત છે. જેથી તેઓ વોલ્બેચિયા મચ્છરનો વિકાસ કરી શકે.

સરકારની પરવાનગી મળતાં જ માદા મચ્છરોને ખુલ્લામાં છોડીશું : VCRCના ડાયરેક્ટર ડૉ. અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, સ્થાનિક વિસ્તારોમાં મચ્છરોને છોડવા માટે અનેક પ્રકારની સરકારી પરવાનગીની જરૂર પડશે. અમે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને દૂર કરવા અને નિયંત્રણ કરવા માટે ખાસ પ્રકારના મચ્છરો વિકસાવ્યા છે. અમે માદા મચ્છરોને બહાર છોડીશું જેથી તેઓ લાર્વા બનાવે જે આ રોગોના વાયરસથી મુક્ત હોય. આ મચ્છરોને મુક્ત કરવા અમારી તૈયારીઓ પૂર્ણ છે. માત્ર સરકારની પરવાનગીની રાહ જોવાઈ રહી છે. સરકાર તરફથી પરવાનગી મળતાં જ અમે આ ખાસ માદા મચ્છરોને ખુલ્લામાં છોડી દઈશું.

આ પણ વાંચો: Pakistani Fishermen in Bhuj: ઘૂસણખોર પાકિસ્તાની માછીમારોનો BSFએ કર્યો પર્દાફાશ

ડેન્ગ્યુ એ વિશ્વભરમાં મચ્છરો દ્વારા ફેલાતો રોગ છે : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ડેન્ગ્યુ એ વિશ્વભરમાં મચ્છરો દ્વારા ફેલાતો રોગ છે. મચ્છર એ વિશ્વનું સૌથી જીવલેણ જંતુ છે. વિશ્વમાં દર વર્ષે લગભગ 4 લાખ લોકો તેના કરડવાથી અને તેના કારણે ફેલાતી બીમારીઓથી મૃત્યુ પામે છે. તેમાંથી બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. પશ્ચિમી દેશોના વૈજ્ઞાનિકો પણ આ પ્રકારનું કામ કરી રહ્યા છે, જેનાથી વિશ્વમાં મચ્છરોની પ્રજાતિમાં ઘટાડો થશે. આ સાથે તેનાથી ફેલાતી બીમારીઓને પણ રોકી શકાશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.